Aapnu Gujarat
બ્લોગ

હાર્દિકને થપ્પડ ભાજપને નુકસાન

કૉંગ્રેસના સ્ટારપ્રચારક હાર્દિક પટેલને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના બલદાણા ખાતે જાહેરસભામાં લાફો મારવામાં આવ્યો છે.પટેલનો આરોપ છે કે આ હુમલા પાછળ ભાજપનો હાથ છે. તેમણે કહ્યું હતું કે આગામી દિવસોમાં તેઓ આ મામલો જનતાની વચ્ચે લઈ જશે.કૉંગ્રેસે કહ્યું કે જનતા તા. ૨૩મી એપ્રિલે આ થપ્પડનો જવાબ આપશે.ભાજપનું કહેવું છે કે આ ઘટનાને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે.આ ઘટનાને કારણે પાટીદારોમાં હાર્દિક પટેલ પ્રત્યે સહાનુભૂતિનું મોજું સર્જાશે.આચાર્ય જણાવે છે, આ ઘટનાથી ૧૦૦ ટકા હાર્દિક પટેલ માટે સહાનુભૂતિ ઊભી થશે. પાટીદારોમાં ’આપણા દીકારાને માર પડ્યો’ એવી લાગણી જન્મશે.જેથી હાર્દિક પટેલથી વિમુખ થયેલા પાટીદારો પણ પરત ફરી શકે છે. વળી, પાટીદારોની બહુમતી ધરાવતા સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારો, ખાસ કરીને ગામડાંમાં ભાજપને નુકસાન થશે.આચાર્યના મતે આ ઘટનાને કારણે ભાજપ બચાવમાં આવી ગયું છે. જોકે, એમ છતાં પણ ભાજપને નુકસાન ચોક્કસથી થશે જ.શુક્રવારે સવારે હાર્દિક પટેલ જનઆક્રોશ સભા સંબોધી રહ્યા હતા ત્યારે અચાનક એક શખ્સ સ્ટેજ ઉપર ધસી આવ્યો હતો અને હાર્દિકને લાફો માર્યો હતો.તત્કાળ આજુબાજુના લોકોએ હુમલાખોરને ઘેરી લીધો હતો અને તેને ઢોરમાર માર્યો હતો.પાટીદાર અનામત આંદોલન સમિતિના બ્રિજેશ પટેલના કહેવા પ્રમાણે : હુમલા બાદ ગામની મહિલાઓએ તેને માર માર્યો હતો. તેનાં કપડાં ફાટી ગયાં હતાં. તેની પાસેથી છરી પણ મળી આવી હતી.હાર્દિક પટેલે ક્હ્યું, આ ઘટનાથી મને કોઈ ફેર નહીં પડે. હું લોકો વચ્ચે જઈશ અને જણાવીશ કે ભાજપ મને મારી નાખવા માગે છે.આ હુમલા પાછળ ભાજપનો હાથ છે, તે મારા જેવા યુવાનને મરાવી નાખવા માગે છે.હાર્દિકે ઉમેર્યું હતું કે આ અંગે ફરિયાદ અંગે ઉચ્ચ નેતાઓ સાથે મળીને નિર્ણય લેશે.હાર્દિક પટેલે આ ઘટના મામલે ટિ્‌વટર પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આજે થપ્પડ મારવાનો પ્રયાસ થયો છે પરંતુ કાલે ભાજપ મને ગોળી મરાવશે. હું ખેડૂતો અને યુવાનોના મુદ્દાઓ ઉઠાવું છું.કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કહ્યું હતું કે ’હાર ભાળી ગયેલી ભાજપ ગુંડાગીરી ઉપર ઊતરી આવી છે.પાટીદાર અનામત આંદોલનથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાત સરકારને આંખમાં કણાની જેમ કટકતા તેમજ ભાજપ જેમને કૉંગ્રેસનો એજન્ટ ગણાવતો આવ્યો છે, એ વીરમગામના હાર્દિક પટેલ આખરે કૉંગ્રેસમાં જોડાઈ ગયા.