Aapnu Gujarat
બ્લોગ

ખેડૂતોની દેવા માફી

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાતના વાયદા પછી અતિમહત્વના ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ જીતી છે, અને આ ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસની સરકાર આવી છે, જેથી હવે ખેડૂતો પણ દેવા માફ થવાની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. રાજકીય વાયદાઓ કેટલા પળાય છે, તે તો સૌ જાણે છે. પણ ખેડૂતોના દેવા માફ કરવાના વચન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.ખેડૂતોના દેવા માફ કરીને દેશના અર્થતંત્ર પર બોજો વધારવો, દેશની નાણાકીય ખાધમાં વધારો થાય, એકતરફ બેંકોની કથળેલી હાલત અને તેમાં પાછા ખેડૂતોની લોન માફ કરવાનીપ અત્રે ચર્ચા એ છે કે ખેડૂતોના દેવા માફ કરવા તેને બદલે ખેડૂતોની આવક વધે કે ઉપજ વધે તેવા કોઈ પગલા વિચારવની જરૂરિયાત ઉભી થઈ છે. કયા સુધી દેવા માફી થશે.અમે ખેડૂતોના દેવા માફ થાય તેના કોઈ જ વિરોધમાં નથી. ખેડૂત તો જગતનો તાત છે, તેને સૌથી વધુ સઘિયારાની જરૂર હોય છે. ખેડૂત નહી હોય તો દેશની ઈકોનોમી સંભવ જ નથી કારણ ભારત કૃષિપ્રધાન દેશ છે. પણ વારંવાર ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે છે, પણ કોઈ તેના વિકલ્પમાં શુ કરી શકાય તે કોઈ વિચારતું નથી. આર્થિક જગતના નિષ્ણાતો પણ દેવા માફીના વિરોધી છે.હાલ ત્રણ રાજ્યોમાં ભાજપે સત્તા ગુમાવી છે, આ સંજોગોમાં કેન્દ્રની મોદી સરકાર પર દબાણ વધી રહ્યું છે. ૨૦૧૯માં લોકભાની ચૂંટણી આવી રહી છે. તે પહેલા ખેડૂતોના દેવા માફ કરીને ખેડૂતોના મત અંકે કરવાની ચાલ રમાશે. ૨૦૧૯ની ચૂંટણીમાં તમામ પક્ષ પોતાના મેનિફેસ્ટોમાં ખેડૂતોના દેવા માફ કરવાનું વચન આપશે. બીજી તરફ સરકારે નાણાકીય ખાદ્યને જીડીપીના ૩.૩ ટકા સુધી સીમિત રાખવાનું નક્કી કર્યું છે. આ કારણે જે તમામ રાજ્ય સરકારો તરફથી ખેડૂતોના દેવા માફી કર્યા પછી નાણાપ્રધાન અરૂણ જેટલીએ સ્પષ્ટ કર્યુ હતું કે કેન્દ્ર સરકાર આવી કોઈ યોજનામાં રાજ્ય સરકારોની સાથ નહી આપે, તેના માટે રાજ્યોએ તમામ બોજો પોતે ઉઠાવવા પડશે.
