Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

FPI દ્વારા ૯ સેશનમાં ૩૬૦૦ કરોડ પાછા ખેંચાયા

વિદેશી મૂડીરોકાણકારોએ સાવધાનીપૂર્વકનું વલણ અપનાવ્યું છે. આના ભાગરુપે છેલ્લા નવ કારોબારી સેશનમાં ઇક્વિટી માર્કેટમાંથી ૩૬૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમ પાછી ખેંચી લીધી છે. નવેમ્બર અને ડિસેમ્બરના ગાળા દરમિયાન એફપીઆઈ દ્વારા ઇક્વિટી માર્કેટમાંથી ૮૫૮૪ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ આ નાણા પરત ખેંચવામાં આવ્યા છે. ડિપોઝિટરી પાસે ઉપલબ્ધ આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, એફપીઆઈએ પહેલીથી ૧૨મી જાન્યુઆરીના ગાળા દરમિયાન ઇક્વિટીમાંથી ૩૬૭૭ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા જ્યારે આ લોકોએ સમીક્ષા હેઠળના ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાં ૧૮૭૨ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. જાણકાર લોકોનું કહેવું છે કે, શેરબજારમાં ભારે પ્રવાહી સ્થિતિ જોવા મળી રહી છે જેના લીધે કારોબારી સેશનમાં વિદેશી રોકાણકારો સાવચેતીપૂર્વકનુ વલણ અપનાવી રહ્યા છે. એફપીઆઈ દ્વારા સતત નાણાં ઠાલવામાં આવ્યા બાદ હવે ઇક્વિટી માર્કેટમાંથી નવ સેશનમાં જંગી નાણાં પરત ખેંચાયા હતા. ફોરેન પોર્ટ ફોલિયો ઇન્વેસ્ટર્સ દ્વારા વર્ષ ૨૦૧૮માં ભારતીય બજારમાંથી ૮૩૧૪૬ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા જેમાં ઇક્વિટીમાંથી ૩૩૫૫૩ કરોડ અને ડેબ્ટ બજારમાંથી ૪૯૫૯૩ કરોડનો સમાવેશ થાય છે. ૨૦૦૨ બાદથી વિદેશી મૂડી રોકાણની દ્રષ્ટિએ ભારતીય મૂડી માર્કેટ માટે આ સૌથી નિરાશાજનક વર્ષ રહ્યું છે. જુદા જુદા કારણો આના માટે જવાબદાર રહ્યા છે. અમેરિકામાં વ્યાજદરમાં વધારો પણ અડચણરુપ રહ્યો છે. ૨૦૧૮ પહેલા એફપીઆઈ દ્વારા સતત છ વર્ષમાં ઇક્વિટીમાં ખરીદી કરવામાં આવી હતી. ૨૦૧૧માં ભારતીય શેરબજારમાંથી એફપીઆઈએ નાણાં પરત ખેંચ્યા હતા. તે પહેલા ૨૦૦૮માં પણ વેચવાલીનો માહોલ રહ્યો હતો. ૨૦૧૮માં એફપીઆઈ શરૂઆતના ગાળામાં નાણાં ઠાલવ્યા હતા પરંતુ વૈશ્વિક બજારમાં નબળી સ્થિતિ અને ઇક્વિટી મૂડીરોકાણ ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સના પરિણામ સ્વરુપે નાણાં પરત ખેંચવાની શરૂઆત થઇ હતી. માર્ચ મહિનામાં ટુંકી રિકવરી થયા બાદ આ વર્ષના મોટાભાગના ગાળામાં વેચવાલી રહી હતી.

Related posts

સપા દ્વારા આતંકવાદીઓના કેસને ખતમ કરી દેવાતા હતા : યોગી આદિત્યનાથ

aapnugujarat

केंद्रीय मंत्रिमंडल ने NIA को और मजबूती देने के दो कानूनों में संशोधन के प्रस्ताव को दी मंजूरी

aapnugujarat

મોબાઈલ નંબર પોર્ટ કરાવવાનું થશે સસ્તુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1