Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પોષ પુર્ણિમાના દિવસે લાખો શ્રદ્ધાળુઓનું સ્નાન

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ઉપર ચાલી રહેલા મહાકુંભ મેળાના ભાગરૂપે પોષ પૂર્ણિમા સ્નાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કાતિલ ઠંડી હોવા છતાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સુર્યોદય પહેલા જ મોટી સંખ્યામાં લોકો જુદા જુદા ઘાટ પર પહોંચી ગયા હતા. મહાકુંભ મેળાના ભાગરૂપે આજે બીજા પવિત્ર સ્નાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તમામ ઘાટ પર શ્રદ્ધાળુઓ પર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. વહેલી સવારે પવિત્ર સ્નાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવ્યા બાદ બપોરના ગાળા સુધી આ પવિત્ર પ્રક્રિયા ચાલી હતી. સાધુ સંતોની સાથે સાથે મોટી સંખ્યામાં સામાન્ય લોકોએ પણ પવિત્ર સ્નાનમાં ભાગ લીધો હતો. ૧૫મી જાન્યુઆરીના દિવસે પ્રથમ શાહી સ્નાન સાથે મહાકુંભ મેળાની શરૂઆત થઈ હતી. આજે સવારેે પોષ પૂર્ણિમા સ્નાનને લઈને પણ અભૂતપૂર્વ ઉત્સાહ શ્રદ્ધાળુઓ અને સાધુ સંતોમાં જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ પૂર્ણિમા સ્નાન મેળાની શરૂઆત થઇ હતી. પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમેળામાં કરોડો લોકો પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પહેલાથી જ સાધુ સંતોના સ્નાન માટે સમય નક્કી કરવામાં આવ્યો છે. તે પહેલા કોઈપણ સ્નાન માટે નદીમાં ઉતરી શકે નહીં. કેટલીક વખત શાહી સ્નાનને લઈને સંતો વચ્ચે સંઘર્ષની સ્થિતિ પણ ભૂતકાળમાં જોવા મળી ચુકી છે. શાહી સ્નાન માટેની પરંપરા સદીઓ જૂની રહેલી છે. આજે સવારે પવિત્ર સ્નાનની પ્રક્રિયા મોડે સુધી જારી રહી હતી. પોશ પૂર્ણિમા સ્નાન બાદ ૩૧મી જાન્યુઆરીના દિવસે પોશ અકાદશી સ્નાનની વિધિ રહેશે. એમ માનવામાં આવે છે કે શાહી સ્નાનની પરંપરા ૧૪મીથી લઈને ૧૬મી સદી વચ્ચે શરૂ થઈ હતી. તે વખતે દેશમાં મોગલ શાસકો આવવાની શરૂઆત થઈ હતી. હરિદ્વારમાં ગંગાના કિનારે કુંભનું આયોજન કરવામાં આવે છે. ૧૫મી જાન્યુઆરીના દિવસે ઉત્તરાયણ પર્વના એક દિવસ પછી અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મહાકુંભ ૨૦૧૯ની શરૂઆત થઈ હતી. ગંગા, યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ ઉપર પ્રથમ શાહી સ્નાન સાથે આની શરૂઆત થયા બાદ પ્રથમ શાહી સ્નાનમાં લાખો લોકોએ પવિત્ર ડુબકી લગાવી હતી. હવે આજે પૌશ પૂર્ણિમા સ્નાનમાં પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળઓ વહેલી સવારથી ઉમટી પડ્યા હતા. ચોથી માર્ચ સુધી કુંભ મહોત્સવ ચાલનાર છે. ૫૦ દિવસ સુધી કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આના માટે ૪૨૦૦ કરોડ રૂપિયાની જંગી રકમ ખર્ચ કરવામાં આવી રહી છે. મહાકુંભને લઈને મહિનાઓથી તૈયારીઓ ચાલી રહી હતી. ઉત્તરપ્રદેશ સરકારે અલ્હાબાદમાં કુંભ માટે ૪૨૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. સૌથી મોંઘા તીર્થ સ્થળ તરીકે હવે આને ગણવામાં આવે છે. અગાઉની સરકારે ૧૩૦૦ કરોડ રૂપિયાની રકમ આપી હતી. કુંભામેળાનું સંકુલ આ વખતે છેલ્લા મેળાની સરખામણીમાં બે ગણા વધારા સાથે ૩૨૦૦ હેકટર વિસ્તારમાં છે. ૨૦૧૩માં કુંભનું આયોજન ૪૨૦૦ હેકટર વિસ્તારમાં કરાયું હતું.