આપને જણાવી દઈએ કે ૨૦૧૪માં અત્યાર સુધીમાં ૭ રાજ્યોએ અંદાજે ૧ લાખ ૮૨ હજાર ૮૦૨ કરોડ સુધીની રકમનું દેવું માફ કર્યું છે. અને હવે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ કોંગ્રેસની નવી સરકાર ખેડૂતોના દેવા માફ કરવાની મોટી જાહેરાત કરશે, જેથી દેવા માફીનો આંકડો ૪ લાખ કરોડને પણ વટાવી જશે.રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેની ધીરાણ નીતિની સમીક્ષા વખતે નોંધ્યું હતું કે ખેડૂતોના દેવાની માફી નાણાકીય અનુસાશન પર વિપરીત અસર કરી શકે છે.
રીઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું છે કે રાજકીય પક્ષોએ ચૂંટણી દરમિયાન દેવા માફીનું વચન આપવું જોઈએ નહી. તેમણે આ અંગે ચૂંટણી પંચને પત્ર પણ લખ્યો છે અને યોગ્ય પગલા ભરવા જણાવ્યું છે. રાજનનું કહેવું છે કે તેનાથી ખેતીવાડી ક્ષેત્રમાં રોકાણ ઘટે છે, અને રાજ્યોની આર્થિક સ્થિતી બગડે છે. ખેડૂતોના દેવા માફીનો લાભ માત્ર વગદાર ખેડૂતોને જ મળે છે. હકીકતમાં ગરીબ ખેડૂત સુધી લાભ પહોંચતો જ નથી. વાંરવાર દેવા માફી થવાથી ખેડૂતોને પણ લોન લીધા પછી નહી ભરવાની માનસિકતા સર્જાય છે. કે સરકાર દેવુ માફ કરવાની જ છે ને.ચોમાસું નબળું ગયું હોય ત્યારે ખેડૂતોનું વર્ષ બગડે તે સ્વભાવિક છે, અથવા તો ખેત ઉપજના ભાવ ન મળે તો ખેડૂતને નુકશાન જાય તેમ બને છે, પણ તેના માટે ખેડૂતને લાભ પણ અને તેની ઉપજ સારા દામમાં વેચાઈ જાય તે માટે રાજકીય પક્ષોઓએ ભેગા થઈને વિચારવાની જરૂર છે. નહી કે તેને મતબેંક બનાવવાની. આ હાલના સમયની માંગ છે. દેવા માફી લાંબેગાળે ખુબ જ ગંભીર અસરો ઉભી કરી શકે છે. વિશ્વના દેશો વિકાસ તરફ હરણફાળ ભરી રહ્યા છે, ત્યારે ભારત દેશ ખેડૂતોના દેવા માફ કરીને આર્થિક રીતે કંગાળ થતો જાય છે. વિશ્વમાં પણ આવી સમસ્યા આવતી હશે, ત્યાં અભ્યાસ કરીને ખેડૂતોને નુકશાન ન જાય તે માટેના પગલા લેવા જોઈએ. કારણ કોમ્પિટિશન ખુબ વધતી જાય છે.
નવા આર્થિક સુધારા કરવાને સ્થાને દેવા માફીની જોગવાઈ કરવાની આવે છે, જેનો ટેક્સ વિવિધ વસ્તુઓ પર જાય અને મોંઘવારી વધતી જાય. આ ચક્ર કયારેય અટકવાનું નથી. બજેટ આવે એટલે બોજો આવશે તેવું કહેવાય છે. પણ હકીકતે આ વિચારસરણી બદલવાનો સમય આવી ગયો છે.અત્રે નોંધવું ઘટે કે ૧૯૯૦માં વીપી સિંહની સરકારે પહેલી વાર દેશના ખેડૂતોના અંદાજે રૂપિયા ૧૦ હજાર કરોડનું દેવા માફ કર્યા હતા. તે પછી યુપીએ સરકારે ૨૦૦૮-૦૯માં ૪ કરોડ ખેડૂતોને ધ્યાનમાં રાખીને અંદાજે રૂપિયા ૭૧ હજાર કરોડનું દેવું એકસાથે માફ કરવાની જાહેરાત કરી હતી.