Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સબરીમાલા : હવે ૨૨ જાન્યુઆરીએ સુનાવણી

સુપ્રીમ કોર્ટે આજે સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશને મંજુરી આપવાના તેના ચુકાદા પર સ્ટે મુકવાનો આજે સાફ ઇન્કાર કરી દીધો હતો. હવે આ મામલામાં સુનાવણી ખુલ્લી કોર્ટમાં ૨૨મી જાન્યુઆરીના દિવસે હાથ ધરવામાં આવશે. સબરીમાલા કેસમાં સુપ્રીમ કોર્ટ ૨૨મી જાન્યુઆરીના દિવસે રિવ્યુપિટિશનમાં અરજી હાથ ધરશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ આરએફ નરિમન, એએમ ખાનવીલકર, ડીવાય ચંદ્રચુડ અને ઇન્દુ મલ્હોત્રાની બેંચે આ મામલામાં સુનાવણી હાથ ધરી હતી. ૨૮મી સપ્ટેમ્બરના ચુકાદાની સામે આ સમીક્ષા અરજીઓ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં એવી ૪૮ અરજીઓ કરવામાં આવી ચુકી છે જેમાં કેરળના સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓના પ્રવેશની મંજુરી આપતા તેના ૨૮મી સપ્ટેમ્બરના ચુકાદા પર ફેરવિચારણા કરવા માટે માંગ કરવામાં આવી હતી. તત્કાલિન સીજેઆઈ દિપક મિશ્રાના નેતૃત્વમાં પાંચ જજની બેંચે ૨૮મી સપ્ટેમ્બરના દિવસે ૪-૧ના બહુમતિ ચુકાદાથી સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓના પ્રવેશને મંજુરી આપી હતી અને કહ્યું હતું કે, કોઇપણ પ્રકારના ભેદભાવ હોવા જોઇએ નહીં. તમામ પેન્ડિંગ રહેલી અરજીઓની સાથે તમામ સમીક્ષા અરજીઓ ઉપર ૨૨મી જાન્યુઆરીના દિવસે ખુલ્લી કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, અમે સ્પષ્ટતા કરી ચુક્યા છે કે, ચુકાદા પર કોઇપણ સ્ટે નથી. ચેમ્બર કાર્યવાહીમાં જજ દ્વારા સરક્યુલેશન અને વકીલોની અરજીઓની ચકાસણી કરી હતી. ચુકાદાની સમીક્ષા કરવા ૪૮ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૮મી સપ્ટેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યુ હતુ કે કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓ એન્ટ્રી કરી શકશે. કોર્ટે કહ્યુ હતુ કે બંધારણની કલમ ૨૬ હેઠળ પ્રવેશ પર પ્રતિબંધને કોઇ કિંમતે યોગ્ય ઠેરવી શકાય નહી. બંધારણ પુજામાં ભેદભાવ કરી શકે નહી. માનવામાં આવે છે કે આ જજમેન્ટની વ્યાપક અસર થનાર છે. બેંચમાં સામેલ જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાએ અલગરીતે ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં એવી જોગવાઈને પડકાર ફેંકવામાં આવ્યો હતો કે, મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની વયની મહિલાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ હતો. આ પહેલા સુપ્રીમ કોર્ટમાં સબરીમાલા મંદિર મામલાની સુનાવણી દરમિયાન કોર્ટ સલાહકાર રાજુ રામચંદ્રને કહ્યું હતું કે, મંદિરમાં મહિલાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ એવી જ રીતે છે જે રીતે દલિતોની સાથે અસ્પૃશ્યતાનો મામલો રહેલો છે. કોર્ટના સલાહકારે કહ્યું હતુંકે, અસ્પૃશ્યતાની સામે જે અધિકારો છે તેમાં અપવિત્રતા પણ સામેલ છે. જો મહિલાઓના પ્રવેશ આ આધાર પર રોકવામાં આવે છે કે કેટલીક અપવિત્ર બાબતો રહેલી છે તો તે યોગ્ય નથી.

Related posts

केंद्रीय बजट 2021-22 को लेकर वित्त मंत्री की बैठक

editor

નીતિશ વિશ્વાસઘાતી બની ગયા :લાલુ યાદવ

aapnugujarat

એપ્રિલમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1