Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગઠબંધનની આજે ઘોષણા થઇ શકે : માયા-અખિલેશની બેઠક

ઉત્તર પ્રદેશની રાજનીતિમાં આવતીકાલે કોઇ મોટા ઘટનાક્રમની જાહેરાત થઇ શકે છે. આના ઉપર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ આવતીકાલે ઉત્તરપ્રદેશ માટે ગઠબંધનની જાહેરાત કરી શકે છે. તેમના ગઠબંધનને લઇને સત્તાવાર જાહેરાતની રાજકીય વર્તુળોમાં રાહ જોવામાં આવી રહી છે. શનિવારના દિવસે માયાવતી અને અખિલેશ યાદવ પત્રકાર પરિષદ યોજનાર છે જેમાં મહત્વના નિર્ણયની જાહેરાત કરવામાં આવનાર છે. પત્રકાર પરિષદ આવતીકાલે બપોરે ૧૨ વાગે યોજનાર છે જેમાં બેઠકોની વહેંચણીના સંબંધમાં પણ જાહેરાત કરવામાં આવી શકે છે. ઉત્તરપ્રદેશની રાજનીતિ માટે આવતીકાલનો દિવસ નિર્ણાયક બની શકે છે. ઉત્તરપ્રદેશના રાજકીય ઇતિહાસમાં આવુ પ્રથમ વખત થઇ રહ્યુ છે જ્યારે બે દિગ્ગજ નેતા માયાવતી અને અખિલેશ એક સાથે મિડિયાની સામે આવનાર છે. તમામ પત્રકારોને આમંત્રણ આપી દેવામાં આવ્યુ છે. સમાજવાદી પાર્ટીના નેતા રાજેન્દ્ર ચોધરી અને બસપના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચન્દ્ર મિશ્રા તરફથી તમામને આમંત્રણ આપી દેવામાં આવ્યુ છે.આ પહેલા રામ મંદિર આંદોલનના ગાળા દરમિયાન ૧૯૯૩માં સપા અને બસપનાની સાથે મળીને ચૂંટણી લડી હતી. ત્યારે રાજ્યમાં ગઠબંધન સરકાર બનાવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પાર્ટીને સામેલ ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે કોંગ્રેસ મહાગઠબંધનનો હિસ્સો બનનાર નથી. ઉત્તરપ્રદેશમાં લોકસભાની ૮૦ સીટો રહેલી છે. બંને પાર્ટી ૩૭-૩૭ સીટો પર ચૂંટણી લડી શકે છે.પત્રકાર પરિષદ દરમિયાન કેટલીક અન્ય બાબતોની પણ જાહેરાત કરવામાં આવી શકે છે. જો ગઠબંધન કરાશે તો ૨૫ વર્ષ પહેલાની જીતનુ પુનરાવર્તન થઇ શકે છે. બીજી બાજુ આજે સમાજવાદી પાર્ટીના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આજે કહ્યું હતું કે, અમારી ગણતરી બિલકુલ યોગ્ય છે. ભાજપના કારણે જ અમે એક થઇ શક્યા છે. પોતાના સંસદીય મતવિસ્તાર કન્નોજમાં ચૌપાલ લગાવીને બેઠેલા અખિલેશે કહ્યું હતું કે, ગયા વર્ષે પ્રદેશની ત્રણ સીટો ઉપર યોજાયેલી પેટાચૂંટણીમાં અમારી શાનદાર જીત થઇ હતી. અમે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ગોરખપુર સીટ સહિત ત્રણ સીટો ઉપર જીત મેળવી લીધી હતી. આ ચૂંટણીને તમામ પાર્ટીઓને ભાજપની સામે એક કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. અખિલેશે કહ્યું હતું કે, આ ગઠબંધન પણ હવે તુટશે નહીં. યોગીએ કહ્યું હતું કે, હવે સફળતા તરફ આગળ વધવાની જવાબદારી અમારી રહેલી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, પાર્ટીના વિકાસ કાર્યમાં અમે ઝડપથી આગળ વધી રહ્યા છે. બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ શનિવારના દિવસે લખનૌમાં પત્રકાર પરિષદ યોજીને ગઠબંધનની જાહેરાત કરનાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીને લઇને ઉત્તરપ્રદેશમાં આવતીકાલે મહાગઠબંધનની જાહેરાત કરવામાં આવનાર છે ત્યારે રાષ્ટ્રીય લોકદળે દબાણ વધારી દીધું છે. રાષ્ટ્રીય લોક દળ આ જાહેરાતથી એક દિવસ પહેલા જ સીટોને લઇને જોરદાર દાવ રમી કાઢ્યો છે. માયાવતી અને અખિલેશની ફોર્મ્યુલાથી નાખુશ થયેલા આરએલડીએ પોતાના માટે છ સીટની વાત કરી છે. આરએલડીના પ્રદેશ અધ્યક્ષ મસુદ અહેમદનું કહેવું છે કે, તેમની પાર્ટી પ્રદેશની છ સીટો ઉપર ચૂંટણી લડવા માટે ઇચ્છુક છે. અહેમદે કહ્યું હતું કે, મહાગઠબંધન માટે શનિવારના દિવસે માયાવતી અને અખિલેશની યોજાનારી પત્રકાર પરિષદ માટે પાર્ટીને આમંત્રણ મળ્યું નથી. પાર્ટીના ઉપાધ્યક્ષ જયંત ચૌધરી આવતીકાલે લખનૌમાં રહેશે. એમ માનવામાં આવે છે કે, બંને નેતાઓ સાથે મુલાકાત કરીને આ સંદર્ભમાં નિર્ણય લેવામાં આવશે. જયંત ચૌધરી આ પહેલા અખિલેશની મંગળવારે વાતચીત કરી ચુક્યા છે. આરએલડી વડા અજીતસિંહને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો હતો ત્યારે કહ્યું હતું કે, ગઠબંધનના સાથી પક્ષો સાથે વાતચીત કર્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસ પાર્ટી આ ગઠબંધનનો હિસ્સો રહેશે નહીં. સુત્રોના કહેવા મુજબ માયાવતી આરએલડીને ત્રણ કરતા વધારે સીટો આપવા માટે તૈયાર નથી જ્યારે આરએલડી ઓછામાં ઓછી ૬ સીટો ઇચ્છે છે. ગઠબંધન હેઠળ મથુરા, બાગપત, મુઝફ્ફરનગરની સીટો આરએલડીને આપવામાં આવી શકે છે પરંતુ પાર્ટી વધારે સીટો ઇચ્છે છે. પાર્ટી હાથરસ, અમરોહા અને કેરાના સીટની પણ માંગ કરી છે.

Related posts

ચારધામ યાત્રાના ૨૭ દિવસમાં ૧૦૮ યાત્રાળુનાં મોત થયા

aapnugujarat

AAP બની રાષ્ટ્રીય પાર્ટી

aapnugujarat

મધ્યપ્રદેશમાં ઓક્સિજનના અભાવે પાંચ દર્દીઓના મોત

editor

Leave a Comment

UA-96247877-1