તેમના પર આરોપ મૂકાયો છે કે તેમણે પોતાની રાજકીય કારકિર્દી બનાવવા માટે પાટીદારોની લાગણીઓનો હાથા તરીકે ઉપયોગ કર્યો છે.હવે ૨૫ વર્ષના થયેલા અને ચૂંટણી લડવા પાત્ર ઉંમરે પહોંચેલા હાર્દિક પટેલને જ્યારે કૉંગ્રેસના એજન્ટ હોવાના આરોપ અને વિરોધપક્ષમાં જોડાવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યુંઃભારતમાં આજકાલ સામાજિક અને રાજકીય માહોલ જ એવો છે કે લોકો વસ્તુઓને જેવી છે તેવી જોવા તૈયાર નથી. એક વાર પણ નહીં.દરેક સામાજિક આંદોલનને શંકાની નજરથી જોવામાં આવે છે. આપણું મીડિયા અને રાજકારણીઓ દરેક જનઆંદોલનો પાછળ કોઈ છૂપો આશય શોધી કાઢવા માગે છે. એમને બસ કોઈને કોઈ ભેદી ચીજ શોધી કાઢવી હોય છે.પછી પરિણામ શું આવે છે? બધા એ જાણવા લાગી પડે છે કે કોણ કોની નજીક છે? કોણે કોની સાથે કયા કારણથી સંબંધો રાખ્યા કે તોડ્યા? આમ કરવાથી સત્તા કે ચૂંટણીના મેદાનમાં તેને જીત મળશે કે નહીં?આવો જ માહોલ હતો, જ્યારે સરકારી નોકરીઓ અને શિક્ષણક્ષેત્રે પાટીદારો માટે ઓબીસી કૅટેગરીમાં અનામતની માગ લઈને અમે ૨૫ ઑગસ્ટ, ૨૦૧૫ના દિવસે અમારી પહેલી વિરાટ સભા યોજી હતી.સભાની જંગી સફળતા પાછળનાં સાચાં કારણો શોધવાને બદલે લગભગ દરેક જણ એવી ચર્ચા કરતો હતો કે અમદાવાદના વિશાળ જીએમડીસી ગ્રાઉન્ડ પર પાટીદારોની આટલી મોટી રેલી પાછળ કોનો સહકાર છે? ૧૫ લાખથી વધુ લોકો ત્યાં આવ્યા હતા અને મને ખબર છે તેઓ પોતાની જાતે ત્યાં આવ્યા હતા.એક ૨૨ વરસનો છોકરો જેને ઉત્તર ગુજરાતની બહાર ભાગ્યે જ કોઈ જાણે છે તે આટલા બધા લોકોને ભેગા કેવી રીતે કરી શકે? એને પૈસા ક્યાંથી મળ્યા?કોઈના પીઠબળ વિના આટલી મોટી સભા કરવી શક્ય નથી. આની પાછળ કોઈને કોઈ તો એવું છે જ જેને આમાંથી રાજકીય લાભ મળી રહ્યો છે. પણ કોણ અને કેવી રીતે?અમે જમીની પ્રશ્નો પર કામ કરી રહ્યા છે અને યુવાનો ઇચ્છે છે કે અમે કંઈક કરીએ. હું પણ એ લોકો પૈકીનો જ એક હતો. અમે અમારા ભવિષ્યને લઈને ચિંતિત હતા.લોકો અહીં આપમેળે આવ્યા હતા, કોઈના પીઠબળના કારણે નહીં. મારી વાત પર ભરોસો રાખજો. કોઈ પણ રાજકીય પાર્ટી સાથે સંલગ્ન ન હોય તેવી મારી ઘણી સભાઓમાં એક વાત હું વારંવાર કહી ચૂક્યો છું કે ગુજરાતમાં ભાજપને સત્તામાંથી ઉખાડવા હું મારા શ્રેષ્ઠ પ્રયત્નો કરીશ.પાટીદારો ઘણા દાયકાઓ સુધી ભાજપની સાથે રહ્યા છે પણ અમારી પેઢી કે જેણે છેલ્લાં ૨૫ વર્ષથી ગુજરાતમાં બીજી કોઈ પાર્ટીનું શાસન જોયું નથી તે ભાજપને લઈને નિરાશ છે.