Aapnu Gujarat
બ્લોગ

લીલી પરિક્રમા એક ધાર્મિક યાત્રા

ગિરનારને કેન્દ્રમાં રાખીને ગિરનારની ફરતે કરવામાં આવતી પ્રદક્ષિણા એટલે લીલી પરિક્રમા. એવું માનવામાં આવે છે કે ગઢ ગરવા ગિરનારમાં વસતા ૩૩ કરોડ દેવતાઓના તપનું પુણ્ય ગિરનારનીપરિક્રમા કરવાથી મળે છે.
આમ જોઈએ તો જૂનાગઢમાં વર્ષમાં બે વખત માનવ મહેરામણ વધુ પ્રમાણમાં જોવા મળે છે, જેમાં એક મહાશિવરાત્રીનાં મેળામાં અને બીજું છે ગિરનારની લીલી પરિક્રમામાં. ગુજરાતનાં લગભગ બધાં શહેરો અને ગામડાંઓમાંથી માનવ મહેરામણ કીડીયારાની જેમ ઉભરાયને આવે છે. દિવાળી અને દિવાળી પછીનો માહોલ જૂનાગઢમાં કંઈક અલગ જ જોવા મળે છે. ભવનાથ તળેટી આખી શ્રદ્ધાળુઓથી ભરાયેલી હોય છે.
ભારતીય હિન્દુ કેલેન્ડર અનુસાર કારતક સુદ અગિયારસ થી પૂનમ સુધી પરિક્રમાનો માર્ગ ખુલ્લો મુકવામાં આવે છે જેમાં આ વર્ષે ૧૯ નવેમ્બરથી ૨૩ નવેમ્બર સુધી પરિક્રમા માર્ગ ખુલ્લો મુકાશે. ધાર્મિક દ્રષ્ટિકોણ ઉપરાંત પરિક્રમા સામાજિક દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે. કારણ કે અહીં વિવિધ જાતિનાં, જુદાં જુદાં ધર્મનાં અને અલગઅલગ રીતિ રિવાજોવાળા લોકો કોઈપણ મતભેદ વગર આપરિક્રમાને શ્રદ્ધાથી પૂર્ણ કરે છે.
પરિક્રમા કરવાં માટે ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે જેવા વિવિધ પ્રાંતના લોકો ગિરનારની સંસ્કૃતિ અને સાધુઓનાં તપને જાણવાં ભાવપૂર્વકઆવતાં હોય છે. ગિરનારની લીલી પરિક્રમામાં લગભગ દર વર્ષે ૮લાખ જેટલાં શ્રદ્ધાળુઓ જોડાય છે.
લીલી પરિક્રમાનો રૂટ
લીલી પરિક્રમાની શરૂઆત ભવનાથ તળેટીમાં આવેલ દુધેશ્વર મહાદેવના મંદિરથી થાય છે. પરિક્રમાનો રસ્તો કુલ ૩૬ કિલોમીટરલાંબો છે, જે ગિરનારનાં ગાઢ જંગલોમાંથી પસાર થાય છે જેમાં વચ્ચે સાગ, વાંસના જંગલો, વહેતા ઝરણાંઓ જોવા મળે છે જેકુદરતની પ્રકૃતિની સુંદરતાનો અહેસાસ કરાવે છે. આ ૩૬ કિલોમીટર લાંબી પરિક્રમામાં ઘણાં મંદિરો આવે છે જેમ કે ઝીણાબાવાની મઢી, માળવેલા, સુરજકુંડ, સરખડીયા હનુમાન, બોરદેવી અને છેલ્લે ભવનાથ.
અલગ અલગ પડાવો વચ્ચેનું અંતર
(૧) ભવનાથથી ઝીણાબાવાની મઢી : ૧૨ કિલોમીટર (૨) ઝીણાબાવાની મઢીથી માળવેલાઃ ૮ કિલોમીટર (૩) માળવેલાથી બોરદેવી મંદિરઃ ૮ કિલોમીટર (૪) બોરદેવીથી ભવનાથ તળેટીઃ ૮ કિલોમીટર
લીલી પરિક્રમાની ઘોડીઓ વિશે
પરિક્રમાનાં આ રૂટમાં ત્રણ ઘોડીઓ આવે છે. ઘોડી એટલે પર્વતોનીવચ્ચે પસાર થઇ રહેલી બળદના ખૂંધ જેવી રચના જેમાં પહેલાંચઢાણ ચઢવાનું અને પછી એ જ ચઢાણ ઉતરવાનું.
ઈંટવા ઘોડી
જે સાપેક્ષમાં સરળ અને ભવનાથ તળેટી તથાઝીણાબાવાની મઢી વચ્ચે સ્થિત છે.
માળવેલા ઘોડી
જે પ્રથમ ઘોડી કરતા સહેજ આકરી અનેપથરાળ છે.
નાળ-પાણીની ઘોડી
આ ઘોડી સૌથી આકરી અને ઘણી ઊંચાઈએ આવેલ છે. તેમનું ચઢાણ એકદમ સીધું છે. આ ઘોડીમાળવેલા તથા બોરદેવી મંદિરની વચ્ચે સ્થિત છે.
પરિક્રમામાં ચાલતાં અન્નક્ષેત્રો અનેઆરોગ્ય કેન્દ્ર વિશે
લીલી પરિક્રમા દરમ્યાન ઘણાં લોકો કે ટ્રસ્ટો પોતાની નિસ્વાર્થ સેવાઆપવા માટે પરિક્રમાના આ કઠિન માર્ગ ઉપર અન્નક્ષેત્રોનાં પંડાલોઊભા કરે છે. ત્યાં આવતા પરિક્રમાર્થીઓને ભાવતા ભોજનપીરસાય છે અને પૂરા આગ્રહ સાથે જમાડવામાં આવે છે. આવા એક નહીં અનેક અન્નક્ષેત્રો ગિરનારનાં જંગલોમાં અન્ન પીરસતાજોવાં મળે છે. પરિક્રમાનાં માર્ગ પર ઠેક-ઠેકાણે ભજન મંડળીઓ રાત્રિ દરમ્યાન સંતવાણી તથા ભજનનો રસ પીરસે છે. આ ઉપરાંત પરિક્રમાના પડાવો પર યાત્રિકોનાં આરોગ્યની કાળજી માટેકામચલાઉ આરોગ્ય કેન્દ્ર ઊભા કરાય છે.
પરિક્રમા સુધી પહોંચવા માટે
જૂનાગઢની આજુબાજુના જિલ્લામાં રહેતાં લોકો માટે ગુજરાતએસ.ટી. નિગમ દ્વારા વિવિધ રૂટ પર વધારાની બસો ફાળવવામાંઆવે છે. આ ઉપરાંત અનેક પ્રાઈવેટ વાહનો દ્વારા પણ જૂનાગઢસુધી પહોંચી શકાય છે. જ્યારે ઘણા યાત્રાળુઓ ટ્રેનમાં જૂનાગઢસુધી પહોંચી શકે છે.

આપનો દેવેન વર્મા
તંત્રી
આપણું ગુજરાત

Related posts

ट्रैफिक पेनल्टी के नियम कितने उचित..? सड़क, पानी आदि के लिए दंड क्यों नहीं..?

aapnugujarat

एक साथ चुनाव ही सर्वश्रेष्ठ

aapnugujarat

डोनाल्ड ट्रंप बच गए लेकिन…

editor

Leave a Comment

UA-96247877-1