હેપેટાઇટીસ વાયરસ અંગે સમાજમાં જાગરૂકતા લાવા માટે અમિતાભ બચ્ચને એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારે બિગ બીએ પોતાની વાત કરીને લોકોને આશ્ચર્યમાં મુકી દીધા હતા.
મુંબઇમાં યોજાયેલા એક સમારંભમાં અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે,’’ આ બીમારીથી પીડાતા લોકો સાથે થતું વર્તન જોઇને મને બહુ દુઃખ થાય છે.મને એવું જાણવા મળ્યું છે કે, આ બીમારીથી પીડાતી મહિલાઓને ઘરમાંથી હાંકી કાઢવામાં આવે છે. ઘણા દેશ એવા છે કે જેઓ આ વાયરસ ધરાવતી વ્યક્તિને પોતાના દેશમાં આવવાની પરવાનગી આપતા નથી.
પરંતુ મારું વ્યક્તિત્વ, મારો અવાજ આ અન્યાય વિરુદ્ધ ઉપયોગમાં આવે તો હું ચોક્કસ સહયોગ આપવા રાજી છું. તેમણે વધુમાં કહ્યુ હતુ કે, હું હેપેટાઇટીસ બીથી પીડાઇ રહ્યો છું. મને આ દરદથી ઘણી તકલીફ છે, પરંતુ આજે હું જીવંત છું. મારુ ંલીવર ૭૫ ટકા જેટલું નકામું થઈ ચૂક્યું છે.
ફક્ત ૨૫ ટકાની ક્ષમતાએ કાર્યરત છે. મને કહેવામાં આવ્યું છે કે, લીવર ૧૨ ટકા જેટલુ પણ કામ કરે તો વ્યક્તિ જીવી શકે છે. મારી જીવનચર્યામાં મને કોઇ તકલીફ નથી. હું એક સાધારણ જીવન જીવી રહ્યો છું. કામ કરું છું અને લોકો મને જ્યાં બોલાવે છે ત્યાં જાઉં છું.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