સરકારે સ્વીસ બેંકોમાં જમા કાળાધનની જણકારી આપવાનો ઈનકાર કરી દીધો છે. ખાનગી ન્યૂઝ એજન્સી તરફથી દાખલ કરાયેલી આરટીઆઈનાં જવાબમાં સરકારે કહ્યુ છેકે, ભારત અને સ્વિત્ઝર્લેન્ડની વચ્ચે ગોપનીયતાની કલમ છે. જેને કારણે તેના વિશે કોઈ પણ જાતની જાણકારી આપી શકાશે નહી.
ઉલ્લેખનીય છેકે, સ્વિસ બેંકોમા ઘણા બધા ભારતીયોનું કાળુ ધન છુપાયેલુ છે. એજન્સીએ જે લોકો અને કંપનીઓનાં પૈસા સ્વિસ બેંકમાં છે.તેમના વિશે જાણકારી નાણામંત્રાલય પાસે માંગી હતી. અને સાથે જ આ જાણકારી પર કેન્દ્ર સરકારે શું કાર્યવાહી કરી છે. નાણામંત્રાલયે કહ્યુ છેકે, દેશ-વિદેશમાં કેટલું કાળુ ધન સર્કુલેશનમાં છે, તેની જાણકારી તેમની પાસે નથી.
ભારત અને સ્વિત્ઝર્લેન્ડે દ્વિપક્ષીય વહીવટી સહાય (એમએએસી) પર કરની બાબતો પર બહુપક્ષીય સંધિ પર હસ્તાક્ષર કર્યા છે.
ભારત અને સ્વિત્ઝર્લેન્ડે ૨૨ નવેમ્બર ૨૦૧૬એ સંયુક્ત જાહેરાત પર હસ્તાક્ષર કર્યા છે. આ હેઠળ, બંને દેશો વચ્ચેના નાણાકીય ખાતાઓની વિગતો વહેંચવાની એક વ્યવસ્થા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આવશ્યક કાયદાકીય વ્યવસ્થા સ્થપિત કરાઈ છે. ૨૦૧૯ થી, ભારતને વર્ષ ૨૦૧૮ના ભારતીય રહેવાસીઓના નાણાકીય ખાતાઓ વિશે માહિતી મળશે. આ સિસ્ટમ આગળ વધશે.