Aapnu Gujarat
ગુજરાત

શ્રી મુક્તજીવન સ્વામીબાપા સેવા ટ્રસ્ટ, બાવળા દ્વારા શાંતિ રથ (અંતિમયાત્રા રથ)નું લોકાર્પણ કરાશે

       બાવળાના નગરજનોને અંતિમયાત્રામાં પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને શ્રી મુક્તજીવન સ્વામી બાપા સેવા ટ્રસ્ટ, બાવળા દ્વારા તમામ નગરજનો માટે, નાત-જાતના ભેદભાવ વગર શાંતિ-રથ (અંતિમયાત્રા રથ) ની સુવિધા કરવામાં આવેલ છે. જેમાં બાવળાના યુવાનો તેમજ દાતાઓએ ઉદાર દિલથી સાથ-સહકાર આપેલ છે. શાંતિ-રથ (અંતિમયાત્રા રથ) નું “લોકાર્પણ” તા. ૧૫/૧૨/૨૦૧૮, શનિવારના રોજ પ્રવિણ પેટ્રોલ પંપ ચાર રસ્તા, બાવળા ખાતે સવારે ૯-૩૦ કલાકે કરવામાં આવશે. શાંતિ-રથ (અંતિમયાત્રા રથ) ની જરૂરિયાત માટે સંપર્ક સૂત્ર (૧) હર્ષદ ઠક્કર (લાલભાઈ) – ૯૮૨૫૫૫૩૭૦૨ (૨) મયુરધ્વજ ડાભી – ૯૪૦૮૮૦૧૭૨૭ (૩) ગૌરવ ઠક્કર – ૯૯૭૮૩૨૫૨૫૨ (૪) કેતનભાઈ પારેખ – ૯૭૨૭૭૨૫૧૬૨ (૫) રણજીતસિંહ ઝાલા – ૯૭૨૪૬૪૭૬૫૩ પર સંપર્ક કરવાનો રહેશે.

તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા 

Related posts

બોરબાર ગ્રામ પંચાયતના નવીન મકાનનું ધારાસભ્ય શૈલેશ મહેતાના હસ્તે લોકાર્પણ

editor

AHMEDABAD : ઈસ્કોન બ્રિજ પર યુવકે જેગુઆર ગાડીને લોકોનાં ટોળા પર ચલાવી, 9ના મોત

aapnugujarat

શહેરા તાલુકાના ટેક્નોસેવી શિક્ષકોની તાલીમ યોજાઈ

editor

Leave a Comment

UA-96247877-1