Aapnu Gujarat
ગુજરાતતાજા સમાચાર

કાતિલ ઠંડીની વચ્ચે ગુજરાતના લોકો ઠુઠવાયા

અમદાવાદ સહિત ગુજરાતભરમાં કાતિલ ઠંડીનું મોજુ આજે સતત બીજા દિવસે પણ યથાવત રીતે જારી રહ્યું હતું. લઘુત્તમ તાપમાન આજે પણ ખૂબ નીચા રહ્યા હતા. મોટાભાગના વિસ્તારોમાં પારો ૧૦થી નીચે રહેતા લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. રવિવાર હોવાના લીધે લોકો સવારમાં વધારે દેખાયા ન હતા. અલબત્ત, મોર્નિંગ વોક પર જતા લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના અન્ય ભાગમાં કોલ્ડવેવના લીધે હાલત કફોડી બનેલી છે. અમદાવાદમાં પારો આજે ૮.૬ ડિગ્રી રહ્યો હતો. જ્યારે ડીસામાં ૭.૫ અને ગાંધીનગરમાં ૮.૪ સુધી પાર રહ્યો હતો. નલિયામાં લઘુત્તમ તાપમાન આજે પણ ૫.૮ ડિગ્રીની સપાટીએ યથાવત રહેતા લોકોએ સૌથી વધુ ઠંડીનો અનુભવ કર્યો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ ગુજરાતમાં આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે પરંતુ હાલ પારો યથાવત રહેવાનો અંદાજ છે. આવતીકાલે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન આજની સરખામણીમાં વધીને ૧૧ ડિગ્રની આસપાસ રહી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારો કોલ્ડવેવના સકંજામાં આવી ગયા છે. ઉત્તર પશ્ચિમ પવનો નિચલી સપાટી ઉપર ફુંકાઈ રહ્યા છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, સુરત, સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ, અમરેલીમાં કોલ્ડવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. અમદાવાદમાં આવતીકાલે લઘુત્તમ તાપમાન આજની સરખામણીમાં વધીને ૧૧ ડિગ્રી થઇ શકે છે. કાતિલ ઠંડીના મોજા વચ્ચે લોકોને હાલમાં ગરમ વસ્ત્રો તૈયાર રાખવા પડશે. દિલ્હી અને એનસીઆરમાં વરસાદ તેમજ હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થઇ રહી છે જેની અસર પણ જોવા મળી શકે છે. આજે કાશ્મીરમાં નવેસરથી હિમવર્ષા થઇ હતી. જો કે, ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં એકાએક વધારો થયો જેથી આજે દિવસ દરમિયાન લોકોમાં વાતાવરણને લઇને ચર્ચા જોવા મળી હતી. સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. જનજીવન પણ ખોરવાઈ ગયું છે. તીવ્ર ઠંડીના લીધે રાત્રિ ગાળામાં રસ્તાઓ પણ સુમસામ બની ગયા છે.
કોલ્ડવેવની સ્થિતિ હાલમાં યથાવત રહેશે. લોકો ગરમવસ્ત્રોમાં સજ્જ થઇ ગયા છે. હવામાન વિભાગ તરફથી પણ કોલ્ડવેવની ચેતવણી જારી કરાઈ છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા જારી રહી છે જેના કારણે એલર્ટની જાહેરાત પણ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં એક બાજુ હિમવર્ષાની મજા માણવામાં આવી રહી છે પરંતુ રાજમાર્ગો ઉપર યાત્રી વાહનો અને ટ્રકોની લાંબી લાઇનો લાગી ગઈ છે. કારણ કે, ભારે હિમવર્ષાના કારણે જમ્મુ કાશ્મીરના મુખ્ય માર્ગોને બંધ કરવાની ફરજ પડી છે. ચારેબાજુ બરફ નજરે પડે છે. વાહનો જ્યાં રોકાયા છે ત્યાં જ જીવન અટવાઈ પડ્યું છે. બરફને દૂર કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Related posts

પીએમને પરેશ ધાનાણીનો પ્રશ્ન, સોહરાબુદ્દીનની હત્યાની સોપારી પોલીસ અધિકારીને કોણે આપી ?

aapnugujarat

ડાયમન્ડ કિંગ વસંત ગજેરાનો ગેરકાયદેસર ખેડૂતની જમીન પર કબજો

aapnugujarat

મમતા બેનરજીની ઉદ્વવ ઠાકરે સાથે મુલાકાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1