Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રોહિત શેખર હત્યા કેસમાં પત્ની અપૂર્વાની ધરપકડ

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યપ્રધાન રહેલા એનડી તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીના મોતના મામલામાં હવે રોહિતની પત્ની અપૂર્વા શુક્લાની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ કેટલીક નવી વિગત ખુલી શકે છે. પોલીસ અધિકારીઓના કહેવા મુજબ તેમની લગ્ન લાઇફ ખુબ જ મુશ્કેલ તબક્કામાં પહોંચી ગઈ હતી. ઓટોસ્પી રિપોર્ટમાં પણ કેટલાક ખુલાસા હત્યાને લઇને કરવામાં આવ્યા છે.
અપૂર્વાની સાથે રોહિતની વારંવાર લડાઈ થતી હતી. ક્રાઈમ બ્રાંચની ટીમનું કહેવું છે કે, હવે રોહિત શેખરની હત્યાનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે. આ મહિનાની ૧૬મી તારીખે પોલીસને રોહિતના સંદર્ભમાં માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં જાણવા મળ્યું હતું કે, ૧૦મી એપ્રિલના દિવસે રોહિત શેખર પોતાની માતા અને સંબંધીઓની સાથે ઉત્તરાખંડના કાઠગોદામમાં મત આપવા માટે ગયા હતા. ૧૫મી એપ્રિલના દિવસે પરત ફર્યા હતા. પરત ફર્યા બાદ રસ્તામાં તે પોતાની મહિલા સંબંધીની સાથે કારમાં શરાબ પીતો નજરે પડ્યો હતો. રાત્રે ભોજન બાદ તેની માતા અને સંબંધીઓ તિલકલેન ખાતે સ્થિત બંગલામાં જતા રહ્યા હતા. તેના સગાસંબંધીઓ પણ જતા રહ્યા હતા. ઘરના નોકર પણ ઉંઘવા જતા રહ્યા હતા. આ ચકચારી કેસમાં ઉંડી તપાસનો દોર ચાલી રહ્યો છે. રોહિતના મોતને હજુ સુધી સામાન્ય મોત તરીકે રજૂ કરીને માહિતી સપાટી પર આવી રહી હતી પરંતુ હવે નવા વળાંક આવ્યા છે. પુછપરછ કરવામાં આવ્યા બાદ શુક્લાની ધરપકડ કરી લેવામાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, સવારે બે વાગ્યાથી લઇને ચાર વાગ્યા વચ્ચેના ગાળામાં રોહિત શેખરની હત્યા કરવામાં આવી હતી. શેખર તિવારીની હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયા બાદ ઉંડી તપાસનો દોર શરૂ થઇ ચુક્યો છે. આ મામલામાં પુછપરછનો સિલસિલો શરૂ થઇ ચુક્યો છે. આગામી દિવસોમાં કેટલીક ચોંકાવનારી વિગતો સપાટી ઉપર આવે તેવી શક્યતા છે. રોહિત શેખરની પત્નીની પુછપરછ કરવામાં આવી ચુકી છે.
પોલીસને હજુ સુધી કેટલાક મામલામાં શંકા છે. હત્યાની શંકાને લઇને રોહિત શેખર તિવારીના પરિવારના સભ્યોની પુછપરછ કરવામાં આવી રહી છે. આ સંબંધમાં હાલમાં દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રોહિતની પત્નીની પુછપરછ કરવામાં આવી હતી. આ પહેલા શુક્રવારના દિવસે પોલીસે કહ્યુ હતુ કે રોહિતને હાર્ટ અટેકનો હુમલો થયો ન હતો. પરંતુ તેની ગળુ, મો અને નાક દબાવીને હત્યા કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે હત્યાથી પહેલા તેને શરાબમાં નશાની ચીજ આપી દેવામાં આવી હતી. બેભાન થઇ ગયા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. ગુરૂવારના દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ રોહિતના ગરદન પર પાંંચ આંગળીના નિશાન મળી આવ્યા છે. ગળુ દબાવવામાં આવે ત્યારે તેનો આવાજ ન આવે તે માટે આ ક્રુર રીતિ અજમાવવામાં આવી હતી. હત્યાની શંકા થયા બાદ પોલીસે ઘરના પાંચ સીસીટીવી પર રહેલા ફોટો નિહાળ્યા હતા. એકમાં સોમવારના દિવસે નશામાં રોહિત સીડી ચઢતો દેખાય છે. સાથે સાથે શરાબ હાથમાં લઇને જતો નોકર નજરે પડે છે.હત્યા કરનાર શખ્સ કોઇ ઘરની અંદરની વ્યક્તિ હોઇ શકે છે.
ક્રાઇમ બ્રાન્ચે ઘરમાં રહેલા તમામ લોકોને સાફ શબ્દોમાં કહ્યુ છે કે જ્યાં સુધી તપાસ પૂર્ણ કરવામાં ન આવે ત્યાં સુધી કોઇ વ્યક્તિ ઘર છોડીને બહાર ન જાય.
અત્રે નોંધનીય છે કે મંગળવારના દિવસે ચાર વાગ્યા ડિફેન્સ કોલોની સ્થિત સી-૩૨૯ સ્થિત પોતાના આવાસમાં રોહિત શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો. હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા બાદ તેને મૃત જાહેર કરાયો હતો. રોહિત શેખર તિવારીની માતા ઉજ્જવલા તિવારીના પુત્રના મોતના મામલાને અગાઉ સામાન્ય તરીકે ગણાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, રોહિત શેખર હત્યાના મામલામાં ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. એવું જાણવા મળ્યું છે કે, રોહિત શેખરની ગળુ દબાવીને હત્યા કરવામાં આવી હતી. પત્નીઅપૂર્વા સાથે લડાઈ ઝઘડો થયા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. તેમના લગ્ન જીવનમાં ખુબ જ ખેંચતાણ ચાલી રહી હતી જેમાં અપૂર્વાએ રોહિતની હત્યા કરી હતી. હત્યા બાદ આગામી ૯૦ મિનિટમાં અપૂર્વાએ તમામ પુરાવા દૂર કરી દીધા હતા. મોડેથી તપાસમાં પોલીસને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. પોલીસે પૂછપરછ અને તપાસ બાદ ૧૫ અને ૧૬મી એપ્રિલની રાત્રે હત્યા કરવામાં આવી હોવાની વાત કરી છે. પોલીસના કહેવા મુજબ ૧૫મી અને ૧૬મી રાત્રે તેની હત્યા કરવામાં આવી હતી. બંનેના લગ્નજીવનમાં ખેંચતાણ ચાલી રહી હતી. મહિલાની સાથે શરાબ પીવા બદલ અપૂર્વા અને રોહિત વચ્ચે લડાઈ ઝઘડો થયો હતો. રાત્રે એક વાગ્યાની આસપાસ આ હત્યા થઇ હતી. રોહિતને ઇન્સોમેનિયાની તકલીફ હતી અને તે સામાન્યરીતે મોડી રાત સુધી જાગતો હતો. મોડી રાત સુધી તે ઉંઘતો હતો જેથી ઘરમાં લોકોને શંકા ગઇ ન હતી.
મર્ડરના સંદર્ભમાં પોલીસે માહિતી આપતા કહ્યું છે કે, અપૂર્વાએ અગાઉથી યોજના તૈયાર કરી ન હતી. લગ્નમાં પરેશાની મુખ્ય કારણ હોઈ શકે છે. રોહિત શેખર અને તેના પરિવારના સભ્યો તલાકને લઇને વિચારી રહ્યા હતા. ડિફેન્સ કોલોનીમાં રોહિતનો આવાસ અને તેના ભાઈને મળવાની શક્યતા હતા.

Related posts

ભારતમાં બેરોજગારીનો દર ૮%

aapnugujarat

मुंबईः परेल रेलवे स्टेशन के फुटओवर फ्रिज पर भगदड, २२ की अधिक मौत

aapnugujarat

કમલનાથ મંત્રીમંડળમાં ૨૮ ધારાસભ્યને મંત્રી બનાવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1