Aapnu Gujarat
ગુજરાત

વડોદરાના કમાટીબાગ ઝૂમાં કુતરાઓનો હુમલો, ૬ હરણનાં મોત

વડોદરામાં આવેલા કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ૩ રખડતા કુતરાઓએ ૬ કાળિયાર હરણને ફાડી ખાવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ મ્યુનિસિપલ કમિશ્નર અજય ભાદુ સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા અને આ મામલે તપાસ હાથ ધરી હતી.હરણના પાંજરામાં કુતરાઓ કઇ રીતે ઘુસ્યા તે ચર્ચાનો વિષય બન્યો છે. હરણોના મૃતદેહોના પોસ્ટમોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાંજરામાં કુલ ૧૧ હરણ હતાં, જેમાંથી ૩ હરણનો બચાવ કરી લેવામાં આવ્યો છે, જ્યારે અન્ય બે હરણને ઈજા પહોંચી છે. અને કુતરાઓએ ૬ હરણને ફાડી ખાધા હતાં.ઝૂ ક્યુરેટર પ્રત્યુસ પાટણકરે જણાવ્યું હતું કે, ૬ હરણના મોતની ઘટનામાં સિક્યુરિટી ગાર્ડની બેદરકારી સામે આવી છે. આ મામલે બે દિવસમાં રિપોર્ટ તૈયાર કરીને વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરને રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીને જાણ કરવામાં આવશે.વડોદરાના કમાટીબાગ ઝુમાં હરણના પાંજરાની ફરતે કમ્પાઉન્ડ પરથી જાળી ઊંચી કરવામાં આવશે તેવું ઝૂ ક્યુરેટર પ્રત્યુસ પાટણકરે જણાવ્યું હતું. ૬ હરણની મોતની ઘટના બાદ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા જેવો ઘાટ સર્જાયો છે.ઉલ્લેખનીય છે કે, કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં ભૂતકાળમાં પણ રોગચાળાથી હરણના મોત થઇ ચૂક્યા છે. કાળિયાર હરણને શિડ્યુલ-૧નું પ્રાણી ગણવામાં આવે છે.

Related posts

વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકને ફાળવવમાં આવેલ ઉપકરણોથી ૪ જિલ્લાના સાઇબર ક્રાઇમની તપાસ થશે

editor

ત્રાસવાદ સામે મોદી શાસનમાં ઝીરો ટોલરન્સની નીતિ : અમદાવાદમાં યોગી આક્રમક અંદાજમાં દેખાયા

aapnugujarat

राज्य के ३१ तहसीलों में उल्लेखनीय बारिश दर्ज की गई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1