Aapnu Gujarat
ગુજરાત

મારો રોલ લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટેનો હશે

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે પોતાના નિવાસસ્થાને એક પ્રેસ કોન્ફરન્સ ફરી એકવાર ભાજપ સરકાર અને મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. આગામી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને લઇ શંકરસિંહે તેમનું વલણ આજે સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં મારો રોલ ભાજપને હરાવવાનો હશે, ભાજપની સામે જે કોઇ વિપક્ષ કે અન્ય પક્ષો હશે તેમની મદદમાં હું હોઇશ અને મારી ભૂમિકા ભાજપને હરાવવાની રહેશે. તેમણે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલને મદદ કરવા અંગે જણાવ્યું હતું કે ભાજપે હાર્દિકને ઘરની બાબતમાં હેરાનગતિ કરવી જોઈએ નહીં, હાર્દિક જો મારા પડછાયામાં રહેશે તો તેને નુકસાન થાય તેમ છે, જે યોગ્ય નથી. દરમ્યાન ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીના લોકસભા ચૂંટણી લડવાના મુદ્દે શંકરસિંહે જણાવ્યું હતું કે, હું દિલ્હીમાં અડવાણીને મળ્યો હતો તેમની સાથેની વાતચીતમાં મેં પૂછ્યું હતું કે તમે ગાંધીનગરથી ચૂંટણી લડવા ના છો તો અડવાણીએ હા પાડી અને તેમણે ઈશારો કર્યો હતો કે, જો આરએસએસ કહેશે તો ચોક્કસ લડીશ. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો પરાજય થવાની આગાહી કરતા વાઘેલાએ વધુમાં જણાવ્યું કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વળતા પાણી દેખાઇ રહ્યા છે, જ્યારે ભાજપ સિવાયના અન્ય રાજકીય પક્ષો ૩૦૦ બેઠકો સાથે કેન્દ્રમાં સત્તા હાંસલ કરશે. લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે પોતાનો મુખ્ય રોલ રહેશે. સમગ્ર દેશમાં પ્રવાસ કરી રહ્યો છું અને ભાજપ વિરોધી જે કોઈ પક્ષ લડતા હશે તેમને સાથ આપવા હું તૈયાર છું. કેન્દ્રની મોદી સરકાર તમામ મોરચે નિષ્ફળ હોવાનો ઉલ્લેખ કરતા વાઘેલાએ કહ્યું હતું કે સૌથી વધુ દુઃખી દેશના ખેડૂતો છે તેમને પોષણક્ષમ ભાવો ન મળતા આપઘાત કરી રહ્યા છે જે ઘણી દુઃખદ બાબત છે. મેં ગઈકાલે ઇલેક્શન કમિશનને પત્ર લખ્યો છે, મેં લખ્યું છે કે જે ઈવીએમનો હેતુ જલ્દી મતદાન કરવાનો હતો. પરંતુ ઘણી સમસ્યાઓ સામે આવી છે. ઈવીએમમાં ટેમ્પરિંગ થાય છે એટલે ડેવલપ દેશોએ છોડી દીધા. આવનારી ચૂંટણીમાં પેપર બેલેટ લગાવવામાં આવે તો પેપરટ્રેલ બધાં બૂથ અને મશીન પર લગાવવામાં આવે જેથી મતદાર વેરીફાઈ કરી શકે અને મતદારને હાશ થાય કે એણે જ્યાં મત નાંખ્યો છે ત્યાં પડ્‌યો છે. લોકસભાનો કોઈ પણ વિસ્તાર કે પાર્ટી રિકાઉન્ટ માંગે તો પેપરટ્રેલની ગણતરી કરવી,જેથી લોકશાહી બચાવી શકાય. ઇલેક્શન કમિશન ઐતિહાસિક નિર્ણય લઈને સુપ્રીમ કોર્ટને આશ્વાસન આપે જેથી જરૂર લાગે એ જગ્યાએ પેપરટ્રેલનું કાઉન્ટ કરી શકાય અને પારદર્શિતા માટે મેં માંગણી કરી છે. જો દૂધના ફેટનો ભાવ આ રીતે ઘટતો રહેશે તો પ્રાઇવેટ સેકટર આવીને કો-ઓપરેટિવ સેક્ટરને ખતમ કરી નાંખશે,તેથી મારી સરકારને વિનંતી છે કે એમએસપી જાહેર કરે અને વ્હાઇટ રિવોલ્યુશનને બચાવે. ગુજરાતમાં ખેડૂત મરી રહ્યા છે, ગુજરાતમાં આશરે ૧૨ જેટલા ખેડૂતો આત્મહત્યા કરે છે, હું સરકારને વિનંતી કરું છું કે એમએસપી કરીને ખેડૂતને છેતરે નહીં. સરકાર જેવી કોઈ વસ્તુ નથી અને સમગ્ર તંત્ર ખતમ થઈ ગયું હોય એવું લાગે છે જેથી પહેલાંથી પર્ચેઝિંગ સિસ્ટમ ડેવલપ કરે. આમ, શંકરસિહે લોકસભાની ચૂંટણીને લઇ ભાજપ વિરૂધ્ધની રણનીતિ અત્યારથી જ શરૂ કરી દીધી છે.

Related posts

આવાસ યોજના હેઠળ બે લાખથી વધુ મકાન બનશે

aapnugujarat

સરદારનગર વિસ્તારમાં ચેઈનસ્નેચિંગ

aapnugujarat

નેચરલ સોર્સ તરીકે ગપ્પી માછલીના ઉપયોગથી અમદાવાદ જિલ્લામાં મેલેરીયા નિયંત્રણ કરાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1