કોંગ્રેસ દ્વારા જસદણમાં દલિત સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો ઉમટ્યા હતા. પરેશ ધાનાણીએ સંમેલનમાં કહ્યું હતું કે, કમલમની બજારમાંથી ૨૦ કરોડ રૂપિયાનો કોથળો જસદણ પહોંચ્યો છે અને ખુલ્લો મુકવામાં આવ્યો છે.
પરેશ ધાનાણીએ રાફેલ મુદ્દે કહ્યું હતું કે, સુપ્રિમ કોર્ટને ભાજપ સરકાર દ્વારા અપૂરતા દસ્તાવેજ આપાયા છે. જસદણ પેટા ચૂંટણીમાં રાફેલનો મુદ્દો ચમક્યો છે. તેમજ રાજીવ સાતવે કહ્યું હતું કે, ભાજપ સરકાર ચલાવી ન શકતી હોય તો સત્તા છોડી દે, ખેડૂતો, અનામત બધાનું સોલ્યુશન અમે આપી દેશું. આ સંમેલનમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.