Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ચૂંટણી પહેલાં જ કેમ વડાપ્રધાન સફાઇકર્મીઓના પગ ધોઇ રહ્યા છે ?ઃ ચંદ્રાબાબુ નાયડુ

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચન્દ્રાબાબુ નાયડૂએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. નાયડૂએ પીએમ મોદી અંગે જણાવ્યું હતું કે, તેઓ એક સારા એક્ટર છે. અમરાવતીમાં એક સભાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, પીએમ મોદી કયારે કોઇના નમસ્કારનો જવાબ આપતા નહતા. તેઓ અડવાણીના અભિવાદનને પણ ઝીલતા નથી. એટલું જ નહીં તેમણે તેમના ગુરુને પણ દગો આપ્યો હતો. પીએમ મોદીથી વધારે સારા કોઇ એક્ટર નથી.
તેદપાના અધ્યક્ષ એન ચન્દ્રાબાબુ નાયડૂએ જણાવ્યું હતું કે, તેઓ ચૂંટણી પહેલા સફાઇકર્મીઓના પગ ધોઇ રહ્યા છે. આ કર્મચારીઓ તો ગત ચાર વર્ષથી કામ કરી રહ્યા છે, ત્યારે તો પીએમ મોદીએ સફાઇકર્મીઓના પગ ધોયા નહતા.નોંધનીય છે કે, રવિવારે પીએમ મોદી પ્રયાગરાજ ગયા હતા. અહીંયા તેમણે કેટલા સફાઇકર્મીઓના પગ સાફ કર્યા હતા. આ સાથે જ તેમણે સફાઇકર્મીઓને સમ્માનિત પણ કર્યા હતા.

Related posts

HM Amit Shah at Mumbai, said- Had there been no ceasefire, PoK would have been part of India

aapnugujarat

વિપક્ષના હોબાળા વચ્ચે રાજ્યસભામાં ત્રીજુ ખેડૂત બિલ પણ પાસ

editor

ચીન સાથેનો વેપાર બંધ કરવામાં આવે : કેજરીવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1