રાજ્યમાં જ્યારે બે જ મુખ્ય રાજકીય ધારાઓ હોય ત્યારે સીધી વાત છે તે પૈકી એક શાસક પક્ષની જ હોવાની. આ કેસમાં એ ભાજપ છે. એટલે સ્વાભાવિક રીતે લોકો માગ પણ ભાજપ પાસે જ કરે અને પાટીદારોની અપેક્ષા પણ ભાજપ પાસે જ હોય.લડત ભાજપ સામે હતી એટલે સ્વાભાવિક રીતે જ ડિસેમ્બર-૨૦૧૫ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અને પછી ડિસેમ્બર-૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીઓમાં કૉંગ્રેસને તેનાથી મોટો ફાયદો થયો. પણ વાત બસ આટલી જ છે. તો આમાં કોણે શું પેંતરો કર્યો અને કોને શું લાભ મળ્યો? બધા આ અંગે ચર્ચાઓ અને અનુમાનો કરે છે અને આરોપો લગાવ્યા કરે છે.પરંતુ કમનસીબે કોઈ આખા ચિત્રને જોતું નથી. ચાલો, આપણે આને સમજીએ.ધારો કે અમારા આંદોલનને કૉંગ્રેસનો સાથ હોય તો પણ શું થયું? મુદ્દો એ છે કે એક આંદોલન ઊભું થયું, તે આગળ ચાલ્યું, તેણે સમાજને આંદોલિત કર્યો અને એક પ્રબળ રાજકીય પ્રભાવ પાડ્યો.માત્ર ગુજરાતમાં જ નહીં, સમગ્ર દેશમાં એક યા બીજી રીતે તેના પડઘા પડ્યા. ડિસેમ્બર-૨૦૧૭માં ભાજપ હાર્યો કે જીત્યો તે મુદ્દો નથી. મુદ્દો છે કે એક આંદોલને જન્મ લીધો, તેને લોકોનો સાથ મળ્યો અને તે ટક્યું.ગુજરાતમાં કોઈએ વિચાર્યું નહીં હોય તેટલી પાતળી સરસાઈથી ભાજપ જીત્યો અને ખુદ નરેન્દ્ર મોદીને પણ પરસેવો વળી ગયો. અમે પાટીદાર યુવાનો સાથે સંબંધનો એક એવો મજબૂત સેતુ રચ્યો છે જે ગમે તેટલા પૈસા કે રાજકીય તાકાતથી સર્જી શકાય એમ નથી.હાર્દિક પટેલ સાચું કહે છે. આ એક એવો માણસ હતો જે અચાનક ક્યાંકથી પ્રગટ થયો અને તેમણે નરેન્દ્ર મોદીના રાજકારણ અને નીતિઓને પડકારીને તેમની સામે સવાલો ઉઠાવ્યા, અને એ પણ ગુજરાતમાં.ઘણી વાર તો તેને ઉત્સાહથી સાંભળવા નરેન્દ્ર મોદીની સભાઓથી પણ વધુ જનમેદની ઉભરાતી.આ ઉત્સાહ માત્ર પાટીદારો મર્યાદિત નહોતો. દરેક નાતિ-જ્ઞાતિના યુવાનો તેની સભામાં આવતા. કોઈએ આવું વિચાર્યું નહોતું.હાર્દિકના વ્યક્તિત્વમાં અસામાન્ય કહી શકાય એવું કંઈ નહોતું. પણ તેમણે ઉઠાવેલા પ્રશ્નો સાથે અનેક યુવાનો તરત પોતાની જાતને જોડી શક્યા.
પાટીદારો કદાચ કોઈ એવી વ્યક્તિની તલાશમાં હતા જે નવા વિચારો અને નવીન ઊર્જા લઈને આવે, અને કદાચ હાર્દિક પટેલ તેમનામાં આ અનુભૂતિ જન્માવી શક્યા.પાટીદારો, ખાસ કરીને યુવાનો તેમને માનવા લાગ્યા. કદાચ તેઓ કોઈ એવી વ્યક્તિની શોધમાં હતા જે ભાજપના દાયકાઓથી ચાલ્યા આવતા ’વોટબૅન્ક પૉલિટિક્સ’ સામે પ્રશ્ન ઉઠાવે અને જે સમાજને સાથે લાવીને વાસ્તવિક પરિવર્તન લાવી શકે.સરકારમાં પટેલ મંત્રીઓ મોટા પ્રમાણમાં હતા એ દલીલ ચવાઈ ગઈ હતી અને તેનાથી પાટીદારોને કોઈ સાંત્વના મળે એમ નહોતું.