Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભાજપ અયોધ્યામાં તે જ સ્થળ પર રામ મંદિર બનાવવા માટે કટિબદ્ધ : અમિત શાહ

ભાજપ અધ્યક્ષ અમિત શાહે શુક્રવારે કહ્યું કે, ભાજપ અયોધ્યામાં રામજન્મ ભુમિ પર ઝડપથી શ્રીરામ મંદિર બનાવવા માટે કટિબદ્ધ છે. શાહે સાથે જ સપા-બસપા અને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, માયાવતી, અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી રામ જન્મભુમિ પર પોતાનું વલણ દેશની જનતા સામે સ્પષ્ટ કરે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ, સપા, બસપા સ્પષ્ટતા કરે કે તેઓ તે જ સ્થાન પર રામ મંદિર બનાવવાનાં પક્ષમાં છે કે નહી. તે લોકો હાં બોલે કે ના ભાજપ ત્યાં રામ મંદિર બનાવીને જ રહેશે. ભાજપ અધ્યક્ષ અહીં ગોરખપુર ક્ષેત્રનાં બુથ અધ્યક્ષો અને કાર્યકર્તાઓનાં સમ્મેલનને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે વિરોધી દળોનાં ગઠબંધન અંગે જણાવ્યું કે, ગઠબંધનથી જરા પણ ચિંતિત થવાની જરૂર નથી. ઉત્તરપ્રદેશનું પરિણામ દીવાર પર લખેલુ દેએખાઇ રહ્યું છે કે આ વખતે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૭૩થી૭૪ સીટો રહેશે. ઉત્તરપ્રદેશની જનતા ગઠબંધનને સાફ કરી દેશે. શાહે કહ્યું કે, વર્ષોથી દેશનાં પછાત, અતિપછાત અને ઓબીસી સતત સંવૈધાનિક માન્યતાઓ માટે સંઘર્ષ કરી રહ્યા પરંતુ કોંગ્રેસ, સપા અને બસપા રાજનીતિ કરતા રહ્યા. ભાજપે આ પછાત અને અતિપછાત સમાજનાં બોર્ડને સંવૈધાનિક માન્યતા આપવાનું કામ કર્યું. તેમણે કહ્યું કે, સપા-બસપાની સરકારમાં નિજામ રાજ હતું. નસીમુદ્દીન ભાઇ હતા, ઇમરાન ભાઇ, અફઝલ ભાઇ, આઝમખાન અને મુખ્તારભાઇ હતા. ભાજપે આ નિઝામોને ઉખાડી ફેંકવાનું કામ કર્યું. શાહે કહ્યું કે, સપા-બસપાની સરકાર હતી તો અહીં નિઝામ ચાલતા હતા, તેમણે મળીને આતંકવાદીઓ માટે કોરિડોર બનાવ્યો હતો. જો કે યોગી સરકાર આવતા જ તેમણે આ કોરિડોરનો નષ્ટ કરી દીધું હતું. તેમણે કહ્યું કે, ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથ જીની સરકાર બન્યા બાદ માફિયા અહીંથી પલાયન થઇ રહ્યા છે. ભાજપ અધ્યક્ષે કહ્યું કે, અમે ત્રિપલ તલાક પર કાયદો લઇને આવ્યા પરંતુ કોંગ્રેસ લઘુમતી અધિવેશનમાં મહિલા કોંગ્રેસની અધ્યક્ષે કહ્યું કે, અમે આવીશું તો ત્રિપલ તલાક પરત ખેંચીશું. આ દેશ આ પ્રકારે નહી ચાલે. દરેક મહિલાને પોતાનાં સન્માનનો અધિકાર છે. ઘુસણખોરીના મુદ્દે તેમણે કહ્યું કે, કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને અસમથી ગુજરાત સુધી, ઉત્તરપ્રદેશથી ઉતરાખંડ સુધી એક એક ઘુસણખોરને પકડી પકડીને કાઢવાનું કામ ભાજપ સરકાર કરશે.શાહે કહ્યું કે, દેશની અંદર ઘુસણખોરોને હટાવવાનું કામ મોદી સરકાર શરૂઆતથી જ કરી રહી છે તો કોંગ્રેસ, સપા અને બસપા તમામ લોકો વિરોધમાં આવી ગયા. તેમણે કહ્યું કે, ઘુસણખોરો ફઇ-ભત્રીજાની વોટબેંક છે. પરંતુ અમારા માટે દેશની સુરક્ષા સૌથી મહત્વની છે નહી કે વોટબેંક.

Related posts

पाक राहुल के बयान का इस्तेमाल भारत के खिलाफ ही कर रहा है : अमित शाह

aapnugujarat

લોકડાઉન ભણી દેશ ? ૧૬ રાજ્યોમાં સ્થિતિ ચિંતાજનક

editor

કેન્ડી ટેસ્ટમાં ભારતનાં ૪૮૭ રન સામે લંકન ટીમ ૧૩૫માં તંબુ ભેગી : હાર્દિક પંડ્યાની શાનદાર સદી : કુલદીપ યાદવે ચાર વિકેટ ઝડપી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1