તાજેતરમાં નસીરૂદ્દીન શાહને ઘણા જ ટ્રોલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેટલીક જગ્યાએ તેમનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. જો કે હવે ‘સામના’માં છપાયેલા લેખમાં શિવસેનાનાં પ્રવક્તા સંજય રાઉતે નસીરૂદ્દીન શાહની પ્રશંસા કરી છે. સંજય રાઉતનું આ નિવેદન ચોંકાવનારું છે.
સંજય રાઉતે નસીરૂદ્દીન શાહનાં મૉબ લિંચીગનાં ડરને યોગ્ય જણાવ્યું છે. એટલું જ નહીં, સંજય રાઉતે કહ્યું છે કે, જે લોકો નસીરૂદ્દીન શાહને આરોપીઓનાં કઠેડામાં ઉભા કરે છે, તેમણે આત્મનિરીક્ષણ કરવું જોઇએ.સંજય રાઉતે આગળ પોતાના નિવેદનમાં કહ્યું, ‘જે રીતે મુસલમાન બીફ ખાય છે, એ જ રીતે અન્ય ધર્મનાં લોકો પણ બીફ ખાય છે. મોદીનાં મંત્રીમંડળમાં પણ બીફ ખાનારાઓ છે. તેમને સરકારી સુરક્ષામાં ગૌમાંસ ખાવાનો સંપૂર્ણ અધિકાર મળ્યો છે. આ ઘણી મનોરંજક વાત છે.સંજય રાઉતે કહ્યું કે, નસીરૂદ્દીન જેવા કલાકારો મુસ્લિમ હોવાનાં કારણે પોતાનો ડર પ્રદર્શિત નથી કરી શકતા તો અન્ય લોકો તેમના પર ટુટી પડે છે. મુસ્લિમ હોવા છતા શાહે ક્યારેય પાકિસ્તાનની વાહ વાહી નથી કરી.
નસીરૂદ્દીન શાહે ઘણી જ સભાનતાપૂર્વક વાત કહી છે. તેમણે ઉત્તરપ્રદેશનાં આઝમ ખાનની માફક કંઇપણ આડેધડ નથી કહ્યું. આમિર ખાન અને શાહરૂખ ખાને પણ આ પ્રકારનાં વક્તવ્ય આપ્યા હતા, પરંતુ બંનેનાં કાર્યક્રમમાં ભાજપનાં નેતાઓ જાય છે, મુખ્યમંત્રી જાય છે અને તેમની સાથે બેસે છે. આ દેશમાં પોતાની વાત કહેવાનો અધિકાર સૌને છે તે વાત આપણે સમજવી જોઇએ.સંજય રાઉતે કહ્યું છે કે, નસીરૂદ્દીન શાહ પહેલા ઘણા હિંદૂ વિચારકોએ આ વાત કહી છે તેમને કયા દેશમાં મોકલશો? નસીરૂદ્દીન શાહની પીડાને સમજવી પડશે. તેને સમજવાની સ્થિતિમાં આજે દેશ નથી.ઉલ્લેખનીય છે કે નસીરૂદ્દીન શાહે કહ્યું હતુ કે દેશમાં આજે જે પ્રકારનો માહોલ છે તે જોઇને તેમને ડર લાગે છે કે, ભીડ તેમના બાળકોને પણ પુછશે કે તમે હિંદૂ છો કે મુસ્લિમ?’
પાછલી પોસ્ટ