Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મૌની અમાવસ્યા : શાહી સ્નાનમાં શ્રદ્ધાળુઓની પવિત્ર ડુબકી

પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં આજે વહેલી સવારથી જ મોની અમાસ અથવા તો બીજા શાહી સ્નાન વેળા લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વહેલી પરોઢથી જ શાહી સ્નાનની શરૂઆત થઇ ગઇ હતી. કુંભ મેળાના બીજા શાહી સ્નાનને લઇને જુદા જુદા અખાડાના સંતો પણ પવિત્ર ડુબકી લગાવવા માટે પહોંચ્યા હતા. નાગા સાધુઓ શાહી સ્નાન દરમિયાન ખાસ અંદાજમાં દેખાયા હતા. સંગમ કિનારે બનેલા જુદા જુદા ૪૦ ઘાટ ઉપર શાહી સ્નાનની પ્રક્રિયા ચાલી હતી. હજુ સુધી ત્રણ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરી ચુક્યા છે. શાહી સ્નાન માટે શાહી અંદાજમાં બેન્ડવાજા સાથે અખાડાના સાધુ સંતો પહોંચ્યા હતા. જુદા જુદા અખાડાના મહાત્મા અને શ્રદ્ધાળુઓ પણ મૌની અમાવસ્યાના દિવસે ડુબકી લગાવવા પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓની ભૂતપૂર્વ ભીડ જામી હતી. મૌની અમાસના પ્રસંગે શાહી સ્નાન વેળા વહીવટીતંત્ર દ્વારા હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. આ પવિત્ર મૌની અમાસના દિવસે નાયબ મુખ્યપ્રધાન કૈશવ પ્રસાદ મૌર્ય અને કેબિનેટ પ્રધાન બૃજેશ પાઠકે પણ પવિત્ર ડુબકી લગાવી હતી. કુંભ મેળા દરમિયાન નાગા સાધા સંતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કુંભને નિહાળવા અને તેના મહત્વને સમજવા માટે અનેક વખત પહોંચવાથી અને તેને સમજવાથી આધ્યાત્મિક મહત્વ સમજાય છે. કુંભના ઇતિહાસની વાત કરવામાં આવે તો આ વિષયમાં ચોક્કસપણે કોઇ વિશેષ પ્રાચીન શાસ્ત્રીય સંદર્ભનો ઉલ્લેખ મળતો નથી પરંતુ પૌરાણિક માન્યતાઓ તેની સાથે જોડાયેલી છે જેમાં ગ્રહોની વિશેષ સ્થિતિ થવા પર કુંભના સંકેત મળે છે. સ્કંદપુરાનમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે અમૃતપૂર્ણ કુંભને લઇને દેવતાઓ અને દૈત્યો વચ્ચે સંઘર્ષ થયું હતું ત્યારે ચંદ્રએ આ અમૃત કુંભમાંથી અમૃતને છલકી જવાથી બચાવી લવાના પ્રયાસ કર્યા હતા અને રક્ષણ કર્યું હતું. સૂર્ય દેવતાએ તે વખતે અમૃત કુંભ તુટી ન જાય તે માટે પ્રયાસો કર્યા હતા. દેવગુરુ બ્રહસ્પતિએ રાક્ષસોથી રક્ષણ કરીને આ કુંભ તેમના હાથમાંથી જવાથી રોકવામાં સફળતા મેળવી હતી. આજ કારણસર દેવતાઓ અને રાક્ષસો વચ્ચેની લડાઈમાં જે જે જગ્યાએ અને જે જે દિવસે અમૃતના ટીપા પડી ગયા હતા ત્યાં ત્યાં એજ સ્થળો પર કુંભનું આયોજન કરવામાં આવે છે. હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં આનું આયોજન કરવામાં આવે છે. મોની અમાસના દિવસે જ સૌથી વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. જુદા જુદા ઘાટ ઉપર અભૂતપૂર્વ તૈયારી પહેલાથી જ કરવામાં આવી હતી. કોઇ પણ પ્રકારની અંધાધૂંધી ન ફેલાય તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. રેલવે સ્ટેશન, જુદા જુદા ઘાટ, કુંભમાં છાવણીઓ અને અન્યત્ર પોલીસ ટુકડીઓ તૈનાત થઇ ચુકી છે. સાધુ-સંતો અને સામાન્ય લોકો કુંભમાં પવિત્ર ડુબકી લગાવી રહ્યા છે. વહેલી પરોઢે ચાર વાગ્યાથી શાહી સ્નાનની શરૂઆત થઇ હતી. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં અભૂતપૂર્વ સુરક્ષા, ઉત્સાહ તેમજ શ્રદ્ધા વચ્ચે મહાકુંભ ૨૦૧૯ની ઉત્તરાયણના દિવસે શરૂઆત થઇ હતી.ત્યારબાદથી ભારે ઉત્સાહ વચ્ચે કુંભ જારી છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત કરવામાં આવેલા મહાકુંભની અનેક વિશેષતાઓ રહેલી છે. સંગમ ઉપર ત્રિવેણી ઘાટ પાસે આનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રયાગરાજમાં કુંભનું નામ આવતાની સાથે જ યમુના, ગંગા અને સરસ્વતીના પાવન ત્રિવેણી સંગમની બાબત માનસિક ચિત્ર ઉપર આવી જાય છે. આ પવિત્ર સંગમ સ્થળ ઉપર ડુબકી લગાવવા માટે દેશ અને દુનિયાભરમાંથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે.
