ભારતમાં છેલ્લા કેટલાય સમયથી જમ્મુ કાશ્મીર માં આતંકી હુમલાઓ થાય છે ત્યારે તાજેતર માં ભારત દેશની ગુપ્તચર શાખાએ ભારત માં ૨૫ થી વધુ આતંકવાદીઓ ઘુસ્યા હોવાનું એલર્ટ આપ્યું છે. ત્યારે રાજ્યના ગૃહ વિભાગે રાજ્યની તમામ સરહદો પર હાઈ એલર્ટ આપ્યું છે.
અરવલ્લી જિલ્લાના ગુજરાત અને રાજસ્થાનને જોડતી રતનપુર બોર્ડર પર પણ આતંકવાદી ઓની દહેશતને લઇ પોલીસતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વાહનો નું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સાથે સાથે રાતનપુર બોર્ડરથી નજીક આવેલા યાત્રાધામ શામળાજી મંદિરે તેમજ અંબાજી મંદિરે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કોઈ પણ આતંકી પ્રવૃત્તિ કે બીજો કોઈ અનિચ્છનીય બનાવના બને તે માટે જિલ્લા પોલીસતંત્ર દ્વારા સતર્કતા દાખવી ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે
પાછલી પોસ્ટ