Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કુંભ : માઘ પુર્ણિમાના દિવસે કરોડો શ્રદ્ધાળુઓની ડુબકી

માઘ પુર્ણિમાના શુભ અવસર પર કુંભ મેળામાં આજે પવિત્ર સ્નાનના ભાગરૂપે લાખો શ્રદ્ધાળુઓએ પવિત્ર ડુબકી લગાવી હતી. પ્રયાગરાજમાં વહેલી પરોઢથી જ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ત્રિવેણી સંગમમાં કાંઠા પર તીવ્ર ઠંડી હોવા છતાં શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો હતો. શ્રદ્ધાળુઓના ધસારાનો અંદાજ આના પરથી લગાવી શકાય છે કે સવારમાં નવ વાગ્યા સુધી જ આશરે ૪૮ લાખ શ્રદ્ધાળુઓ દ્વારા પવિત્ર સ્નાન કરવામાં આવ્યુ હતુ. મોડેથી આ આંકડો સત્તાવાર રીતે વધીને એક કરોડ સુધી પહોંચી ગયો હતો. વહેલી પરોઢે પવિત્ર સ્નાનની શરૂઆત થયા બાદ મોડે સુધી આ પવિત્ર વિધી ચાલી હતી. કુંભ ખાતે પહોંચેલા શ્રદ્ધાળુઓ જુદી જુદી ધાર્મિક વિધી કરતા નજરે પડ્યા હતા. હાલમાં ચાલી રહેલા કુંભના ભાગરૂપે ચોથા શાહી સ્નાનની પ્રક્રિયા ચાલી હતી. ૧૫મી જાન્યુઆરીના દિવસે આની શરૂઆત થયા બાદ આની પુર્ણાહુતિ ચોથી માર્ચના દિવસે થનાર છે. ઉત્તર પ્રદેશ સરકારે આજે જાહેર રજાની જાહેરાત કરી છે. માઘ પુર્ણિમાં અને સંત રવિદાસ જયંતિના પ્રસંગે રજા જાહેર કરવામાં આવી છે. યોગી સરકારે આસ્થાના આ મહાપર્વ પર પહોંચી રહેલા શ્રદ્ધાળુઓને ધ્યાનમાં લઈને અભૂતપૂર્વ તૈયારી કરી છે જેથી કરોડો શ્રદ્ધાળુઓ એકત્રિત થઇ રહ્યા હોવા છતાં કોઇને કોઇ તકલીફ પડી પહી નથી. આજે વહેલી પરોઢે સૌથી પહેલા સંતોએ સ્નાન કર્યું હતું. આજે શુભ મૂહૂર્તુના કારણે વહેલી પરોઢે શરૂઆત થઈ હતી. હાલમાં ચાલી રહેલા કુભ મેળાના ભાગરૂપે ગઈકાલે ૫૦ લાખ લોકોએ સંગમમાં પવિત્ર ડુબકી લગાવી હતી. તે પહેલાના તમામ પવિત્ર અને મોટા અવસર પર પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. આજના સ્નાનને લઇને જુદા જુદા ઘાટ ઉપર અભૂતપૂર્વ તૈયારી પહેલાથી જ કરવામાં આવી હતી.કોઇ પણ પ્રકારની અંધાધૂંધી ન ફેલાય તે માટે પણ આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં ચાલી રહેલા કુંભ મેળાને ધ્યાનમાં લઈને શ્રદ્ધાળુઓના ધસારાને પહોંચી વળવા માટે જોરદાર આયોજન કરાયું છે. આના ભાગરૂપે રેલવે સ્ટેશન, જુદા જુદા ઘાટ, કુંભમાં છાવણીઓ અને અન્યત્ર પોલીસ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં અભૂતપૂર્વ સુરક્ષા, ઉત્સાહ તેમજ શ્રદ્ધા વચ્ચે મહાકુંભ ૨૦૧૯ની ઉત્તરાયણના દિવસે શરૂઆત થઇ હતી.