Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મહાકુંભ : વસંત પંચમીના દિને આજે શ્રદ્ધાળુ સ્નાન કરશે

પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં આવતીકાલે ૧૦મી ફેબ્રુઆરીના દિવસે વસંત પંચમીના દિવસે કરોડો શ્રદ્ધાળુઓ પવિત્ર ડુબકી લગાવવા માટે ઉત્સુક છે. અભૂતપૂર્વ ધસારો શ્રદ્ધાળુઓમાં જોવા મળી રહ્યો છે. આવતીકાલે વસંત પંચમીના દિવસે ત્રીજા શાહી સ્નાનને લઇને સાધુ સંતો તેમજ અન્ય લોકોમાં ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે. જુદા જુદા અખાડાના સાધુ સંતો સહિત લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી ચુક્યા છે. ત્રીજા શાહી સ્નાનને લઇને વહીવટીતંત્ર દ્વારા પણ સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા છે. પ્રયાગરાજમાં આ વખતે ભવ્ય આયોજનની ચારેબાજુ પ્રશંસા કરવામાં આવી રહી છે. દેશના જુદા જુદા ભાગોમાંથી પહોંચેલા શ્રદ્ધાળુઓ ભારે પ્રભાવિત થયા છે. ત્રીજા શાહી સ્નાનમાં કરોડો લોકો ઉમટી પડે તેમ માનવામાં આવે છે. મોની અમાસના દિવસે જ સૌથી વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ બીજા શાહી સ્નાનના દિવસે પહોંચ્યા હતા. આવતીકાલના શાહી સ્નાનને લઇને જુદા જુદા ઘાટ ઉપર અભૂતપૂર્વ તૈયારી કરી લેવામાં આવી છે. કોઇ પણ પ્રકારની અંધાધૂંધી ન ફેલાય તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. રેલવે સ્ટેશન, જુદા જુદા ઘાટ, કુંભમાં છાવણીઓ અને અન્યત્ર પોલીસ ટુકડીઓ તૈનાત થઇ ચુકી છે. સાધુ-સંતો અને સામાન્ય લોકો કુંભમાં પવિત્ર ડુબકી લગાવવા માટે સજ્જ છે. વહેલી પરોઢે ચાર વાગ્યાથી શાહી સ્નાનની શરૂઆત થશે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં અભૂતપૂર્વ સુરક્ષા, ઉત્સાહ તેમજ શ્રદ્ધા વચ્ચે મહાકુંભ ૨૦૧૯ની ઉત્તરાયણના દિવસે શરૂઆત થઇ હતી.ત્યારબાદથી ભારે ઉત્સાહ વચ્ચે કુંભ જારી છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત કરવામાં આવેલા મહાકુંભની અનેક વિશેષતાઓ રહેલી છે. સંગમ ઉપર ત્રિવેણી ઘાટ પાસે આનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રયાગરાજમાં કુંભનું નામ આવતાની સાથે જ યમુના, ગંગા અને સરસ્વતીના પાવન ત્રિવેણી સંગમની બાબત માનસિક ચિત્ર ઉપર આવી જાય છે. આ પવિત્ર સંગમ સ્થળ ઉપર ડુબકી લગાવવા માટે દેશ અને દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. એવી માન્યતા રહેલી છે કે આધ્યાત્મિક શહેરમાં ડુબકી લગાવીને શ્રદ્ધાળુઓ જુદા જુદા પાપમાંથી મુક્તિ મેળવે છે. કુંભ મેળા ૨૦૧૯માં આવનાર શ્રદ્ધાળુઓની સુવિધા માટે રેલવે દ્વારા ૮૦૦ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. આ તમામ ટ્રેનો જુદા જુદા સ્ટેશનોથી પ્રયાગરાજની વચ્ચે દોડાવવામાં આવી રહી છે. આ ટ્રેનો સામાન્ય ટ્રેનો ઉપરાંતની ટ્રેનો છે. કુંભ મેળામાં આવનાર શ્રદ્ધાળુઓ અને ટ્યુરિસ્ટો માટે દેશના દરેક રેલવે ઝોનથી છ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.અલ્હાબાદ જંક્શન પર ૧૦૦૦૦ યાત્રીઓને ગોઠવી શકાય તે માટે ચાર મોટા ગેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યા છે. અહીં વેન્ડિંગ સ્ટોલ, વોટર બૂથ, ટિકિટ કાઉન્ટર, એલસીડી ટીવી, સીસીટીવી કેમેરા, મહિલા અને પુરુષો માટે અલગ અલગ શૌચાલયા બનાવવામાં આવ્યા છે.
આ વખતે કુંભ મેળાને વધારે ભવ્ય બનાવવા માટે યોગી સરકાર દ્વારા ખાસ પગલા લેવામાં આવ્યા છે.હવે ચોથી માર્ચ સુધી આનું આયોજન રહેશે. કુંભને લઇને છેલ્લા ઘણા મહિનાથી પ્રયાગરાજમાં તૈયારી ચાલી રહી હતી. કુંભને નિહાળવા અને તેના મહત્વને સમજવા માટે અનેક વખત પહોંચવાથી અને તેને સમજવાથી આધ્યાત્મિક મહત્વ સમજાય છે. કુંભના ઇતિહાસની વાત કરવામાં આવે તો આ વિષયમાં ચોક્કસપણે કોઇ વિશેષ પ્રાચીન શાસ્ત્રીય સંદર્ભનો ઉલ્લેખ મળતો નથી પરંતુ પૌરાણિક માન્યતાઓ તેની સાથે જોડાયેલી છે જેમાં ગ્રહોની વિશેષ સ્થિતિ થવા પર કુંભના સંકેત મળે છે. સ્કંદપુરાનમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આમા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે અમૃતપૂર્ણ કુંભને લઇને દેવતાઓ અને દૈત્યો વચ્ચે સંઘર્ષ થયું હતું ત્યારે ચંદ્રએ આ અમૃત કુંભમાંથી અમૃતને છલકી જવાથી બચાવી લવાના પ્રયાસ કર્યા હતા અને રક્ષણ કર્યું હતું. સૂર્ય દેવતાએ તે વખતે અમૃત કુંભ તુટી ન જાય તે માટે પ્રયાસો કર્યા હતા. દેવગુરુ બ્રહસ્પતિએ રાક્ષસોથી રક્ષણ કરીને આ કુંભ તેમના હાથમાંથી જવાથી રોકવામાં સફળતા મેળવી હતી. આજ કારણસર દેવતાઓ અને રાક્ષસો વચ્ચેની લડાઈમાં જે જે જગ્યાએ અને જે જે દિવસે અમૃતના ટીપા પડી ગયા હતા ત્યાં ત્યાં એજ સ્થળો પર કુંભનું આયોજન કરવામાં આવે છે. હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં આનું આયોજન કરવામાં આવે છે.
કુંભમાં જુદા જુદા રાજ્યોના મુખ્યપ્રધાન પણ હાલમાં પવિત્ર સ્નાન કરવા માટે પહોંચી ચુક્યા છે. આ ઉપરાંત ટોપના અધિકારીઓ પણ તેમના પરિવારની સાથે પહોંચ્યા છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ કુંભમાં પવિત્ર સ્નાન કરી ચુક્યા છે.

Related posts

લદ્દાખમાં ચીને તૈનાતી વધારતા ભારતે રાફેલ તૈનાત કર્યા

editor

भारत में कोरोना के 24 घंटे में मिले 44,684 नए केस, 520 मरीजों की मौत

editor

કાશી વિશ્વનાથ મંદિર ઉડાવી દેવા આતંકવાદીઓની ધમકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1