Aapnu Gujarat
મનોરંજન

આલિયા સાથેના મારા સંબંધો ઉતારચઢાવ વાળા હતા : સિદ્ધાર્થ

સિદ્ધાર્થ મલ્હોત્રાએ ‘કોફી વિથ કરણ’ના તાજેતરના એપિસોડમાં તેની નિષ્ફળ ફિલ્મ્સ, ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ સાથેનું તેનું બ્રેક-અપ તેમજ એ સહિત અનેક બાબતો વિશે કોઈ ખચકાટ વિના સવાલોના જવાબો આપ્યા હતા. આ શોના હોસ્ટ કરણ જોહરે સિદ્ધાર્થને પૂછ્યું હતું કે, આલિયાની સાથે હજી તેનો સારો રેપો છે કે નહીં તો એના જવાબમાં તેણે કહ્યું હતું કે, ‘કડવાશભર્યા સંબંધો હોવાનું હું માનતો નથી. અમે એ પછી ખરેખર મળ્યા નથી. સભ્યતાભર્યો રેપો છે. હું તેને ઘણા લાંબા સમયથી જાણું છું. અમે ડેટિંગ કરવા લાગ્યા હતા એના ખાસ્સા સમય પહેલાંથી હું તેને જાણતો હતો.
કરણે વધુ એક સવાલ કર્યો હતો કે, આલિયા અને સિદ્ધાર્થના સંબંધોના ભૂતકાળને જોતા તે તેની કરિઅરની પસંદગીમાં એ ફેક્ટરને ધ્યાનમાં રાખશે તો એના જવાબમાં આ એક્ટરે કહ્યું હતું કે, ‘હું એમ માનતો નથી. જ્યારે કોઈ બે વ્યક્તિ અલગ થવાનો નિર્ણય કરે છે તો એની પાછળ કોઈ કારણ હોય છે. સંબંધોમાં ખૂબ જ ઉતારચઢાવ હતા. ‘કોફી વિથ કરણ’માં સિદ્ધાર્થે એ અફવાને પણ ફગાવી દીધી હતી કે, તેણે ક્યારેય જેક્લિન ફર્નાન્ડિઝની સાથે ડેટિંગ કર્યું હતું. તેણે કહ્યું હતું કે, ‘અમે ક્યારેય ડેટિંગ નથી કર્યું. હું માનું છું કે, અમે ફક્ત ફ્રેન્ડશિપ એન્જોય કરતા હતા.

Related posts

પહેલા મોડલિંગ શૂટ માટે ઐશ્વર્યાને મળ્યા હતા ૧૫૦૦

aapnugujarat

સંજય દત્તની ઈમેજ સુધારવા ફિલ્મ નથી બનાવી : રાજકુમાર હિરાણી

aapnugujarat

સિંગલ હોવાનો કૃતિ ખરબંદાનો દાવો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1