Aapnu Gujarat
ગુજરાત

વડોદરાના ઉદ્યોગપતિ પુત્રનું અપહરણ કરી લેવાની ધમકી

વડોદરા શહેરના એક ઉદ્યોગપતિના પુત્રનું અપહરણ કરી જવાની ધમકી આપી એક શખ્સે રૂપિયા ૨૫ લાખની ખંડણી માંગતાં વડોદરા ક્રાઇમ બ્રાંચ સહિત સ્થાનિક પોલીસ તંત્ર દોડતુ થઇ ગયું છે. આર્થિક ભીંસમાં આવી ગયેલા શખ્સે આ ઉદ્યોગપતિને નનામો પત્ર લખ્યો છે. જેમાં તેણે રૂપિયા ૨૫ લાખ ૧૪-૨-૨૪ના રોજ એક ટકા વ્યાજ સાથે રૂપિયા ૪૦ લાખ પરત કરવાની ખાતરી પણ આપી છે. એટલું જ નહી, તેણે એવો પણ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે કે, મેં હજુ તમારા પુત્રનું અપહરણ કર્યું નથી, તેથી તેનો ફાયદો ના ઉઠાવશો. પરંતુ હું તમારા પુત્રના મર્ડર માટે ઓલરેડી ઓર્ડર આપી ચૂકયો છું. ઉદ્યોગપતિએ આ નનામા પત્રને લઇ ક્રાઇમબ્રાંચને જાણ કરતાં પોલીસે હવે સમગ્ર મામલે યુધ્ધના ધોરણે તપાસ આરંભી છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા એક ઉદ્યોગપતિ તેમના પરિવાર સાથે રહે છે. તેમને બે બાળકો છે. તાજેતરમાં તા.૧૩-૨-૦૧૯ના રોજ તેમના ગેટની બહાર બંધ કવરમાં એક નનામો પત્ર મળ્યો હતો. કવર ઉપર લખ્યું હતું કે, સબ કામ છોડ કર પહેલે પઢો..અરજન્ટ..ઉદ્યોગપતિએ કવર ખોલીને પત્ર વાંચ્યો તો, તેમના હોંશ ઉડી ગયા હતા. પરિવાર ચિંતાતુર બની ગયું હતું. પત્રમાં લખ્યું હતું કે, મારે રૂપિયા ૨૫ લાખની જરૂર છે. આ રકમ હું તમને ૫ વર્ષ પછી એટલે કે, તા.૧૪-૨-૨૦૨૪ના દિવસે રૂપિયા ૪૦ લાખ એક ટકા વ્યાજ સાથે પરત કરી દઇશ. આ બાબતને ગંભીરતાથી લેજો. નહીં તો તમારા મોટા પુત્રનું અપહરણ કરી જઇશ. અને તેને મારી નાંખીશ. મજબૂરીના કારણે મારે આ માર્ગ ઉપનાવવો પડે છે. ઉદ્યોગપતિને નનામો પત્ર લખનારે વધુમાં એમ પણ જણાવ્યું છે કે, રૂપિયા ૨૫ લાખ ક્યાં પહોંચાડવા તેનું સ્થળ અને મેપ આપેલો છે. રૂપિયા ૨૫ લાખ ટુ-વ્હીલર ઉપર સ્કૂલ બેગમાં મૂકવા આવજો. આ રકમ મોકલેલા મેપ પ્રમાણે પહોંચાડશો. મને ખબર છે કે, રૂપિયા ૨૫ લાખ આપણી પાસેથી લેવા માટે અપનાવેલો રસ્તો ખોટો છે. પરંતુ, મારી પાસે બીજો કોઇ રસ્તો નથી. મારી મજબૂરીના કારણે મારે આ માર્ગ ઉપનાવવો પડે છે. મારે રૂપિયા ૨૫ લાખની સખત જરૂર છે. મને ઉછીના આપો છો તેમ સમજીને મને આપજો. તમારા માટે રૂપિયા ૨૫ લાખ તમારા પુત્ર કરતા વધારે નથી. પત્રમાં એમ પણ લખ્યું છે કે, તમે પોલીસ પાસે જઇ શકો છો. પરંતુ પોલીસ મને પકડી શકશે નહીં. કદાચ મને પકડવા જાળ બીછાવો તો હું પકડાઇ પણ જઇશ. પરંતુ, હું તમારા પુત્રના મર્ડર માટે ઓલરેડી ઓર્ડર આપી ચૂક્યો છું. હજુ તમારા પુત્રનું અપહરણ કર્યું નથી. તેનો ફાયદો ઉઠાવશો નહીં. મને રૂપિયા ૨૫ લાખની સખત જરૂર છે. મદદ કરશો. હું તમને વાયદા પ્રમાણે ચોકકસ પરત કરીશ. મારા ઉપર વિશ્વાસ મૂકો. પુત્રનું અપહરણ કરી જવાની ધમકી આપીને રૂપિયા ૨૫ લાખની ખંડણી માંગનારે લખેલા નનામા પત્ર સાથે ઉદ્યોગપતિએ વડોદરા ક્રાઇમબ્રાંચનો સંપર્ક કર્યો હતો અને ડી.સી.પી.ક્રાઇમ જયદીપસિંહ જાડેજાએ પત્રને ગંભીરતાથી લઇ અપહરણની ધમકી આપનારને શોધી કાઢવા માટે પોલીસ જુદી જુદી ટીમો કામે લગાડી હતી. જો કે, બનાવને પગલે સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને ઉદ્યોગપતિનો પરિવાર ચિંતાતુર બન્યો છે.

Related posts

જવાહર ચાવડાને પ્રવાસન, મત્સ્યોદ્યોગ ખાતુ મળ્યું

aapnugujarat

દિવાળીના તહેવારોને લઈ વધારાની એસટી બસો દોડાવવાની માંગ

editor

લોક ગાયિકા કિંજલ દવે ભાજપમાં જોડાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1