લોકસભા ચૂંટણી ૨૦૧૯ માટે રાજકિય પાર્ટી લોકોને પોતાની તરફ કરવાના તમામ પ્રયાસો કરી રહી છે. આ વચ્ચે રાહુલ ગાંધીએ કહ્યું છે કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો તે લોકોને મિનિમમ આવકની ગેરંટી આપશે. જો કે નીતિ આયોગ બેઝિક ઇન્કમની ગેરંટીની વાતથી કોઇ સંયોગ નથી રાખતુ અને તેને શક્ય નથી માનતું.
રાહુલ ગાંધીની ગરીબો માટેની ન્યૂનતમ આવકની ગેરંટીના વચનને નીતિ આયોગ અકલ્પનિય ગણાવ્યું છે. નીતિ આયોગના વાઇસ ચેયરમેન રાજીવ કુમારે કહ્યું છે કે, આ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના ’ગરીબી હટાવો’ નારા સમાન છે.
તેમણે કહ્યું કે, કોંગ્રેસે તે સમજવાની જરૂર છે તે તેઓ મિનિમમ આવકની ગેરંટી જેવી સ્કિમનો ખર્ચ કેવી રીતે ઉઠાવી શકે છે.
મને લાગે છે કે, કોંગ્રેસે દરેક વિવરણો પુરી રીતે અસ્પષ્ટ છોડી દીધી છે અને માત્ર એક વ્યાપક ઘોષણા છે.