લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને કર્ણાટકના મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામીનો સાથ મળ્યો છે. તેમણે કહ્યું કે તેઓ ઇચ્છે છે કે રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બને. આ દરમિયાન તેમણે તેમના પિતા એચડી દેવેગૌડાની પણ આ મુદ્દે સહમતી હોવાની વાત કહી. તાજેતરમાં જ કુમારસ્વામીએ કહ્યું હતું કે વિપક્ષી દળોમાંથી રાહુલ ગાંધી જ શા માટે વડાપ્રધાન પદના ઉમેદવાર હોઇ શકે.
મહાગઠબંધનમાં માયાવતી, મમર્તા બેનર્જી, ઉપરાંત ઘણા ચહેરા છે. કુમારસ્વામીના આ નિવેદન બાદ રાજ્યની રાજનીતિમાં હલચલ શરૂ થઇ ગઇ છે. જોકે બાદમાં કર્ણાટકના મુખ્યપ્રધાને દલીલ રજૂ કરી હતી કે તેમના નિવેદનને તોડીમરોડીને રજૂ કરવામાં આવ્યુ હતું. હવે કુમારસ્વામીએ કહ્યું કે તેમની પાર્ટી તે વાતને લઇને સંપૂર્ણપણે આશ્વસ્ત છે કે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવું જોઇએ. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ પીએમ મોદીનો સામનો કરી શકે છે. કુમારસ્વામીએ પીએમ મોદીને કાગળ પરના સિંહ ગણાવ્યા. જ્યારે રાહુલ ગાંધીને ગંભીર રાજનેતા કહ્યા.