આમ તે પછી ૨૦૧૪થી રાજ્ય સરકારોની ચૂંટણી આવે છે તેમ તેમ રાજ્યો ખેડૂતોના દેવા માફ કરીને વોટબેંકની રાજનીતિ કરી રહ્યા છે. દેવા માફીનો બોજો રાજ્ય સરકારના બજેટ પર આવી રહ્યો છે, અને દેશની ઈકોનોમી પર લાંબાગાળે વિપરીત અસર પડી શકે છે.પણ હવે રાજ્ય સરકારોએ અને કેન્દ્ર સરકારે ખેડૂતોને ઉપજની પ્રોપર કીમત મળી રહે તે માટેના પગલા લેવા અંગે વિચારવાની તાતી જરૂરિયાત છે. અન્ય વિકલ્પોની ખેડૂતો સાથે ચર્ચા કરીને અમલવારી કરી શકાય. ખેડૂત શુ ઈચ્છે છે, તેમનો પણ વિચાર જાણવો જોઈએ. ટેકાના ભાવમાં વધારો કરવો, અથવા આયાત નિકાસની પૉલીસીની સમીક્ષા કરવી જોઈએ, જેથી ખેડૂતની કૃષિ ઉપજ વિદેશ જાય, અને તેઓ તેમની ઉપજનુ વધુ વળતર મેળવી શકે. આવા અનેક વિકલ્પો પર ડીબેટ જરૂરી છે. દેશને આર્થિક રીતે સધ્ધર બનાવવો હશે તો સબસીડી અને દેવા માફી બંધ કરવા જ રહ્યા.રાજ્યનું વર્ષ ૨૦૧૮-૧૯નું અંદાજપત્ર ૧,૮૩,૦૦૦ કરોડનું હતું. ૨૦૧૭-૧૮માં જીએસટીની આવક રૂપિયા ૨૩,૦૦૦ કરોડ થઈ હતી, તેના આગળના વર્ષે કરવેરાની આવક રૂપિયા ૧૪,૦૦૦ કરોડ હતી.બે વર્ષની કરવેરાની આવક લગભગ રૂપિયા ૩૮,૦૦૦ કરોડ હતી. તે જોતા સરકાર ખેડૂતો માટે રૂપિયા ૫૦૦૦ કરોડના દેવા નાબૂદી ન કરી શકે?તેમણે એવી દલીલ કરી હતી કે રાજ્યમાં કુલ ૫૪,૪૦,૦૦૦ ખેડૂતો છે, જ્યારે ખેતમજૂરોની સંખ્યા ૬૮,૩૦,૦૦૦ છે.આમ રાજ્યની ૫૦ ટકા વસ્તી આજે પણ સીધી કે પરોક્ષ રીતે ખેતી પર નિર્ભર છે.જો, રાજ્ય સરકાર ૨૫,૦૦,૦૦૦ ખેડૂતોના ખાતામાં માત્ર રૂપિયા ૨૦,૦૦૦ રોકડા ડિપૉઝીટ કરે તો પણ રાજ્ય સરકાર ઉપર રૂપિયા ૫૦૦૦ કરોડથી વધારે બોજો પડે નહીં.તેવા સંજોગોમાં ખેડૂતો માટે દેવામાફી રાજ્ય સરકાર માટે કોઈ મોટો આર્થિક બોજો સાબિત નહીં થાય.દેવા માફીના આંકડા સમજાવવા સાથે હેમંત શાહ ઉમેરે છે, “સમગ્ર સમસ્યાના મૂળ કૃષિ પેદાશના પોષણક્ષમ ભાવમાં છે. જો ખેડૂતોને યોગ્ય ભાવ મળે તો તેમને કોઈ અન્ય આર્થિક મદદની જરૂર નથી.સૌરાષ્ટ્ર વેરાવળના કૃષિ ખરીદ-વેચાણ સંઘમાં એક વિધવા મહિલા ખેડૂત તેમની પાંચ વીઘા જમીન પર પાકેલી મગફળી વેચવા આવ્યાં હતાં.જ્યારે તેમને પૂછ્યું કે બજારમાં ૭૧૩ રૂપિયા ભાવ છે અને દિવાળી પછી સરકાર ૯૦૦ રૂપિયાના ભાવે ખરીદવાની છે. તો ઉતાવળ કેમ કરો છો.ત્યારે તેમણે કહ્યું કે આર્થિક સ્થિતિ એટલી સારી નથી કે ત્યાં સુધી રાહ જોઈ શકાય.