Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સ ૩૧૧ પોઈન્ટ ઘટીને બંધ

શેરબજારમાં આજે વેચવાલી વચ્ચે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. આજે કારોબારના અંતે સેન્સેક્સ ૩૧૧ પોઈન્ટ ઘટીને ૩૫૪૯૮ની નીચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ ૮૩ પોઈન્ટ ઘટીને ૧૦૬૪૧ની નીચી સપાટીએ રહ્યો હતો. વૈશ્વિક બજારોમાં તેજી છતાં શેરબજારમાં મંદી રહી હતી. ગયા સપ્તાહમાં સંરક્ષણ દળો ઉપર કરવામાં આવેલા ભીષણ આતંકવાદી હુમલાનો જવાબ આપવા દેશભરમાં જોરદાર માંગ ઉઠી રહી છે ત્યારે મૂડી રોકાણકારો સાવધાન થયેલા છે. બેન્ચમાર્ક ઈન્ડેક્ષ આજે એક ટકા ઘટીને બંધ રહ્યો હતો. આઈટી, એફએમસીજીની શેરમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધ્યા બાદ વિદેશી રોકાણકારોએ તેમની સંપત્તિ પાછી ખેંચવાની શરૂઆત કરી છે. અત્રે નોંધનિય છે કે ફેબ્રુઆરી મહિનાના પ્રથમ પખવાડિયામાં વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણકારોએ સ્થાનિક શેરબજારમાં ૫૩૦૦ કરોડ રૂપિયાનુ મૂડીરોકાણ કર્યું છે. ૨૦૧૯-૨૦ના વચગાળાના બજેટને લઇને વિદેશી મૂડીરોકાણકારો આશાવાદી દેખાઈ રહ્યા છે. આ પહેલા જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ દ્વારા ભારતીય બજારોમાંથી ૫૨૬૪ કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. ડિપોઝિટરીના આંકડા મુજબ પહેલીથી ૧૫મી ફેબ્રુઆરી વચ્ચેના ગાળામાં ભારતીય શેરબજારમાં એફપીઆઈ દ્વારા ૫૩૨૨ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ ગાળા દરમિયાન બોન્ડ માર્કેટમાંથી ૨૪૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવાયા હતા. સેકટરલ ઈન્ડેક્સની વાત કરવામાં આવે તો આજે નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સમાં ૧.૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. ડાબર, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ તથા હેલ્થકેરના શેરમાં તેજી રહી હતી. નિફ્ટી પીએસયુ ઈન્ડેક્સમાં ૧.૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. બેન્ક ઓફ ઈન્ડિયા, આઈડીબીઆઈના શેરમાં ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં ૧૪૫ પોઈન્ટનો ઘટાડો થયો હતો. જેથી તેની સપાટી ૧૩૭૯૫ રહી હતી. જ્યારે એસએન્ડપી બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૧૩૪ પોઈન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૩૧૧૮ રહી હતી. ડીશ ટીવીના શેરમાં ૧૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. એશિયન કારોબાર દરમિયાન ૩૭ રૂપિયાની કિંમત થઈ હતી. એશિયન શેરબજારમાં પણ પ્રવાહી સ્થિતિ રહી હતી. ગયા સપ્તાહમાં શેરબજારમાં કાશ્મીરમાં પુલવામા હુમલાને લઇને ચર્ચાઓ રહી હતી. બીએસઈ બેંચમાર્ક ઇન્ડેક્સ ૭૩૭ પોઇન્ટ ઘટીને ૩૫૮૦૮ની નીચી સપાટીએ રહ્યો હતો. ૧૫મી ફેબ્રુઆરીના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન સેંસેક્સ ઘટીને નીચી સપાટીએ રહ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સ ૨૧૯ પોઇન્ટ ઘટીને ૧૦૭૨૪ની નીચી સપાટીએ રહ્યો હતો. માર્કેટમાં આગામી સામાન્ય ચૂંટણી પહેલા ઉથલપાથળ રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. બીએનપી પરિબાષના લોકોનું કહેવું છે કે, હાલમાં મૂડીરોકાણકાઓ સાવધાનીપૂર્વકનું વલણ અપનાવીને આગળ વધી શકે છે. અન્ય વૈશ્વિક પરિબળો પમ જવાબદાર દેખાઈ રહ્યા છે.
થોડાક મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે. આ પરિબળ સૌથી મહત્વપૂર્ણ રહેશે. રોકાણકારો હાલમાં ક્વાલીટી શેર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. મૂળભૂતરીતે મજબૂત રહેલા શેરોમાં નાણા ઉમેરવાને લઇને કારોબારી ચિંતિત નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા હુમલા માટે જવાબદાર લોકો સામે પગલા લેવાની વાત કર્યા બાદ આને લઇને બજારમાં ચર્ચા છે.

Related posts

सरकार बनाने पर अनुच्छेद ३७० को हटा देगी बीजेपी : अमित शाह

aapnugujarat

મની લોન્ડરિંગ કેસમાં સતત બીજા દિવસે વાઢેરાની કલાકો પુછપરછ

aapnugujarat

Defense Minister Rajnath Singh will visit Ladakh for first time after Article 370 abrogation

aapnugujarat

Leave a Comment

UA-96247877-1