Aapnu Gujarat
રાષ્ટ્રીય

આસામનાં તેજપુરથી ઉડેલું સુખોઈ-૩૦ લાપતા, સર્ચ ઓપરેશન શરૂ

તેજપુર એરપોર્ટ પરથી સવારે ૯.૩૦ કલાકે ઉડાન ભર્યા બાદ વાયુસેનાનું વિમાન સુખોઈ-૩૦ લાપતા થઈ ગયું છે. ઉત્તર તેજપુરમાં ૬૦ કિમી દૂર ગયા બાદ પ્લેન રડારમાંથી અદ્રશ્ય થઈ ગયું હતું.  પ્લેનમાં ૨ પાયલોટ સવાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સુખોઈ-૩૦ તેના રુટિન મિશન પર હતું. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે.ઈન્ડિયન એરફોર્સના સૂત્રોના જણાવ્યા મુજબ, આ એરક્રાફ્ટ માટે સર્ચ ઓપરેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે. પાયલટ અંગે કોઈ માહિતી મળી શકી નથી.આ પહેલા ૧૫ માર્ચે સુખોઈ-૩૦ એમકેઆઈ જેટ રાજસ્થાનના બાડમેર જિલ્લાના શિવકર કુડલા ગામમાં ક્રેશ થયું હતું. જેમાં ત્રણ ગ્રામજનો ઘાયલ થયા હતા.સુખોઈ-૩૦એમકે ટૂ સીટર ફાઇટર જેટ છે. જે ગાઈડેડ અને અનગાઈડેડ એરક્રાફ્ટ ડિઝાઇન તથા ઓપરેશન (એઓડી) ઉપયોગ કરીને જમીન તથા આકાશમાંથી ટાર્ગેટ કરવા કેપેબલ છે.

Related posts

रेप विडियो और चाइल्ड पॉन पर शिकंजा कसने की तैयारी : कंपनियों को सरकार का आदेश

aapnugujarat

અમેરિકામાં ૨,૦૬,૬૯૮ ભારતીય વિદ્યાર્થી રહેલા છે

aapnugujarat

Narendra Dabholkar Murder Case: CBI told Court the Sharad Kalaskar confessed crime

aapnugujarat

Leave a Comment

UA-96247877-1