Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પુલવામા હુમલાનો રાજકીય લાભ લેનારને પ્રજા માફ કરશે નહીં : કોંગ્રેસ

પુલવામાની ઘટના અંગે ભાજપ અધ્યક્ષ અમિત શાહના નિવેદન પર કોંગ્રેસે પલટવાર કર્યો છે. કોંગ્રેસ પાર્ટીએ જણાવ્યું હતું કે, જે લોકો આ મામલે રાજકીય લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમને દેશની પ્રજા માફ નહીં કરે. પાર્ટીએ જણાવ્યું હતું કે, તેઓ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે કયારેય રાજકારણ કરી શકતા નથી અને તેઓ પોતાના જવાનો અને સરકાર સાથે ઉભા છે.
ભાજપ અધ્યક્ષ અમિત શાહે રાજસ્થાનમાં સોમવારે આપેલા નિવેદન અંગે પૂછેલા પ્રશ્ન પર કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતુ કે, દેશના નાગરિક તરીકે અમને પુલવામાની ઘટના પર આક્રોશ પ્રકટ કરવાનો અધિકાર છે. પરંતુ જ્યારે કોઇ રાજકીય પાર્ટી રાજકારણ કરે છે તો તેઓ રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મને લાગે છે કે, દેશની પ્રજા આને યોગ્ય સમજશે નહી અને માફ પણ નહીં કરે.
ઉલ્લેખનીય છે કે, જયપુરના સૂરજ મેદાનમાં અમિત શાહે જણાવ્યું હતું કે, આ જવાનોએ અમારી સેના, અમારા સુરક્ષાદળોની વીરતાની પરંપરાને આગળ વધારવાનું કાર્ય કર્યું છે, આ અંગે હું ફક્ત એટલું કહેવા માગું છું કે, ભાજપની નરેન્દ્ર મોદી સરકાર આમનું બલિદાન વ્યર્થ જવા દેશે નહી.

Related posts

દિલ્હીથી રાંચી લવાયા બાદ લાલૂ રિમ્સમાં : અનેક ટેસ્ટ

aapnugujarat

સાત મહિનાની ગર્ભવતીને રસ્તા વચ્ચે છોડીને ભાગ્યો ઓલા ડ્રાઈવર

aapnugujarat

અખિલેશને લખનૌ એરપોર્ટ ઉપર રોકાતા હોબાળો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1