ભવ્ય કુંભ મેળાના કારણે હોસ્પિટાલિટી સેકટરમાં ૨.૫ લાખ લોકોને સીધી રીતે રોજગારી મળી રહી છે. એરલાઈન્સ અને એરપોર્ટ ઉપર ૧.૫ લાખ લોકોને નોકરી મળી છે. ઉપરાંત ટુર ઓપરેટર્સ દ્વારા ૪૫ હજાર લોકોને રોજગારી આપવામાં આવી છે. ટુરીઝમ અને મેડિકલ ટુરીઝમના પરિણામ સ્વરૂપે ૮૫ હજાર લોકોને રોજગારી મળી છે. ઉપરાંત ટુર ગાઈડ, ટેક્સી ડ્રાઈવર સહિતના કોરોબારીઓને ૫૦ હજાર નોકરીઓની તકો સર્જાઈ છે. સરકારી એજન્સીઓ અને વેપારીઓની આવકમાં વધારો થયો છે. ઓસ્ટ્રેલિયા, બ્રિટન, મલેશિયા, સિંગાપુર, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા જેવા દેશોમાંથી પ્રવાસી કુંભમેળામાં પહોંચ્યા છે. મેળાથી ઉત્તરપ્રદેશને ૧.૨ લાખ કરોડ રૂપિયાની આવક થઈ રહી છે. રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલપ્રદેશમાંથી પણ જંગી નાણાં આવી રહ્યા છે. કારણ કે મોટી સંખ્યામાં દેશ વિદેશમાંથી પ્રવાસીઓ આ રાજ્યોમાં પણ ફરવા જઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રહ નક્ષત્રોની ગણના મુજબ પોષ પુર્ણિમાના દિવસે આજે પુષ્ય નક્ષત્રનો ગાળો મોડી રાત સુધી જારી રહ્યો હતો. જ્યોતિષ શાસ્ત્રના કહેવા મુજબ કર્ક રાશિના ચંદ્રમાંથી યુક્ત પુર્ણિમા અને પુષ્ય નક્ષત્રના સંયોગ મકરના સૂર્ય, બુધ, વૃષભના ગુરૂ, મીનના મંગળની સાથે દાન-પુણ્યની પ્રક્રિયા શરૂ થઈ હતી. પોષ પૂર્ણિમા પર્વનું વિશેષ મહત્વ શાસ્ત્રોમાં રહેલું છે. આ દિવસે પવિત્ર સ્નાન કરવાથી ખૂબ લાભ થાય છે. કુંભમાં દુર દુરથી આવેલા મોટાભાગના શ્રદ્ધાળુઓ પોષ પુર્ણિમાથી સંગમ તટ ઉપર નિવાસ કરીને એક મહિના સુધી કલ્પવાસ વ્રત પ્રારંભ કરે છે. ધર્મ શાસ્ત્રોના કહેવા મુજબ પોષ પુર્ણિમાના દિવસે સ્નાન દાનનું વિશેષ મહત્વ રહેલું છે જે વ્યક્તિ સમગ્ર માસ દરમિયાન સ્નાનનું વ્રત ધારણ કરે છે તે પોતાના સ્નાનના પ્રારંભ પોષ પુર્ણિમાંથી શરૂ કરીને માગી પુર્ણિમાને સમાપ્ત કરે છે. આ ગાળા દરમિયાન મધુસુદન ભગવાનની પૂજા આરાધના કરીને તેમને ખુશ કરવાના પ્રયાસો કરવામાં આવે છે જેનાથી મધુસુદનની કૃપાથી મૃત્યુ બાદ ભક્તને સ્વર્ગમાં સ્થાન મળી શકે છે. આ પ્રકારની ધાર્મિક માન્યતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંગમના પવિત્ર જળમાં પ્રાણદાયિની શક્તિ વિદ્યમાન છે. પોષ પૂર્ણિમાનાં અવસર પર કેટલીક બાબતો પણ રહેલી છે. પોષ પુર્ણિમાથી પ્રારંભ કરીને માગમાં સ્નાનની સાથે સાથે દાનનું વિશેષ મહત્વ રહેલું છે.

Related posts

जम्मू-कश्मीर : विकास कायोर्ं की समीक्षा में जुटे अधिकारी

aapnugujarat

એનઆઈએ દ્વારા હાફીઝ અને સલાઉદ્દીનનાં નામ ચાર્જશીટમાં દાખલ

aapnugujarat

મોદી સિવાય કોઈ વડાપ્રધાન માટે લાયક નથી, એમ કહેવું જનતાનું અપમાન છે : માયાવતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1