Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાજસ્થાન સીમા પર રાજનાથસિંહ જવાનો સાથે દશેરા ઉજવશે

ગૃહ પ્રધાન રાજનાથસિંહ રાજસ્થાનના જોધપુરમાં આવેલી ભારત-પાકિસ્તાન સીમા પર શસ્ત્રપૂજા કરીને જવાનો સાથે દશેરાની ઉજવણી કરશે.  કેન્દ્ર સરકારના કોઇ મોટા પ્રધાને શસ્ત્રપૂજા કરીને સરહદ પર દશેરાની ઉજવણી કરી હોય એવો આ શક્યતઃ પહેલો પ્રસંગ બની રહેશે.  ગૃહ મંત્રાલયે જણાવ્યા અનુસાર ભારત-પાકિસ્તાનની સીમા પર આવેલા રાજસ્થાનના બિકાનેરમાં તહેનાત સરહદ સુરક્ષા દળ (બીએસએફ)ના જવાનો સાથે ૧૯મી ઑક્ટોબરે રાજનાથસિંહ દશેરાની ઉજવણી કરશે. આ પ્રસંગે તેઓ બોર્ડર પર આવેલી આઉટ પોસ્ટ (બીઓપી) પર જઇને ત્યાં શસ્ત્રપૂજા પણ કરશે. બે દિવસની પોતાની યાત્રા દરમિયાન સિંહ ૧૮મી ઑક્ટોબરની રાતે બીઓપીમાં રોકાશે અને બીજે દિવસે જવાનો સાથે દશેરાની ઉજવણી કરશે. આ પ્રસંગે તેઓ સરહદની સ્થિતિ અને વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની યોજનાઓની સમિક્ષા કરશે.

Related posts

ક્રિમિનલ પ્રોસિજર (ઓળખ) બિલ લોકસભામાં પાસ :

aapnugujarat

કર્ણાટકની હાર બાદ ભાજપે બદલવી પડશે રણનીતિ

aapnugujarat

સેંસેક્સ ૧૧૦ પોઇન્ટ ઘટીને ૩૬૫૪૨ની નીચી સપાટીએ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1