Aapnu Gujarat
ગુજરાત

પેપર લીક મુદ્દે ૧૦ દિવસમાં ઉમેદવારોને વળતર નહીં મળે તો હું આક્રમક બનીશઃ શંકરસિંહ વાઘેલા

રાજપા સરકારના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે પોતાના નિવાસસ્થાને પત્રકાર પરિષદ યોજી હતી. પોલીસમાં ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટી જતાં તે વિષયને ધ્યાનમાં રાખીને વાઘેલાબાપુએ કહ્યું હતું કે ગુજરાતમાં છેલ્લાં ૨૨ વર્ષથી એક જ પાર્ટી ભાજપની સરકાર છે. પેપર ફોડવામાં ભાજપ સરકાની માસ્ટરી રહી છે. આ પોલીસનું જ પેપર ફૂટ્યું છે એવો એક જ બનાવ નથી. આ અગાઉ તલાટીની પરીક્ષા વખતે પેપર ફૂટી ગયું હતું અને પેપર ફોડનારાઓને ત્યાંથી નોટો ગણવાનું મશીન મળી આવ્યું હતું. જે ભાજપ સરકારના ભ્રષ્ટાચારનું મશીન કહી શકાય. પોલીસની ભરતી માટે પણ પેપર ફૂટી જવાની ઘટનાથી મને આઘાત લાગ્યો છે. ટેટની પરીક્ષા વખતે પેપર ફૂટી ગયું હતું. ગ્રામ્ય રક્ષકની પરીક્ષામાં પણ પેપર ફૂટી ગયું હતું. એટલે આવા પરી૭ના પેપરો ફોડવામાં ભાજપ સરકાર અને તેમના મળતિયોની માસ્ટરી છે. આખું તંત્ર જ ફૂટી ગયું છે. ભાજપ સરકારમાં ગાંધીનગરમાં ઉપરથી લઇને છેક નીચે સુધી બધા ફૂટેલા અને કરપ્ટ છે. જેમણે આજે પેપર ફોડવાનું કામ કર્યું છે તેમની સામે સરકાર કડકમાં કડક પગલા ભરે. તેની તપાસ કરે અને જે દોષિત હોય તેની સામે પગલા ભરવા જાઇએ. જો તેમ નહીં થાય તો આગામી દિવસોમાં નાછૂટકે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. શંકરસિંહબાપુએ પોલીસની ભરતી માટે જે ઉમદવારોના નામો રજીસ્ટર્ડ તયા છે અને પરીક્ષા આપવા સેન્ટરો પર પહોંચ્યા અને પેપર લીકના કારણે તેમની પરીક્ષા લેવાઇ નથી એ તમામ ઉમેદવારોને માનસિક વળતર પેટે ભાજપ સરકારે ૧૦-૧૦ હજારનું વળતર આપવું જોઇએ. અને ગુજરાતમાં બેકારો માટે બેકારી ભથ્થુ આપવાની શરૂઆત પણ કરવી જોઇએ.
શંકરસિંહ બાપુએ ભાજપ સરકારને ચેતવણી આપી છે કે જો પેપર લીકના મામલેઆગામી ૧૦ દિવસમાં ઉમેદવારોને વળતર નહીં મળે અને યોગ્ય તપાસ નહીં થાય તો તેઓ પોતે ભાજપ સરકારની સામે મેદાનમાં ઉતરશે. ગુજરાત નોંધારૂ નથી. જાહેર જીવનમાં છીએ એટલે જેમને આ સહન કરવું પડ્યું છે તેમને ૧૦ દિવસમાં વળતર અને ન્યાય નહીં મળે તો હું પોતે બહાર આવીશ. મને એરેસ્ટ કરવો હોય કરે આ લોકો માટે હું આક્રમક બનીશ. સરકાર ધ્યાન નહીં રાખે તો કાયદો અને વ્યવસ્થા કથળતી હોય તો કથળે. પણ આ નહીં એટલે નહીં નહીં જ ચાલે. કોઇએ તો આધાર બનવું પડે કે નહીં. આ મારી નૈતિક ફરજ છે. તેમના પડખે ભઉ રહેવું એ મારી ફરજ છે. કોણ બોલશે તેમની માટે? એટલે જેમને મારી સામે જે કરવું હોય તે કરે ૧૦ દિવસમાં પ્રત્યેક ઉમેદવારે ૧૦ હજારનું વળતર નહીં મળે તો હુમ મેદાનમાં આવીશ. આવું ચાલી જ ના શકે. ૮ લાખ કરતાં વધારે ઉમેદવારોનો અંદાજે દસેક હજારનો ખર્ચ તો થયો છે. ફેર પરીક્ષામાં એસટીનું ભાડુ લો કે ના લો. પણ ૧૦ હજારનું વળતર તો સરકારે આપવું જ પડશે નહીંતર ભાજપ સરકાર ઉમેદવારોના લોક આંદોલનની તૈયારી રાખે. ગુજરાતમાં ૧૫ વર્ષ જૂઠ ચાલ્યું અને હવે આખા દેશમાં સાડા ચાર વર્ષથી ઝૂઠ ચાલે છે. ચાર સાડા ચાર વર્ષમાં દોઢ વર્ષતો દિલ્હીવાળીએ ચૂંટણીઓમાં વેડફ્યા છે. જેમને અર્થતંત્રના અ ની પણ ખબર નથી તેવા અડધી રાક્ષે સંસદના બારણાં ખોલાવીને જીએસટીનો અણઘડ અમલ કરાવે છે.

Related posts

६० फीट के २८ मार्ग बारिश के पानी में पूर्णरूप से धुले

aapnugujarat

ગુજરાત હાઈકોર્ટના ૬ કર્મચારી, અમદાવાદના કોર્પોરેટર કોરોનાની ઝપેટમાં

editor

કોરોનાની ચેઇનને તોડવા એક સપ્તાહનું લોકડાઉન જરૂરી

editor

Leave a Comment

UA-96247877-1