રાજ્યના માહિતી ખાતા દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ધો-૧૦ અને ધો-૧૨ના વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે માર્ગદર્શન મળી રહે તે માટે કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૧૭ પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. આ અંક પ્રાદેશિક માહિતી કચેરી, કોઠી બિલ્ડીંગ, રાવપુરા, વડોદરા ખાતેથી જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમિયાન રૂા. ૨૦/-ની કિંમતે મળી રહેશે.
કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૧૭માં ધો-૧૦, ધો-૧૨ પછી મળતા વિવિધ અભ્યાસક્રમો ઉપરાંત વિવિધ માહિતિપ્રદ લેખો ૨૨૨ જેટલા પાનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. વહેલા તે પહેલાના ધોરણે આ અંક ઉપર્યુક્ત સરનામેથી મળી રહેશે.