કેન્દ્રીય રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાની ઉપસ્થિતિમાં પંડીત દિનદયાળજી જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી-જૂનાગઢ જિલ્લા દ્વારા તા.૨૫/૦૫/૨૦૧૭ના રોજ કૃષિ યુનિવર્સીટી ઓડીટોરીયમ હોલ, મોતીબાગ, જૂનાગઢ ખાતે ‘‘દિવ્યાંગ સહાય કેમ્પ’’ યોજવામાં આવનાર છે. આ પ્રસંગે જરૂરીયાતમંદ દિવ્યાંગોને વિનામૂલ્યે ટ્રાઇસિકલ અને વ્હીલચેરનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં શ્રી જીતુભાઇ વાઘાણી, પ્રમુખશ્રી, ભારતીય જનતા પાર્ટી, શ્રી નિતીનભાઇ ભારદ્વાજ પ્રભારીશ્રી, ભારતીય જનતા પાર્ટી-જુનાગઢ જિલ્લા, ર્ડા.ઋત્વિજ પટેલ, પ્રમુખશ્રી, ભારતીય જનતા યુવા મોરચો-ગુજરાત પ્રદેશ, સ્થાનિક પ્રતિનિધીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
આગળની પોસ્ટ