Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૩૦મીથી અન્ના અચોક્કસ મુદતની ભુખ હડતાલ પર

સામાજિક કાર્યકર અને ગાંધીવાદી નેતા અન્ના હજારેએ આજે ભ્રષ્ટાચાર વિરોધી કાયદાને લાગુ કરવા અને ખેડુતો સાથે જોડાયેલી માંગોને લઈને ૩૦મી જાન્યુઆરીથી અચોક્કસ મુદતની ભુખ હડતાલની જાહેરાત કરી હતી. હજારેએ કહ્યું હતું કે જો લોકપાલની રચના થઈ હોત તો રાફેલ કૌભાંડ થયું ન હોત. તેમણે કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલતના આદેશ છતાં લોકપાલ અને લોકાયુક્ત ૨૦૧૩ને અમલી કરવામાં કેન્દ્ર સરકાર સફળ રહ્યું નથી. કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતા અન્ના હજારેએ કહ્યું હતું કે દેશ પર તાનાશાહીની તરફ જવાનો ખતરો તોળાઈ રહ્યો છે. છેલ્લા આઠ વર્ષના ગાળામાં લોકપાલની માંગને લઈને અન્ના હજારે ત્રીજી વખત ભુખ હડતાલ ઉપર જઈ રહ્યા છે. સિવિલ સોસાયટીની સભ્યો તથા વિવિધ જુથોનું નેતૃત્વ કરીને એપ્રિલ ૨૦૧૧માં પ્રથમ વખત રામલીલા મેદાન પર અચોક્કસ મુદતની ભુખ હડતાલ યોજવામાં આવી હતી. હજારેએ પત્રકાર સંમેલનમાં કહ્યું હતું કે જો લોકપાલની સ્થિતિ રહી હોત તો રાફેલ જેવું કૌભાંડ થયું ન હોત. રાફે સાથે જોડાયેલા કાગળોને લઈને પણ વાત કરી હતી. બે દિવસ આ કાગળોને લઈને અભ્યા કર્યા બાદ પત્રકાર પરિષદનું આયોજન કરશે. અન્નાએ કહ્યું હતું કે તેમને એ વાત સમજાઈ રહી નથ કે સમજૂતીથ એક મહિના પહેલા બનાવવામાં આવેલી કંપનીને આમાં ભાગીદાર કંપની કઈ રીતે બનાવી શકાય છે. ૩૦મી જાન્યુઆરીના દિવસે તેઓ પોતાના વતન ગામ રાલેગણસિધ્ધીમાં ભૂખ હડતાલ કરશે. સરકાર દ્વારા માંગ પુરી કરવામાં ન આવે ત્યાં સુધી ભુખ હડતાલ જારી રાખશે. તેમણે કહ્યું હતું કે ભૂતકાળમાં સરકાર લેખિતમાં કહી ચુકી છે કે તેઓ લોકપાલ કાયદાને પસાર કરશે. ખેડુતોને પેન્શન અને દોઢગણી વધારે સમર્થન મૂલ્યની રકમ ઉપલબ્ધ કરાવશે. તેઓ ખોટા વચનો ઉપર વિશ્વાસ કરશે નહીં. અન્નાએ કહ્યું હતું કે અચોક્કસ મુદતની ભૂખ હડતાલ પર જવાનો નિર્ણય તેઓ કરી ચુક્યા છે. કોઈ બંધારણીય સંસ્થાના આદેશનું પાલન નહીં કરવાની બાબત પણ યોગ્ય નથી.
લોકશાહીથ તાનાશાહીની તરફ આ બાબત દેશને દોરી જાય છે. સરકાર આવું જ કરી રહી છે. નવી સરકાર સુપ્રિમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે પણ તૈયાર નથી. તેમણે કહ્યું હતું કે રાલેગણસિદ્ધીના બદલે પોત પોતાના સ્થળે ભૂખ હડતાળ કરવા માટે અન્નાએ પોતાના સમર્થકોને કહ્યું છે. રાષ્ટ્રીય કિસાન મહાપંચાયતે અન્ના હજારેને સમર્થન આપ્યું છે. કિસાન મહાપંચાયતે કહ્યું છે કે હજારેએને સમર્થન આપવા દેશભરના ખેડુત સંગઠન ભુખ હડતાલમાં સામેલ થશે.

Related posts

પૂર્વ રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસનું નિધન

aapnugujarat

जम्मू-कश्मीर में केंद्र से हरी झंडी मिलने के बाद होगा परिसीमन

aapnugujarat

મેઘાલય ૬૭ અને નાગાલેન્ડમાં ૭૫ ટકાથી વધારે મતદાન નોંધાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1