આગામી તા.૧૯ એપ્રિલ શુક્રવારનાં રોજ અમદાવાદ ખાતે અખિલ ગુજરાત રાજુપત યુવા સંઘ દ્વારા ગિરાસદાર રાજપુત યુવાન દીકરા – દીકરીઓને પસંદગીની વિશાળ તક પુરી પાડવા યુવા મેગા પરિચય મિલન – ૨૦૧૯ કાર્યક્રમ યોજાશે. સમગ્ર કાર્યક્રમ સરદાર પટેલ મેમોરીયલ ટ્રસ્ટ, સર્કીટ હાઉસ પાસે, એરપોર્ટ રોડ, શાહીબાગ, અમદાવાદ ખાતે સવારનાં ૯ થી સાંજનાં ૬ સુધી યોજાશે.
આ પરિચય મિલન કાર્યક્રમમાં માત્ર ગિરાસદાર રાજપુત ક્ષત્રિયો (દરબાર) જ ભાગ લઈ શકશે તથા તે માટેનાં ફોર્મ્સ તા. ૧૦-૦૪-૨૦૧૯ સુધીમાં ભરીને નીચે દર્શાવેલ સરનામે આપવાનાં રહેશે. વ્યક્તિદીઠ રૂપિયા ૨૦૦ રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે, જેમનાં ફોર્મ્સ માન્ય થયા હશે તેઓને જાણ કરવામાં આવશે. દીકરા – દીકરીઓ સાથે વાલીઓએ આપવવાનું ફરજીયાત છે. એકલા દીકરા દીકરીઓ કે એકલા વાલીઓ આવી શકશે નહીં, જેઓનાં દીકરા – દીકરીઓ વિદેશમાં હોય તેઓ સાબિતી આપશે તો માત્ર વાલીઓને પ્રવેશ મળશે.
ફોર્મ મેળવવા તથા આપવાનું સરનામું આ પ્રમાણે છે. બાશ્રી નયનાબા મહેન્દ્રસિંહજી જાડેજા ભવન, ભુદરપુરા રોડ, સી.એન.વિદ્યાલયની પાછળ, આંબાવાડી, અમદાવાદ – ૩૮૦ ૦૧૬. સંપર્કર નંબરો આ પ્રમાણે છે. (૧) ઈન્દ્રસિંહ રાણા – ૯૯૦૯૫ ૯૭૦૯૫ (૨) ભરતસિંહ જાડેજા ૮૪૦૧૨ ૪૩૨૭૨ (૩) ઈન્દ્રસિંહ ચુડાસમા ૮૧૨૮૨ ૯૪૨૯૯ (પશ્ચિમ). સ્થળ :- કુળદેવી મંદિર, અસારવા, અમદાવાદ. સંપર્ક માટેનાં નંબરો :- દિલીપસિંહ ઝાલા ૯૮૨૫૫ ૮૨૮૧૯ (૨) જયપાલસિંહ ચુડાસમા ૯૭૨૫૭ ૦૯૩૭૦ (પૂર્વ) ઓનલાઈન સંપર્ક સૂત્ર (૧) રૂપેન્દ્રસિંહ ઝાલા ૮૯૮૦૦ ૦૫૧૦૦ (૨) સંદીપસિંહ સિસોદીયા ૯૭૨૫૧ ૯૪૧૫૭ http://bit.do/rajpitmegaparichay ઉપર સંપર્ક કરવા મુખ્ય આયોજન સમિતિનાં શ્રી ડૉ. જયેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું છે.
આગળની પોસ્ટ