કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા પર થયેલ હુમલાના પ્રયાસને વખોડી કાઢવા તથા તેમની સેવાનું સમર્થન કરવા આજ રોજ વલ્લભી અસ્મિતા મંચ દ્વારા વલ્લભીપુર નગરમાં વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવેલ. આ રેલીમાં સેંકડોની સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાય અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાનું સમર્થન કરેલું હતું તથા સરકારશ્રીને આવેદન પત્ર આપીને હુમલાનો વિરોધ નોંધાવી આ અંગે કાર્યાવાહી કરવા માંગ કરેલ હતી.