Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલને અઠાવલેની સલાહ : ‘પપ્પૂ’માંથી હવે તમારે ‘પપ્પા’ બનવાની જરૂર

કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને રવિવારના રોજ લગ્ન કરી લેવાની સલાહ આપી. તેમણે કહેયું કે, રાહુલ ગાંધીએ હવે ‘પપ્પા’ બની જવાની જરૂર છે.
રામદાસ અઠાવલેએ કહ્યું કે, ‘રાહુલ ગાંધીને બધા પપ્પૂ કહીને બોલાવે છેે પણ મારુ માનવું છે કે હવે રાહુલ ગાંધીએ પપ્પૂ નહીં પરંતુ પપ્પા બની જવાની જરૂર છે. રાહુલ ગાંધીએ હવે લગ્ન કરી લેવા જોઈએ.’ ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની પાર્ટી આરપીઆઈ(એ) એનડીએની સહયોગી પાર્ટી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થતા રામદાસ અઠાવલેએ સંકેત આપ્યા છે કે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી એક પરિપક્વ નેતા બની ગયા છે. તેમણે એમ પણ કહ્યું કે, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની ચૂંટણીમાં ભાજપને મળેલ પરાજય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કંઈ જ લેવા-દેવા નથી. અઠાવલેએ કહ્યું, ‘ચૂંટણીમાં ત્રણ રાજ્યોમાં મળેલ હાર એ નરેન્દ્ર મોદીની હાર નથી પરંતુ ભાજપની હાર છે.’
એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, શિવસેનાએ ભાજપ સાથે પોતાનું ગઠબંધન બનાવી રાખવું જોઈએ. તેમણે કહ્યું કે, ‘જો આ ગઠબંધન યથાવત્‌ નહીં રહે તો શિવસેનાને જ નુકશાન થશે. હું શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને સેના સુપ્રીમો બાલ ઠાકરેના સપનાઓને પૂરા કરવાની અપીલ કરું છું. એકલા ચૂંટણી લડવાની બાબતે તેણે ના વિચારવું જોઈએ.’ રામદાસ અઠવાલે કહ્યું કે, કોંગ્રેસે એવી ધારણા સાથે ના બેસી રહેવું જોઈએ કે ફક્ત રફાલ ડીલના મુદ્દાને ચગાવીને તેઓ ૨૦૧૯ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને હરાવીને વિજયી થઈ જશે.

Related posts

અમરનાથના શ્રદ્ધાળુઓની બસ ખીણમાં પડતા ૧૬ના મોત થયા

aapnugujarat

ખેડૂતોના સમર્થનમાં ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં પણ દેખાવો કરવાની તૈયારી

editor

कैट ने वाणिज्य मंत्री से कहा आरसीपी से समझौता न हो

aapnugujarat

Leave a Comment

UA-96247877-1