Aapnu Gujarat
ગુજરાત

ભાનુશાળીની હત્યા નલિયાકાંડના આરોપીને બચાવવા થઈઃ તુષાર ચૌધરી

ભાજપના રાજમાં મહિલાઓ પર અત્યાચાર વધ્યાના આક્ષેપ સાથે વ્યારામાં કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. તુષાર ચૌધરીની અધ્યક્ષતામાં નીકળેલી રેલીમાં ભાજપથી બેટી બચાવોના નારા લાગ્યાં હતાં. તુષાર ચૌધરીએ ભાજપ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, નલિયાકાંડના આરોપીઓને બચાવવા માટે જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી છે.
તાપી જિલ્લાના વ્યારાનું રાજકારણ છેલ્લા એકાદ સપ્તાહથી ગરમાયું છે. ગત સોમવારે વ્યારા ખાતે ભાજપ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપે આ રેલી દ્વારા વ્યારા નગરમાં અસામાજિક તત્વોને ડામવા માટેનો અવાજ ઉઠાવ્યો હતો. જ્યારે શુક્રવારે કોંગ્રેસ દ્વારા યોજાયેલી રેલીમાં મહિલાઓ પર થતા અત્યાચારો દિનપ્રતિદિન વધી રહ્યાં હોવાના આક્ષેપ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જોડાયેલી મહિલાઓએ ભાજપ વિરોધી નારાઓ લગાવ્યા હતાં. સાથે કટ આઉટ અને બેનર પર સુત્રો લખીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
રેલીમાં જોડાયેલા ડો. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં છીનાળાઓ વધી ગયાં છે. પોતાના પાપ છુપાવવા પોતાના જ નેતાઓની હત્યા કરવામાં આવી રહી છે. માં- બેટી ભાજપના રાજમાં સલામત નથી માટે અમારે આ રેલીનું આયોજન કરવું પડ્યું છે.

Related posts

સુરતમાં સીટી બસ માટે જગ્યા નક્કી કરી મ્યુનિ.એ વર્ષો જુનું દબાણ દુર કર્યું

aapnugujarat

સોલા સિવિલ : સીસીટીવી કેમેરા-લિફ્ટ બંધ સ્થિતિમાં

aapnugujarat

ગુજરાત – મધ્ય પ્રદેશને જોડતો N.H. ૫૬ હાઈ-વે પર મસમોટા ભુવા : તંત્ર નિંદ્રાધીન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1