Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગોવામાં પ્રમોદ સાવંત સરકારે બહુમતિ પુરવાર કરી

ગોવાના મુખ્યમંત્રી મનોહર પારીકરના અવસાન બાદ પ્રમોદ સાવંતના નેતૃત્માં ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે ગૃહમાં બહુમત પૂરવાર કર્યો હતો. હાલમાં ગૃહમાં સંખ્યા ૩૬ની છે. બહુમતિ માટે સરકારને ૧૯ ધારાસભ્યોની જરૂર હતી. ફ્લોર ટેસ્ટ દરમિાયન ૨૦ ધારાસભ્યનું સમર્થન મળ્યું હતું જ્યારે ૧૫ ધારાસભ્યોએ વિપક્ષને મત આપ્યો હતો. ફ્લોર ટેસ્ટ દરમિયાન સાવંત સરકારને ભાજપના ૧૧, એમજીપીના ત્રણ, જીએફઈના ત્રણ અને અન્યોના ત્રણનો સાથ મળ્યો હતો. કોંગ્રેસના ૧૪, એનસીપીના એક ધારાસભ્યએ વિરોધમાં મત આપ્યા હતા. ભાજપના કુલ ૧૨ ધારાસભ્યોમાંથી સાત ધારાસભ્ય લઘુમતિ સમુદાયના છે. મનોહર પારીકરના અવસાન બાદ રાજકીય ખેંચતાણ વચ્ચે પ્રમોદ સાવંતને ૧૧ મંત્રીઓની સાથે શપથ અપાવવામાં આવી હતી. પ્રમોદ સાવંતે ૧૧ મંત્રીઓની સાથે મોડી રાત્રે બે વાગે શપથ લીધા હતા. પારીકરના અવસાન બાદ સરકાર બનાવવા માટે એમજેપી અને જીએફઈને મનાવવા ભાજપને ભારે મહેનત કરવી પડી હતી. બંને પાર્ટીઓના ત્રણ-ત્રણ ધારાસભ્યો છે. બંને પાર્ટીઓના નેતાઓને નાયબ મુખ્યમંત્રી પદની ઓફર આપવામાં આવી ત્યારે આ બંને સરકારને સમર્થન આપવા તૈયાર થયા હતા. મનોહર પારીકરના અવસાન બાદ સરકારને ફરીથી બહુમતિ મેળવવાની ફરજ પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગોવાના મુખ્યપ્રધાન અને ભૂતપૂર્વ કેન્દ્રિત પ્રધાન મનોહર પારિકરનું ૧૭મી માર્ચના દિવસે મોડી સાંજે અવસાન થયું હતું. ત્યારબાદ ૧૮મી માર્ચના દિવસે પારીકરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના અવસાન બાદ સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત પણ કરવામાં આવ્યા બાદ ગોવામાં તમામ ઇમારતો પર રાષ્ટ્રીય ધ્વજઅડધી કાઠીએ રહેશે. રવિવારે સાંજે પારિકરનુ લાંબી માંદગી બાદ અવસાન થતાં ભાજપમા અને તેમના સમર્થકોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. ૬૩ વર્ષીય મનોહર પારીકર લાંબા સમયથી કેન્સરથી ગંભીર સંઘર્ષ કરી રહ્યા હતા. ફેબ્રુઆરી ૨૦૧૮માં જ મનોહર પારીકરને પેનક્રિયાટીક કેન્સર હોવાની જાણ થઇ હતી. તેઓ ગોવા, મુંબઈ, દિલ્હી અને ન્યુયોર્કની હોસ્પિટલમાં સારવાર લઇ ચુક્યા હતા. જે દિવસોમાં તેઓ ગંભીર બિમાર હતા ત્યારે પણ રાજ્યની વિધાનસભામાં ૨૦૧૯-૨૦નું બજેટ કરવા માટે પહોંચ્યા હતા. જૂન ૧૯૯૧માં મનોહર પારીકરે રાજનીતિમાં એન્ટ્રી કરીને નોર્થ ગોવા બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી હતી પરંતુ કોંગ્રેસના ઉમેદવાર સામે હારી ગયા હતા. ચાર સભ્યો સાથે ગોવા વિધાનસભામાં નવેમ્બર ૧૯૯૪માં ભાજપે એન્ટ્રી કરી હતી. મનોહર પારીકર નંબર ૧૩ને લઇને હંમેશા શુભ ગણતા હતા.

Related posts

નાગાલેન્ડમાં ત્રણ આતંકી ઠાર

aapnugujarat

गांधी-पटेल के पिता के नाम से जेटली का कांग्रेस पर निशाना

aapnugujarat

26/11 मुंबई हमले का मास्टरमाइंड हाफिज सईद दोषी करार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1