ત્યારબાદથી ભારે ઉત્સાહ વચ્ચે કુંભ જારી છે. સંગમ ઉપર ત્રિવેણી ઘાટ પાસે આનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રયાગરાજમાં કુંભનું નામ આવતાની સાથે જ યમુના, ગંગા અને સરસ્વતીના પાવન ત્રિવેણી સંગમની બાબત માનસિક ચિત્ર ઉપર આવી જાય છે. આ પવિત્ર સંગમ સ્થળ ઉપર ડુબકી લગાવવા માટે દેશ અને દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. એવી માન્યતા રહેલી છે કે આધ્યાત્મિક શહેરમાં ડુબકી લગાવીને શ્રદ્ધાળુઓ જુદા જુદા પાપમાંથી મુક્તિ મેળવે છે. કુંભ મેળા ૨૦૧૯માં પહોંચી રહેલા શ્રદ્ધાળુઓની સુવિધા માટે રેલવે દ્વારા ૮૦૦ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. આ તમામ ટ્રેનો જુદા જુદા સ્ટેશનોથી પ્રયાગરાજની વચ્ચે દોડાવવામાં આવી રહી છે. આ ટ્રેનો સામાન્ય ટ્રેનો ઉપરાંતની ટ્રેનો છે. કુંભ મેળામાં આવનાર શ્રદ્ધાળુઓ અને ટ્યુરિસ્ટો માટે દેશના દરેક રેલવે ઝોનથી છ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. અલ્હાબાદ જંક્શન પર ૧૦૦૦૦ યાત્રીઓને ગોઠવી શકાય તે માટે ચાર મોટા ગેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યા છે. અહીં વેન્ડિંગ સ્ટોલ, વોટર બૂથ, ટિકિટ કાઉન્ટર, એલસીડી ટીવી, સીસીટીવી કેમેરા, મહિલા અને પુરુષો માટે અલગ અલગ શૌચાલયા બનાવવામાં આવ્યા છે.
આ વખતે કુંભ મેળાને વધારે ભવ્ય બનાવવા માટે યોગી સરકાર દ્વારા ખાસ પગલા લેવામાં આવ્યા છે.હવે ચોથી માર્ચ સુધી આનું આયોજન રહેશે. કુંભના ઇતિહાસની વાત કરવામાં આવે તો આ વિષયમાં ચોક્કસપણે કોઇ વિશેષ પ્રાચીન શાસ્ત્રીય સંદર્ભનો ઉલ્લેખ મળતો નથી પરંતુ પૌરાણિક માન્યતાઓ તેની સાથે જોડાયેલી છે જેમાં ગ્રહોની વિશેષ સ્થિતિ થવા પર કુંભના સંકેત મળે છે. સ્કંદપુરાનમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે અમૃતપૂર્ણ કુંભને લઇને દેવતાઓ અને દૈત્યો વચ્ચે સંઘર્ષ થયું હતું ત્યારે ચંદ્રએ આ અમૃત કુંભમાંથી અમૃતને છલકી જવાથી બચાવી લવાના પ્રયાસ કર્યા હતા અને રક્ષણ કર્યું હતું. સૂર્ય દેવતાએ તે વખતે અમૃત કુંભ તુટી ન જાય તે માટે પ્રયાસો કર્યા હતા. દેવગુરુ બ્રહસ્પતિએ રાક્ષસોથી રક્ષણ કરીને આ કુંભ તેમના હાથમાંથી જવાથી રોકવામાં સફળતા મેળવી હતી. આજ કારણસર દેવતાઓ અને રાક્ષસો વચ્ચેની લડાઈમાં જે જે જગ્યાએ અને જે જે દિવસે અમૃતના ટીપા પડી ગયા હતા ત્યાં ત્યાં એજ સ્થળો પર કુંભનું આયોજન થાય છે.

Related posts

નીતિ આયોગ ટૂંક સમયમાં તૈયાર કરશે મેથેનોલ મિશન માટે રોડમેપ

aapnugujarat

પ્રધાનમંત્રીએ મુખ્ય માળખાગત ક્ષેત્રોની કામગીરીની સમીક્ષા કરી

aapnugujarat

એમ્સમાંથી ડિસ્ચાર્જ કરાતા લાલૂ ખફા : પોલીસ સાથે ખરાબ વર્તન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1