ભારતમાં ઈંસ્ીર્ર્ કેમ્પેઇનની શરૂઆત કરનારી બોલીવૂડ એક્ટ્રેસ તનુશ્રી હવે વિદેશ જવાની તૈયારી કરી લીધી છે. ઇન્ટરવ્યૂમાં ન્યૂજર્સી જવાના પ્લાનિંગ અંગે જણાવ્યું છે. તેણીએ જણાવ્યું કે મારું ભવિષ્ય ત્યાં છે. હું નવા વર્ષની શરૂઆતમાં પરત જતી રહીશ. જ્યારે હું મુંબઇ આવી હતી તો વિચાર્યું હતું કે છ મહિના બાદ પરત જતી રહીશ પરંતુ પાંચ મહિના થઇ ગયા છે.
મી-ટુ કેમ્પઇન અંગે વાત કરતાં તનુશ્રીએ જણાવ્યું કે હું એ નથી વિચારતી કે મુદ્દો ચર્ચામાં છે કે હવે ઠંડો પડી ગયો છે. આવી વસ્તુઓ એક ક્રાંતિ જેવી હોય છે. જે ચીજ જરૂરી છે તે ભવિષ્ય પર અસર કરે છે. આ મુવમેન્ટની અસર એ થઇ કે ખરાબ વર્ગન કરનારા લોકો ચેતી ગયા છે, તેઓ સમજી ગયા છે કે કોઇપણ ખરાબ કામ કર્યા બાદ તેઓ બચી નહીં શકે. એ સમય ખરેખર હેરાન કરનારો હતો જ્યારે મહિલાઓ ખુલીને સામે આવી અને પોતાના અનુભવો જણાવી રહી હતી.
તનુશ્રીએ જણાવ્યું કે મને આશા છે કે એક દિવસ તેને ન્યાય જરૂર મળશે. હું વગર કોઇ કાર્યવાહી અને ન્યાય વગર દશ વર્ષ રહી છું. હું ભારતમાં રહું કે ના રહું તેનાથી કાનુની પ્રક્રિયાને અસર નહીં પહોંચે. મારા રહેવાથી જો ફરક પડતો હોય તો કાનુની પ્રક્રિયાનો કોઇ મતલબ નથી. ઉલ્લેખનીય છે કે તનુશ્રીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેની સાથે થયેલા ખરાબ વ્યવહારો અંગે ફરિયાદ કરી છે, ત્યારબાદથી દેશભરની મહિલાઓ તેની સાથે થયેલા જાતીય શોષણ અંગે ખુલીને બોલવા લાગી હતી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