Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રેલવેને ટ્રેક પર મુકવા માટે જંગી મૂડીરોકાણની તૈયારી

પહેલી ફેબ્રુઆરીના દિવસે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવનાર છે.નાણાં પ્રધાન અરૂણ જેટલી દ્વારા સતત છઠ્ઠુ બજેટ રજૂ કરવામાં આવનાર છે. લોકસભાની ચૂંટણી યોજાય તે પહેલાના આ અંતિમ બજેટમાં કેટલાક ખાસ પગલા જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. સામાન્ય બજેટની સાથે સાથે રેલવે બજેટ પણ રજૂ કરવામાં આવનાર છે. ટ્રેક ઉપર રેલવેને મુકવા માટે મહાકાય યોજના તૈયાર કરી લેવામાં આવી છે. ભારતીય રેલવે મંત્રાલય માટે મૂડી ખર્ચને ૨૦૩૨ સુધી સતત વધારવા માંગે છે. રેલવેના આધુનિકીકરણ કેપેસિટી ક્ષમતા ઉપર વધારે ખર્ચ કરવામાં આવશે. સરેરાશ વાર્ષિક રોકાણને પણ વધારવામાં આવનાર છે. લાંબા ગાળાના રોકાણમાં વિઝન ૨૦૩૦ની આધુનિકીકરણ યોજના અને ૫.૫૬ ટ્રિલિયન રૂપિયાના રોકાણ ટાર્ગેટનો સમાવેશ થાય છે. પૂર્વ રેલવે મંત્રી સુરેશ પ્રભુએ ૨૦૧૪-૧૫માં રોકાણ ટાર્ગેટની શરૂઆત કરી હતી. કેપેસિટીને વધારવા અને આધુનિકીકરણની યોજનાને પહોંચી વળવા માટે ૨૦૩૨ સુધી ભારતીય રેલવેને ૩૫.૩ ટ્રિલિયન રૂપિયાની જરૂર દેખાઈ રહી છે. સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવેલા મંત્રાલયના અહેવાલમાં કહેવામાં આવ્યું છે. રેલવે દ્વારા પહેલાથી જ કામગીરી શરૂ કરી દેવાઈ છે. આગામી વર્ષોમાં દર વર્ષે૪૦૦૦ કિમીની વિજળીકરણની સિદ્ધિ હાસલ કરવામાં આવનાર છે. ૨૦૧૫-૧૬ દરમિયાન રેલવે માટે કેપેક્ષનો આંકડો ૯૩૫.૨ અબજ રૂપિયાનો હતો. જ્યારે ૨૦૧૬-૧૭માં આ આંકડો ૧.૨૧ ટ્રિલિયન રૂપિયાનો હતો. હાલના વર્ષોમાં ઉલ્લેખનીય વધારો તેમાં થયો છે. નવેસરના પ્લાન મુજબ રેલવે નૂરની હિસ્સેદારી ૩૩ ટકાથી વધીને ૪૭ ટકા સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત રેલવે દ્વારા પેસેન્જર ટ્રેનોના મામલે ૩.૩ ટ્રિલિયન પીકેએમને કરવાની પણ યોજના છે. રેલવે દ્વારા આધુનિકીકરણ માટે જે પહેલ કરાઈ છે જેના ભાગરુપે ૨૦૩૨ સુધી ૩૫૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ રેલવે કરશે. ડબલિંગની વાત કરવામાં આવે તો ૧૦૦૦૦ કિમી છે. રેલવે ઇલેક્ટ્રીફિકેશનનો આંકડો ૧૫૦૦૦ કિલોમીટરનો છે. સંપત્તિ વધારવાની દિશામાં સંશાધનો વધારવામાં આવશે. બજેટમાં યુરોપિયન ટ્રેન કન્ટ્રોલ સિસ્ટમ (ઇટીસીએસ) ટેકનોલોજીના અમલીકરણની દિશામાં સરકાર આગળ વધી રહી છે. રેલવે સ્ટેશનોના કોમર્શિયલ આધુનિકીકરણ માટે એક ટ્રિલિયન રૂપિયાની યોજના તૈયાર કરાઈ છે. રેલવે યાત્રીઓને વધુને વધુ સુવિધા મળે તે બાબત પર ધ્યાન મુકવામાં આવી શકે છે. વર્તમાન સરકાર રેલવે સ્ટેશન અને ટ્રેનોની સુવિધા માટે કેટલીક રાહત જાહેર કરી શકે છે. યાત્રી ભાડાને લઇને કોઇ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે.

Related posts

યુદ્ધ જ નથી થઈ રહ્યું તો સૈનિકો શહીદ કેમ થાય છે ?ઃ ભાગવત

aapnugujarat

New EPC soon: Piyush Goyal and Naik forges together to boost AYUSH exports

editor

तीन साल बाद भी कायम है मोदी लहरः सर्वे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1