ભોરણિયાએ કહ્યું કે નાના સિમાંત ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે બજારમાં ભાવ ઊંચકાય ત્યાં સુધી રાહ જોઈ ન શકે.તેમને આર્થિક રીતે પગભર કરવા જરૂરી છે, જેનો આધાર તેમની કૃષિ પેદાશની સારી આવક ઉપર છે.સરકારે એ માટે પ્રયત્ન કરવા જોઈએ. ખેડૂતોને જો સારી આવક મળે તો તેમને કોઈ નાણાકીય સહાય કે દેવામાફીની જરૂર ન પડે.તેમના મતે દેવામાફી એ તાત્કાલિક સારવાર જેવું છે, જ્યારે કાયમી ઉકેલ તો લઘુતમ પોષણક્ષમ ભાવ જ છે.તેમને એ ચિંતા સતાવે છે દેવામાફી કદાચ ખેડૂતોને ખોટી આદત પણ પાડી શકે છે. તેથી સરકારે અસાધારણ સ્થિતિમાં જ ખેડૂતોનાં દેવાં માફ કરવા જોઈએ.ખેડૂત આગેવાન અને ’ક્રાંતિ’ સંસ્થાના કાર્યકર ભરતસિંહ ઝાલા સ્પષ્ટપણે માને છે કે કોઈ વ્યક્તિને હૃદયરોગનો હુમલો આવે તો આઈસીયૂમાં સારવાર અપાય છે. જરૂર પડે તો બાયપાસ સર્જરી કરવી પડે છે.તેઓ કહે છે, બસ દેવામાફીને આઈસીયૂની સારવાર સમાન ગણવું જોઈએ, સરકારે ગુજરાતના ખેડૂતોનાં દેવાં માફ એ પ્રકારની અસાધારણ સ્થિતિમાં જ કરવા જોઈએ.ઝાલાએ એવી પણ દલીલ કરી હતી કે ૨૦૧૮માં રાજ્યના ૨૧ લાખ ખેડૂતોએ એસબીઆઈ અને દેના બૅન્ક પાસેથી રૂપિયા ૨૨૦૦ કરોડનું પાક ધિરાણ (ક્રોપ લોન) લીધું છે, જો તે માફ કરી દે તો પણ ખેડૂતોની આર્થિક મુશ્કેલીઓ હલ થઈ શકે છે.ઝાલા લાંબા ગાળાના ઉકેલ સ્વરૂપે એવું સૂચન કરે છે કે જો સરકાર દરેક ખેડૂત પરિવાર દીઠ(ચાર સભ્યોનો પરીવાર) મહિને રૂપિયા ૫૦૦૦ લેખે વર્ષે રૂપિયા ૬૦,૦૦૦ તેમના ખાતામાં આપી દે, તો ખેડૂતોને કોઈ અન્ય આર્થિક મદદની જરૂર ના પડે.તેઓ કહે છે કે જે સમયે દેશમાં પાકનું ઉત્પાદન સારું હોય તેવા સમયે સરકાર કૃષિ પેદાશની આયાતની છૂટ આપી સ્થાનિક બજારમાં ભાવ તોડી ખેડૂતોને નુકસાન કરે છે.
૨૦૧૪થી વિવિધ રાજ્યોએ દેવા માફ કર્યા છેઃ
૨૦૧૪ આંધ્રપ્રદેશ રૂ. ૪૩,૦૦૦ કરોડ
૨૦૧૭ ઉત્તરપ્રદેશ રૂ.૩૬,૦૦૦ કરોડ
૨૦૧૭ મહારાષ્ટ્ર રૂ.૩૪,૦૨૨ કરોડ
૨૦૧૭ કર્ણાટક રૂ.૩૪,૦૦૦ કરોડ
૨૦૧૭ રાજસ્થાન રૂ.૨૦,૦૦૦ કરોડ
૨૦૧૭ પંજાબ રૂ.૧૦,૦૦૦ કરોડ
૨૦૧૭ તામિલનાડુ રૂ.૫,૭૮૦ કરોડ
કુલ ૧,૮૨,૮૦૨ કરોડ

Related posts

પર્રિકરે રાજીનામું આપી નૈતિકતા સાબિત કરવી જોઈએ

aapnugujarat

અલવિદા અહેમદ પટેલ : તાલુકા અધ્યક્ષથી સોનિયા ગાંધીના સલાહકાર સુધી

editor

बलात्कार पर राजनीति ?

editor

Leave a Comment

UA-96247877-1