એવી માન્યતા રહેલી છે કે આધ્યાત્મિક શહેરમાં ડુબકી લગાવીને શ્રદ્ધાળુઓ જુદા જુદા પાપમાંથી મુક્તિ મેળવે છે. કુંભ મેળા ૨૦૧૯માં આવનાર શ્રદ્ધાળુઓની સુવિધા માટે રેલવે દ્વારા ૮૦૦ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. આ તમામ ટ્રેનો જુદા જુદા સ્ટેશનોથી પ્રયાગરાજની વચ્ચે દોડાવવામાં આવી રહી છે. આ ટ્રેનો સામાન્ય ટ્રેનો ઉપરાંતની ટ્રેનો છે. કુંભ મેળામાં આવનાર શ્રદ્ધાળુઓ અને ટ્યુરિસ્ટો માટે દેશના દરેક રેલવે ઝોનથી છ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.
અલ્હાબાદ જંક્શન પર ૧૦૦૦૦ યાત્રીઓને ગોઠવી શકાય તે માટે ચાર મોટા ગેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યા છે. અહીં વેન્ડિંગ સ્ટોલ, વોટર બૂથ, ટિકિટ કાઉન્ટર, એલસીડી ટીવી, સીસીટીવી કેમેરા, મહિલા અને પુરુષો માટે અલગ અલગ શૌચાલયા બનાવવામાં આવ્યા છે. આ વખતે કુંભ મેળાને વધારે ભવ્ય બનાવવા માટે યોગી સરકાર દ્વારા ખાસ પગલા લેવામાં આવ્યા છે.હવે ચોથી માર્ચ સુધી આનું આયોજન રહેશે. કુંભને લઇને છેલ્લા ઘણા મહિનાથી પ્રયાગરાજમાં તૈયારી ચાલી રહી હતી.મૌની અમાસના દિવસે પવિત્ર ડુબકીનુ ખાસ મહત્વ રહેલુ છે. જેથી કરોડો લોકો પહોંચે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રયાગરાજમાં શરૂ થયેલા ભવ્ય કુંભ મેળામાં કરોડો લોકો પહોંચી રહ્યા છે. આજે મૌની અમાવસ્યાના પ્રસંગે બીજા શાહી સ્નાન વેળા પણ નાગા સાધુઓ અલગ અંદાજમાં દેખાયા તા. અખાડાના સાધુ સંતો ગાજાબાજા સાથે પહોંચ્યા હતા. બીજી બાજુ નાગા સાધુ સંતો પણ સ્નાન દરમિયાન અલગ અંદાજમાં નજરે પડ્યા હતા. અભૂતપૂર્વ ધાર્મિક માહોલ આજે મૌની અમાવસ્યાના દિવસે જોવા મળ્યો હતો. બીજા શાહી સ્નાન વેળા પણ જુદા જુદા અખાડાના સંતો વહેલી પરોઢથી જ પહોંચવા લાગ્યા હતા. પરંપરા મુજબ તમામ ૧૩ અખાડાના શાહી સ્નાન માટે ક્રમ પણ પહેલાથી જ નક્કી કરવામાં આવે છે તે પહેલા કોઇપણ સ્નાન માટે નદીમાં ઉતરી શકે નહીં. કેટલીક વખત શાહી સ્નાનને લઇને સંતો વચ્ચે સંઘર્ષની સ્થિતિ પણ જોવા મળી ચુકી છે. શાહી સ્નાનની પરંપરા સદીયો જુની રહેલી છે. એમ માનવામાં આવે છે કે, શાહી સ્નાનની પરંપરા ૧૪મીથી લઇને ૧૬મી સદી વચ્ચે થઇ હતી. તે વખતે દેશમાં મોગલ શાસકો આવવાની શરૂઆત થઇ હતી. ધીમે ધીમે આને લઇને સાધુ-સંતો ઉગ્ર થવા લાગી ગયા હતા. મોગલ શાસકોએ સ્થિતિને હળવી કરવા બેઠક કરીને કામ વહેંચી દેવાનો નિર્ણય કર્યો હતો. સાધુ-સંતોને સન્માન આપવા અને તેમને ખાસ અનુભવ થાય તે માટે સૌથી પહેલા સ્નાનની તક તેમને આપવાનો નિર્ણય કરાયો હતો. આ સ્નાનના ગાળા દરમિયાન સાધુ-સંતોનું સન્માન અને ઠાઠબાટ રાજાઓ જેવું રહે છે જેથી આને શાહી સ્નાન કહેવામાં આવે છે. મોડેથી શાહી સ્નાનને લઇને અખાડામાં સંઘર્ષની શરૂઆત થઇ હતી. અનેક વખત રક્તપાત પણ થઇ ચુક્યા છે. શાહી સ્નાન દરમિયાન સાધુ-સંતો હાથી ઘોડા અને સોના ચાંદીની પાલખીઓમાં બેસીને પણ પહોંચે છે. ખાસ મુહુર્ત પહેલા સાધુ-સંતો ત્રિવેણી સંગમ ઉપર એકત્રિત થાય છે. એમ માનવામાં આવે છે કે, મુહુર્ત વેળા નદીમાં પવિત્ર સ્નાન કરવાથી અમૃત પ્રાપ્ત થાય છે.

Related posts

ભાજપનો અનોખો પ્રચાર, એર સ્ટ્રાઇક અને મોદીના ફોટા સાથેની સાડીઓ તૈયાર કરી

aapnugujarat

पूर्व RBI गवर्नर राजन ने मोदी सरकार पर उठाए सवाल

editor

ઝિકા વાઇરસનો ઉપચાર મેલેરિયાની ગોળીમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1