મંત્રીઓની વધારે સંખ્યાથી પાટીદારોના પ્રશ્નોમાં કોઈ ઘટાડો થયો હોય એમ તેમને લાગતું નહોતું. આ હકીકત સામે તેઓ લડત આપી રહ્યા હતા.લોકોમાં દબાયેલી આ લાગણીને હાર્દિકે વેગ આપ્યો. કારણ કે તે કોઈ બહારની વ્યક્તિ નહોતી, તેઓ પોતે આ સ્થિતિનો ભોગ બની ચૂક્યા હતા.તેમનાં બહેન એક તેજસ્વી વિદ્યાર્થિની હતાં પણ અન્ય અનામત શ્રેણીના એક વિદ્યાર્થીના કારણે તેમણે એડમિશન ગુમાવવું પડ્યું હતું.સૅકન્ડ-ક્લાસ ગ્રૅજ્યુએટ એવા હાર્દિક કહે છે કે તેમને હાલ અનામત મેળવી રહેલા લોકો સામે કોઈ વાંધો નથી.સદીઓ સુધી તેમને સામાજિક અને આર્થિક રીતે વંચિત રાખવામાં આવ્યા હતા. આથી તેઓ અનામત મેળવવાને પાત્ર છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિના ઉદ્ભવ પાછળ ગુજરાતમાં નવી ઊભી થયેલી સામાજિક-રાજકીય-આર્થિક પરિસ્થિતિઓ કારણભૂત હતી, જેને સમજવી જરૂરી છે.હાર્દિક પટેલ એક એવી પેઢી માટે વાત કરી રહ્યા છે કે જે નથી પૂરેપૂરી શહેરી કે નથી પૂરેપૂરી ગ્રામીણ. તે નથી પૂરેપૂરી ગરીબ કે નથી પૂરેપૂરી અમીર.
આ એક એવી પેઢી છે જે જટિલ પ્રકારની સામાજિક, આર્થિક અને રાજકીય સ્થિતિઓનાં ત્રિભુજમાં અટવાયેલી છે. આ પેઢી કોઈના હક્ક છીનવવા માગતી નથી, તેને પોતાના અધિકાર જોઈએ છે.આ ૮૦ના દાયકામાં ગુજરાતમાં થયેલી અનામત વિરોધી હિંસક ચળવળથી સાવ વિપરીત છે.વિશ્વ હિંદુ પરિષદ મુસ્લિમો સાથે જે રીતે વર્તે છે કંઈક એવી જ રીતે એ વખતે પાટીદાર અને દરેક સવર્ણ જ્ઞાતિઓ દ્વારા દલિત અને ઓબીસી વિરુદ્ધ ઉગ્ર તિરસ્કાર ફેલાવવામાં આવ્યો હતો.
અત્યારે તો પાટીદારોને ઓબીસીનો હિસ્સો બનવું હતું. અહીં એ સમજવું જરૂરી છે કે ’પાસ’ એ કોઈ એક જ જ્ઞાતિનો અવાજ હતો એમ નહોતું.શિક્ષણ દિવસે દિવસે મોંઘું બની રહ્યું હતું. પરિણામે, એક આખી પેઢી એવી હતી જેના માટે જરૂરી શૈક્ષણિક લાયકાત મેળવવી તેમજ નોકરી મેળવીને શહેરી માહોલમાં ટકવું મુશ્કેલ બની ગયું હતું.વળી આ સ્થિતિ પણ ત્યારે પેદા થઈ હતી જ્યારે ગુજરાતમાં કૃષિક્ષેત્ર મુશ્કેલીમાં હતું.યુવાનો કૃષિમાં જવા નહોતા માગતા કે પછી કૃષિમાં તેમને લાંબું ભવિષ્ય દેખાતું નહોતું.આ જ કારણ છે જેથી હાર્દિક પટેલની રેલીઓ માત્ર પાટીદાર જ નહીં પણ દરેક જ્ઞાતિના વીસ-ત્રીસેક વર્ષના યુવાનોથી છલકાઈ જતી.

Related posts

ढेर होना ब्रिटिश प्रधानमंत्री का

aapnugujarat

જેનું પણ છે લખાણ ગમ્યું

aapnugujarat

કરૂણાનિધિ ક્યારેય ચુંટણી હાર્યા નથી….

aapnugujarat

Leave a Comment

UA-96247877-1