Aapnu Gujarat
બિઝનેસ

શેર ટ્રાન્સફરના નિયમોમાં થયો ફેરફાર

આમ તો શેર બજારમાં ઘણા લોકો રોકાણ કરતા હોય છે. પરંતુ સારી સમજ સાથે શેર ખરીદ કરી ઓછા સમયમાં વધુ નફો પ્રાપ્ત કરનારાઓની પણ કમી નથી. એવું નથી કે ભારતીય શેર બજારમાં માત્ર દેશના નાગરિકો જ મૂડીનું રોકાણ કરે છે. સેબી પ્રવાસી ભારતીયો, ભારતીય મૂળના લોકો અને વિદેશી નાગરિકોને પણ ઈક્વિટીમાં રોકાણ કરવાની તક આપે છે. જોકે હવે સેબીએ એવા રોકાણકારોને થોડી રાહત આપી છે.પ્રાપ્ત માહિતી મુજબ સોમવારે સેબીએ પ્રવાસી ભારતીયો, ભારતીય મૂળના લોકો અને વિદેશી નાગરિકોને પાન કાર્ડની ડિપોઝિટ જમા કરવવાથી છૂટ આપી છે. ઉપરાંત તેમની જોડે રાખેલ ઈક્વિટી શેર્સને નજીકના સગા-સંબંધીઓને આપવાની પણ પરવાનગી આપી છે. જોકે આ છૂટ અમુક શરતો પર નિર્ભર છે. હાલના નિયમ મુજબ સેબીને શેર ટ્રાન્સફર કરનાર વ્યક્તિ સિવાય એ વ્યક્તિએ પણ પેન કાર્ડ આપવાનું ફરજિયાત હોય છે જેને પ્રાપ્ત થાય છે આ માધ્યમથી તેઓ સિક્યુરિટીઝ ટ્રાંસફરનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.નોંધનીય છે કે વિદેશોમાં રહેતા ભારતીય નાગરિકોને શેર ટ્રાન્સફર કરવામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. કારણ કે એવા લોકોમાંથી મોટાભાગે પાસે પાન કાર્ડ નહોતા નથી. સેબીએ જણાવ્યું કે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પેન કાર્ડની ડિપોઝિટથી છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાંત તેમની પાસે રાખેલ ઈક્વિટી શેર્સને તેમના નજીકના સગા-સંબંધીઓને આપવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ સંબંધીઓમાં પતિ, પત્ની, માતા-પિતા, ભાઈ, બહેન અને બાળક સામેલ છે.તેમને જણાવી દઈએ કે સોમવારે સેબીએ ક્લિયરિંગ કોર્પોરેશન, સ્ટોરેજ ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટીની પાસે સિક્લોયરિટીના ભાગરૂપે જમા ભંડોળના ઉપયોગ માટે માળખું પણ બહાર પાડ્યું હતું. હાલ એક જ સામાન માટે ડબલ્યુડીઆરએ અને ક્લિયરિંગ કોર્પોરેશન બન્ને પાસે સિક્યોરિટી ભંડોળ જમા કરાવી પડે છે. આના કારણે ઓપરેટરો પર નાણાકીય ભાર વધે છે. આ પાછળનું એક મુખ્ય કારણ આવા ભંડોળને લોજિકલ બનાવવાનો હોય છે.

Related posts

સેંસેક્સ ૫૩૭ પોઇન્ટ અપ

aapnugujarat

મોનિટરી પોલિસીમાં રેપો અને રિવર્સ રેપોરેટ યથાવત

aapnugujarat

Sensex rises by 234 points to close at 39,131.04, Nifty ended by 72.70 points at 11,661.05

aapnugujarat

Leave a Comment

UA-96247877-1