પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (લોહિયા)ના અધ્યક્ષ શિવપાલ સિંહ યાદવે લોકોને સપા અને બસપાના ગઠબંધનથી ચેતવતા જણાવ્યું કે, ‘આ બન્ને પાર્ટીઓ અફવા અને જૂઠાણાં ફેલાવવામાં માહેર છે.’ ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદમાં તેમએ એક જાહેર સભામાં ઉપરોક્ત નિવેદન કર્યું હતું.
શિવપાલ યાદવે ફિરોઝાબાદ બેઠકથી લોકસભા ચૂંટણી પણ લડી રહ્યા છે. તેઓ ભત્રિજા અને સપાના વર્તમાન સાંસદ અખિલેશ યાદવે સામે ચૂંટણી લડશે. શિવપાલે વધુમાં જણાવ્યું કે, ‘સપા-બસપાનું ગઠબંધન ખેડૂતો, યુવાઓ, ઉદ્યોગપતિઓ, મહિલા તેમજ લઘુમતિ સહિત સમાજના દરેક વર્ગ સાથે વિશ્વાસઘાત કર્યો છે.’
વર્તમાન સાંસદ અખિલેશને આડેહાલ લેતા શિવપાલે લોકોને સ્થાનિક કાંચ ઉદ્યોગને બચાવવા જણાવ્યું હતું. તેમણે આ ઉદ્યોગની અવગણના કરવા બદલ અખિલેશની ટિકા કરી હતી. શિવપાલે જણાવ્યું કે, ‘ચૂંટણીમાં મારો વિજય થશે તો હું પશ્ચિમ બંગાળમાં કામ કરતા મજૂરો માટે અહીં કોલોની સ્થાપીશ અને આ ક્ષેત્રમાં રોજગારીનું કેન્દ્ર સ્થાપીશ.