Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

હું અત્યારે લાંબા ભાષણ નહીં કરુ, લોકસભા ચૂંટણીના પ્રચાર માટે છે પ્લાન : મનોહર પર્રિકર

ગોવા અને પુણેમાં ભાજપનાં બૂથ લેવલનાં કાર્યકરોનું સંમેલન યોજાયું હતું. ગોવામાં યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં.આ તકે ગોવાનાં મુખ્યમંત્રી મનોહર પારિકર પણ હાજર રહ્યા હતાં. પોતાની નાદુરસ્ત તબિયત છતાં મનોહર પાર્રિકરે ટુંકુ પ્રવચન કર્યુ હતું. કાર્યકરોને ધૈર્ય રાખવાની શીખામણ આપતા પાર્રિકરે કહ્યું હતું કે,અત્યારે હું લાંબા લચક ભાષણ આપતો નથી. કેમ કે આગામી લોકસભા ચૂંટણી માટે હું મારી ઉર્જા બચાવીને રાખું છું. મારી શારિરીક સ્થિરતા અને તબિયત જળવાઈ રહે તે માટે હું અત્યારથી મારી ઉર્જા બચાવી રાખું છું. જેથી મારી શક્તિનો ઉપયોગ લોકસભા ચૂંટણી પ્રચારમાં કરી શકું.
મનોહર પારિકર ગોવામાં ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની હાજરીમાં અટલ બૂથ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરી રહ્યા હતાં. ગંભીર બિમારી સામે જુજતા પાર્રિકરે કાર્યકરોને કહ્યું હતું કે ચૂંટણી પ્રચાર દરમિયાન કોઈ પણ પ્રકારની અફવાથી દુર રહેજો.
પોતાનાં ભાષણની શરૂઆતમાં પાર્રિકરે જણાંવ્યું કે તમે લોકો બહોળી સંખ્યામાં અહિ આવ્યા છે.આજે હું વધારે નહિ બોલું. ચૂંટણી માટે હું લાંબા ભાષણ બચાવીને રાખું છું. કોંગ્રેસ પર પ્રહારો કરતા પાર્રિકરે કહ્યું કે, કોંગ્રેસની હાલત શ્રીલંકા જેવી થશે. મહત્વનું છે કે હાલ શ્રીલંકામાં રાજકિય ઉથલપાથલ ચાલી રહિ છે. જેથી શ્રીલંકા જેવી જ રાજકિય અસ્થિરતા કોંગ્રેસમાં થવાની છે.

Related posts

ગોરધન ઝડફિયાને ઉત્તરપ્રદેશ પ્રભારી બનાવીને ભાજપે ચોંકાવી દીધા

aapnugujarat

सब लोग आंतकवादी हैं तो केवल भाजपा वाले ही असली हिंदुस्तानी हैं क्या : महबूबा

editor

સુપ્રીમ કોર્ટે મરાઠા અનામત રદ કરી

editor

Leave a Comment

UA-96247877-1