Aapnu Gujarat
મનોરંજન

હજી તો ૩૩ વર્ષનો છું, લગ્નની કોઈ ઉતાવળ નથી : અર્જુન

છેલ્લાં કેટલાંય સમયથી ચર્ચા ચાલી રહી છે કે બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર તથા મલાઈકા અરોરા લગ્ન કરવાના છે. મલાઈકાએ લગ્નને લઈ પહેલાં જ કહ્યું હતું કે તે હાલમાં લગ્ન કરવાની નથી. હવે, અર્જુન કપૂરે અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં સ્પષ્ટ રીતે કહ્યું હતું કે તે હાલમાં લગ્ન કરવાનો નથી. અર્જુને એમ પણ ઉમેર્યું હતું કે મલાઈકા તેના માટે સ્પેશ્યિલ છે.
અર્જુન કપૂરે લગ્નના સવાલ પર કહ્યું હતું કે તે હાલમાં લગ્ન કરવાનો નથી. તે હજી માંડ ૩૩ વર્ષનો જ છે અને તેને લગ્ન કરવાની કોઈ ઉતાવળ પણ નથી. આટલું જ નહીં અર્જુને એમ પણ ઉમેર્યું હતું કે તે તેના લગ્નના વિષય પર વાત કરવા પણ માંગતો નથી. જો તે લગ્ન કરવાનો હશે તો લોકોને આ અંગેની જાણ થઈ જશે. આજના સમયમાં કોઈ વાત છુપાવીને રાખી શકાતી નથી. તેના લગ્નની વાત છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહી છે પરંતુ તે તેના પર કંઈ જ કહેવા માંગતો નથી. આમ પણ તેના લગ્નની વાત કોઈને નુકસાન પહોંચાડતી નથી. જે લોકો પહેલાં લગ્નની વાત પર વિશ્વાસ કરતા હતાં. હવે તે જ લોકો લગ્નની વાત પર હસવા લાગે છે.

Related posts

Appeal to everyone to not indulge in protests as it pains me : Rajinikanth

editor

સિંઘમ-૩ અને ગોલમાલ-૫ ફિલ્મોને લઇ દુવિધા

aapnugujarat

સલમાન -જેક્લીન રેસ-૩ના શુટિંગને લઇ વ્યસ્ત : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1