અમદાવાદની નવા નરોડાની પ્રાથમિક શાળા ચર્ચામાં આવી ગઇ. કેમ કે એક શિક્ષિકાના અત્યાચારથી એક બાળકની આંખ ખરાબ થઇ ગઇ. માસૂમ બાળકના ચહેરા પર કાળા ચશ્મા કોઇ ફેશનના નથી. પરંતુ આટલા નાના બાળકને આંખે મોતિયો આવી ગયો છે. આ વાત સાંભળીને કોઇ પણ વિચારમાં પડી જાય કે આટલા નાના બાળકને મોતિયો કંઇ રીતે આવ્યો. તો આ બાળકના વાલીના આક્ષેપ મુજબ તેની શાળાની શિક્ષિકા કૃપા પટેલે બાળકને આંખના ભાગે ફૂટ પટ્ટી માર્યા બાદ તેના વ્હાલસોયાની આંખ ખરાબ થઇ ગઇ છે.
અમદાવાદના નવા નરોડા પ્રાથમિક શાળા નંબર-૧ અને ૨ માં શિક્ષિકા કૃપા પટેલે એક વિદ્યાર્થીને ફૂટ પટ્ટીથી માર મારતા ભૂલથી બીજા વિદ્યાર્થીને વાગી જતા ધોરણ-૦૮માં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીને આંખમાં ગંભીર ઈજા પહોંચી. વાલીના આક્ષેપ મુજબ શિક્ષિકાએ ધમકી આપી કે આ વાત કોઇને કહેશો તો બાળકના સર્ટીમાં લાલ લીટો મારી દઇશ. જે બાદ વાલીએ ૩ દિવસ સુધી કોઇને ફરિયાદ ન કરી. જો કે બાળકની આંખ ખરાબ થઇ જતા અંતે વાલીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર વાતમાં કરૂણતા એ છેકે પોલીસે શાળા સંચાલકો કે શિક્ષિકા સામે કોઇ કડક કાર્યવાહી કરી નથી. ત્યારે આ રીતે એક શિક્ષિકાના અત્યાચારથી વિદ્યાર્થીની જિંદગી ખરાબ થઇ છે જેના કારણે શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઇ છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