મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે ભાજપ પર પોતાની સરકારેન અસ્થિર બનાવવાનો આરોપ મુકતા કહ્યુ હતુ કે ભાજપ કર્ણાટકની જેમ મધ્યપ્રદેશમાં ઓપરેશન લોટસ ચલાવી રહી છે.ભાજપે કેટલાક કોંગ્રેસના ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે.
એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કમલનાથે કહ્યુ હતુ કે ભાજપે કોંગ્રેસના પાંચ ધારાસભ્યોને લાલચ આપી હતી.જેથી કોંગ્રેસની સરકાર ઉથલાવી શકાય.ધારાસભ્યોએ જ મને આ જાણકારી આપી હતી. જોકે તેમણે કહ્યુ હતુ કે સરકારને કોઈ ખતરો નથી.ઉલ્ટાનુ ભાજપના પાંચ ધારાસભ્યો મારા સંપર્કમાં છે.જો ભાજપ મારી સરકાર ઉથલાવવાનો પ્રયાસ કરશે તો હું પણ એવી જ રીતે જવાબ આપીશ.