મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજય સરકાર રાજયમાં સરફેસ વોટરને પ્રાધાન્ય આપીને આગામી પાંચ વર્ષમાં હેન્ડ પમ્પ ફ્રી ગુજરાતના ધ્યેય સાથે કાર્ય કરી રહી છે જેના કારણે આદિજાતિ વિસ્તારમાં ગામ ફળિયામાં પીવાનું પાણી મળી રહેશે. આદિજાતિ સલાહકાર સમિતીની બેઠકના અધ્યક્ષસ્થાનેથી મુખ્યમંત્રીએ રાજય સરકાર આદિજાતિઓના હિતને હંમેશા પ્રાધાન્ય આપે છે એમ જણાવી ઉમેર્યું હતું કે, પેસા એક્ટની અમલવારી દેશભરમાં સુચારૂ રીતે કરવાના કારણે ગુજરાતને બે વખત એવોર્ડ પ્રાપ્ત થયા છે.