Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સોનિયા ગાંધીએ છઠ્ઠ પુજા કરી હોત તો બાળક બુદ્ધિમાન પેદા થયું હોત : મનોજ તિવારી

દિલ્હી ભાજપના અધ્યક્ષ અને ઉત્તર પૂર્વી દિલ્હીના સાંસદ મનોજ તિવારીએ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી પર તીખા કટાક્ષ કર્યા છે.
મનોજ તિવારીએ જણાવ્યું હતું કે, સોનિયા ગાંધી છઠ પુજા નથી કરતી, જો કે, છઠ પુજા કરવાથી બુદ્ધિમાન બાળકો પેદા થાય છે. ભાજપના સાંસદનો આ વીડિયો પણ એક ન્યૂઝ ચેનલે શેર કર્યો છે.
જેમાં તેઓ કહે છે કે, મુ્‌શ્કેલી એ છે કે સોનિયા જીએ ક્યારેય છઠ કરી નથી. જો સોનિયા ગાંધી છઠ કરતી હોત તો બહુ જ બુદ્ધિમાન બાળક જન્મ લેત. છઠ એ માતાની કૃપા છે. છઠની પુજા કર્યા કરો. જો છઠની પુજા ન કરી શકો તો તેમાં તમે સામેલ થઇ જાવ.
દિલ્હી ભાજપ અધ્યક્ષે આગળ એમ પણ જણાવ્યું કે, મારા નિવેદનને વિવાદીત ન બનાવશો. મે કહ્યું છે કે, છઠ માં ની પૂજા કરવાથી બુદ્ધિમાન બાળક પેદા થાય છે. દેશભક્ત પૈદા થાય છે. ભ્રષ્ટ પેદા નથી થતા.
મનોજ તિવારીએ છત્તીસગઢ રાજ્યના એક ચૂંટણી સંબંધીત વિસ્તારમાં સભા સંબોધતા આ વાક્યો ઉચ્ચાર્યા હતા.
તિવારીના આ વાક્ય સામે કોંગ્રેસ ચૂંટણી આયોગમાં ફરિયાદ કરવાની તૈયારીઓ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલી વાર નથી જ્યારે ભાજપના નેતાએ કોંગ્રેસ પર હુમલો કર્યો હોય. આ પહેલા પણ રાજીવ ગાંધીના નામ પર કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પર મોટો હુમલો થયો હતો.
તેમણે જણાવ્યું હતું કે, ’જો તમે સજ્જન છો તો બધા તમને સજ્જન દેખાશે. જો તમે ઠગ છો તો ઠગોની જ વાત તમારા આસપાસ ફરતી રહેશે. જે લોકો ડાકૂ, ચોર છે તેમને તો એવું લાગશે કે વિશ્વ તેમના જેવું જ છે.
તિવારીએ નામ લીધા વગર જણાવ્યું તમે એક ચોર હોઈ શકો છે. તમે એક ડાકૂ હોઈ શકો છે. તમારા સમગ્ર પરિવારે દેશને લૂંટ્યુ છે. તેથી એવું ન વિચારો. કારણ કે આ દેશને સંભાળનાર ભારત માતાના ઇમાનદાર નરેન્દ્ર મોદી સત્તા પર આવી ચૂક્યા છે.

Related posts

ભાજપને માત્ર ‘બહેરા-મુંગા’ દલિતો જ જોઇએ છે : ઉદિત રાજ

aapnugujarat

કાશ્મીરમાં સેનાએ ત્રણ મહિનામાં ૬૦ આતંકવાદીઓ ઠાર કર્યા

aapnugujarat

અમિત શાહે દલિતના ઘરમાં લીધું ભોજન, પટનાયક સરકાર પર કર્યાં આકરા પ્રહાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1