Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

સેંસેક્સ ૬૪ પોઈન્ટ ઘટી ૩૫૫૯૩ની સપાટીએ પહોંચ્યો

શેરબજારમાં આજે સતત ત્રીજા કારોબારી સેશનમાં સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું. બીએસઈ સેંસેક્સ ૬૪ પોઇન્ટ ઘટીને ૩૫૫૯૩ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી નવ પોઇન્ટ ઘટીને ૧૦૬૫૨ની નીચી સપાટીએ રહ્યો હતો. પીએસયુ બેંકના શેરમાં જોરદાર તેજી રહી હતી. વ્યક્તિગત શેરોની વાત કરવામાં આવે તો એસ્કોર્ટના શેરમાં મંદી રહી હતી. બીજી બાજુ અદાણી પોર્ટના શેરમાં છ ટકાનો ઉછાળો આવ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૫૭ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૪૬૮ રહી હતી.
સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૧૪ પોઇન્ટનો ઘટાડો રહ્યો હતો જેથી તેની સપાટી ૧૩૭૦૮ રહી હતી. એશિયન શેરબજારમાં પણ કડાકો બોલી ગયો હતો. શેરબજારમાં ગઇકાલે સોમવારના દિવસે જોરદાર વેચવાલીનું મોજુ ફરી વળ્યું હતું. બેચમાર્ક ઇન્ડેક્સ ગઇકાલે ૩૬૯ પોઇન્ટ ઘટીને ૩૫૬૫૭ની નીચી સપાટીએ રહ્યો હતો.
નિફ્ટી ઇન્ડેક્સ ૧૦૭૦૦ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. કારોબારના અંતે નિફ્ટીમાં સપાટી ૧૦૬૬૨ રહી હતી. ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં પ્રવાહી સ્થિતિ વચ્ચે વિદેશી મૂડીરોકાણકારોએ જાન્યુઆરી મહિનામાં ભારતીય શેરબજારમાંથી હજુ સુધી ૬૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આ પ્રવાહ આગામી મહિનામાં પણ જારી રહે તેવી શક્યતા છે.
નવેમ્બર અને ડિસેમ્બર ૨૦૧૭ દરમિયાન એફપીઆઈ દ્વારા ઇક્વિટી માર્કેટમાં ૮૫૫૪ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ આ સ્થિતિ સર્જાઈ છે. આ પહેલા ઓક્ટોબર મહિનામાં વિદેશી રોકાણકારોએ ૨૮૯૦૦ કરોડ પાછા ખેંચી લીધા હતા.
ડિપોઝિટરી પાસે ઉપલબ્ધ આંકડા મુજબ એફપીઆઈ પહેલીથી ૨૫મી જાન્યુઆરી દરમિયાન ૫૮૮૦ કરોડ રૂપિયાની રકમ પાછી ખેંચી લીધી હતી.
શેરબજારમાં આગામી દિવસોમાં ૧૦ પરિબળો ઉપર મુખ્યરીતે નજર રહેશે જેમાં વૈશ્વિક ઘટનાક્રમ, ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉતારચઢાવ, ડોલર સામે રૂપિયામાં નરમાઈ, ત્રીજા ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડાની અસર જોવા મળશે. પહેલી ફેબ્રુઆરીના દિવસે સરકારે વોટ ઓન એકાઉન્ટ પણ રજૂ કરવામાં આવનાર છે. નવી સરકાર જુલાઈ મહિનામાં સંપૂર્ણ બજેટ રજૂ કરે તે પહેલા ત્રણ મહિના માટે આ બજેટ રજૂ કરવામાં આવશે. નિષ્ણાતોનું કહેવું છે કે, ગ્રામીણ અને કૃષિ આધારિત સેક્ટરોમાં રાહતના ઇરાદાથી બજેટમાં સરકાર કેટલાક લોકપ્રિય પગલા જાહેર કરી શકે છે. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂત વર્ગને પ્રભાવિત કરવાના પ્રયાસો થઇ શકે છે.
કૃષિ પડકારોનો સામનો કરી રહેલા સમાજના સૌથી મોટા વર્ગને સંતુષ્ટ કરવાના ઇરાદાથી એનડીએ સરકાર આ બજેટમાં ખેડૂતો માટે પણ કોઇ નવી પહેલ કરી શકે છે. ખેડૂતોને ખુશ કરવાની સરકાર પાસે આ છેલ્લી તક છે. ત્યારબાદ લોકસભાની ચૂંટણી યોજાનાર છે.

Related posts

સીએનજીના ભાવમાં ૫-૬ રૂપિયાના ઘટાડાની શક્યતા

aapnugujarat

अनुच्छेद 370 हटाने से J&K में शांति स्थापित होगी : अमित शाह

aapnugujarat

૪૧ કલાકની મુસાફરી કરીને ભારત આવી શકું તેમ નથી : મેહુલ ચોક્સી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1